તમે પણ આ શિયાળામાં ફરવા જવાનું વિચારી રહ્યા છો તો આજે અમે તમને ગુજરાતના એવા 5 સ્થળો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે બજેટ ફ્રેન્ડલી પણ છે.
શિયાળામાં ફરવા જવાનું વિચારી રહ્યા છો?
ફરવા જવા માટે ગુજરાતના આ 5 સ્થળો બજેટ ફ્રેન્ડલી
અમદાવાદથી આટલી દૂર આવેલ છે આ 5 સ્થળો
કામ કરીને લોકો જ્યારે થાકે ત્યારે ફ્રેશ થવા માટે ફરવા જાય છે. ફરવાનો શોખ લગભગ દરેક લોકોને હોય છે એવામાં શિયાળો શરૂ થતાની સાથે જ દરેક વ્યક્તિને ફરવા જવાની ઈચ્છા થતી હોય છે. એવામાં ઘણા લોકો બરફીલા સ્થળોની મુલાકાત લેવાનું આયોજન કરવા લાગે છે. કેટલાક લોકોને બરફવાળી જગ્યાઓ ગમે છે તો કેટલાકને ફરવા માટે ગ્રીનરી હોય તેવી જગ્યાઓ પર જવું ગમે છે. જો તમે પણ ફરવા જવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા કામના છે.
જો તમે ગુજરાતી છો અને તમે પણ આ શિયાળામાં ફરવા જવાનું વિચારી રહ્યા છો તો આજે અમે તમને ગુજરાતના એવા 5 સ્થળો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં તમે આ શિયાળાની ઋતુમાં ફરવા જઈ શકો છો. ગુજરાતના આ 5 સ્થળો બજેટ ફ્રેન્ડલી છે તો ચિંતા કર્યા વિના કોઈ પણ એક જગ્યા પસંદ કરીને પરિવાર કે મિત્રો સાથે ફરવા નીકળી પડો..
શિયાળામાં ફરવા જવા માટે ગુજરતના 5 બજેટ ફ્રેન્ડલી સ્થળો
1. સીમા દર્શન- નડાબેટ
નડાબેટ એ આપણા ગુજરાતમાં આવેલ વાઘાબોર્ડર છે, જ્યાં ભારત-પાકિસ્તાનની બોર્ડર આવેલ છે. બનાસકાંઠા જિલ્લાના સૂઇગામ તાલુકાના નડાબેટ એ પ્રવાસીઓ માટે એક આકર્ષણનું કેન્દ્ર છે. નડાબેટ સીમાદર્શનમાં પ્રવાસીઓના આકર્ષણ માટે ટી પોઇન્ટ, આગમન પ્લાઝા, ઓડિટોરિયમ, પાર્કિંગ, રિટર્નિંગ વોલ, રી-ટ્રીટ સેરોમની સરહદની રોમાંચનો અનુભવ કરવા માટે ત્યાંની મુલાકાત લેવી જોઈએ. આ સાથે જ નડાબેટના T પોઇન્ટથી ઝીરો પોઇન્ટ સુધી લોકો સુરક્ષા દળો સેનાની કામગીરીથી પરિચિત થાય એ માટે રસ્તા વચ્ચે 1971ના યુદ્ધમાં વપરાયેલ મિગ 21 વિમાન, સરફેસ ટુ સરફેસ મિસાઈલ, 55 ટેન્ક આર્ટિલરી ગન, ટોર્પિડો વિંગ ડ્રોપ ટેન્ક, ડિસ્પ્લે પણ કરવામાં આવ્યા છે.
સરહદ પર જોવાના બિંદુ માં પ્રમુખ આકર્ષણ તરીકે બીએસએફના રિટરેટ સેરિમની, ફ્યુઝન બેન્ડ અને ઊંટ શો જોવા લાયક હશે. સરહદ પર પ્રવાસન કોર્પોરેશન (ટીસીજીએલ) દ્વારા નવા વિકસિત સ્થાન પર પ્રવાસીઓ હથિયાર પ્રદર્શની, ફોટો ગેલેરી અને બીએસએફના એક ડોક્યુમેન્ટરી ફિલ્મ જોઈ શકો છો.આ સિવાય ત્યાં નલેશ્વરી મા નું મંદિર પણ આવેલ છે જેનો ઇતિહાસ પણ ખૂબ જૂનો છે.
અમદાવાદથી નડાબેટ 203 કિલોમીટર દૂર આવેલ છે. આ સાથે જ તમને જણાવી દઈએ કે જો તમે નડાબેટ ફરવા જવાનો વિચાર કરી રહ્યા છો ત્યાં ફરવા જવા માટે બુકિંગ કરાવું પડે છે અને ત્યાં જવા માટે અલગ અલગ સમય પણ આપવામાં આવે છે.
