3થી 5 લાખની આવક ટેક્સ ફ્રી કરવામાં આવી શકે. માધ્યમ વર્ગ માટે પણ મોટી જાહેરાતોની શકયતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બીજા કાર્યકાળનો પહેલું બજેટ રજૂ થવા જઈ રહ્યું છે. ત્યારે આજે એક આર્થિક સર્વે દેશ સમક્ષ રજૂ કરવામાં આવશે. આ સર્વે ભવિષ્યની રૂપરેખા નક્કી કરવામાં આવશે. કેન્દ્રની મોદી સરકાર સતત બીજી વખત અસ્તિત્વમાં આવ્યા છે ત્યારે પ્રત્યેકની નજર રોજગાર, સ્વાસ્થ્ય, વિદેશી રોકાણ અને મેક ઈન ઈન્ડિયા સહિત અનેક સેક્ટર્સ પર છે. જેનાથી દેશની અર્થવ્યવસ્થા ગતિ પકડી શકે.
પીએમ મોદી ફરી સત્તામાં આવ્યા બાદ મોદી સરકારનું આજે પ્રથમ બજેટ રજૂ થશે. સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગતો મુજબ, બજેટમાં મધ્યમવર્ગને મોટી રાહત મળી શકે છે. ટેક્સ અને હોમ લોનના વ્યાજ દરમાં પણ ટેક્સમાં છૂટ છાટ મળી શકે છે.
સુત્રો દ્વારા પ્રાપ્ત વિગતો મુજબ, વાર્ષિક આવક પર ટેક્સમાં છૂટની મર્યાદા રૂપિયા ત્રણ લાખ થઈ શકે છે. હાલ રૂપિયા અઢી લાખ સુધીની આવક પર ટેક્સ ફ્રી છે. જ્યારે પાંચથી આઠ લાખ સુધીની આવક માટે પણ નવો સ્લેબ બની શકે છે. જ્યારે રોકાણ પર રૂપિયા 1.5 થી 2 લાખ સુધીની છૂટ મળી શકે છે.
આ ઉપરાંત અઢી લાક સુધીની હોમ લોન વ્યાજ પર પણ ટેક્સમાંથી છૂટ મળી શકે છે. દરેક વખતની જેમ આ વખતે પણ દેશની જનતાને બજેટથી ઘણી આશા છે. ટેક્સ પે કરનાર લોકો ઇચ્છે છે કે ટેક્સમાં છૂટ મળે જેના કારણે બચત વધે.
જ્યારે મિડલ ક્લાસની માગણી છે કે ઘર સસ્તુ થાય. આ સિવાય રોજગાર, રોકાણ, ખેડૂત, મહિલા, શિક્ષા સહિત દરેક સેકટર પર દેશની જનતાની નજર રહેશે. આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે ન્યૂ ઇન્ડિયા વાત કરે છે તેની પણ ઝાંખી આજના બજેટમાં જોવા મળી શકે છે.