2. ગિરનાર - જુનાગઢ
આમ તો જૂનાગઢમાં ઘણા બધા પૌરાણિક સ્થળ આવેલા છે પણ એ બધામાંથી સૌથી વધુ પ્રખ્યાત ગિરનાર પર્વત છે. ગિરનાર વિશે અઆપણે બધા જાણીએ જ છીએ અને શિયાળામાં ત્યાં ફરવા જવાની મજા કઇંક અનોખી જ છે. આ સાથે જ ત્યાં ફરવાલયક બીજા અઢળક સ્થળો આવેલ છે.
અમદાવાદથી ગિરનાર પંહોચવા માટે 317 કિલોમીટરનું અંતર કાપવું પડે છે.
3. નરારા ટાપુ - જામનગર
જામનગરથી 60 કિમીના અંતરે વાડીનાર બંદર પાસે આવેલું નરારા ટાપુ એક એવું સ્થળ છે કે જ્યાં દરિયાઈ જીવસૃષ્ટિને આપણે ચાલીને જોઈ શકીએ.
દરિયામાં ઓટ આવતા જાણે એ દરિયાના ઓસરતાં પાણી ખુલ જા સિમ-સિમ કેહતા હોઈ એમ જીવ શ્રુષ્ટિનો અદભુત ખજાનો ખુલી જાય છે. કારણ કે ઓટના સમયે દરિયાનું પાણી ત્રણેક કિમી અંદર જતું રહે છે. ત્યારે અહીંના રેતાળ રણ અને પત્થરો વચ્ચે તમને દુર્લભ દરિયાઈ જીવો જેવા કે સ્ટાર ફીશ, પફર ફીશ, ગ્રીન ક્રેબ એટલે કે લીલો કરચલા સાથે બીજા 30 વધુ જાતના અન્ય કરચલાં , આઠ પગધારી ઓક્ટોપસ, 200 જાતની માછલી, 3 જાતના કાચબા, 20થી વધુ જાતના જીંગા, 94 જાતના દરિયાઈ પક્ષીઓ, 37 જાતના પરવાળા, 108 જાતની લીલ અને દરિયાઈ સર્પની સાથે સમુદ્રી ફૂલો અને અનેકો વનસ્પતિના અલૌકિક ખજાનાના તમને નરી આંખે દર્શન થશે.
અમદાવાદથી નરારા ટાપુ 400 કિમી દૂર આવેલું છે
4. ખીજડીયા બર્ડ સેન્ચ્યુરી
ખીજડીયા પક્ષી અભયારણ્ય ગુજરાત રાજ્યના જામનગર જિલ્લાના અર્ધ શુષ્ક પ્રદેશમાં કચ્છના અખાતમાં દક્ષિણ તટે આવેલો જળપ્લાવિત વિસ્તાર (વેટલેન્ડ) છે. અહીં મીઠા પાણીના તેમજ ખારા પાણીના એમ બે પ્રકારના જળપ્લાવિત વિસ્તારો એકબીજાની અરસપરસ આવેલા છે. શિયાળાની શરૂઆત થતાં જ પાકિસ્તાન, અફઘાનિસ્તાન, મોંગોલિયા, સાઇબેરિયા, ઈરાન, સાઉથ આફ્રિકા સાઉથ અમેરિકા તેમજ યુરોપ ખંડના દેશોમાંથી માઇગ્રેટ થઈ પક્ષીઓ ખીજડીયા અભ્યારણ્ય ખાતે આવે છે.
અમદાવાદથી નરારા ટાપુ 300 કિમી દૂર આવેલું છે
5. પોલો ફોરેસ્ટ
એક દિવસીય પિકનિક માટે વિચારી રહ્યો છો તો આ સીઝનમાં ગુજરાતમાં વિજયનગરમાં આવેલું પોલો ફોરેસ્ટ તમારા માટે બેસ્ટ પ્લેસ હોઈ શકે છે. તેને પોળોના જંગલો તરીકે પણ ઓળખવામાં આવે છે. ઐતિહાસિક સ્થળ હોવાના કારણે પોળોનું આ જંગલ 3-4 કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલું છે.અહીંના મંદિરો આશરે 15મી સદીમાં બનાવેલા હોય એવું માનવામાં આવે છે. પોલો એક વખતે રાજસ્થાનનો ગેટ વે હતો. શાશકો દ્વારા દુશ્મનો અને નાગરિકોથી છુપાઈને આ સ્થળ બનાવામાં આવ્યું હતું. અહીં માત્ર પહાડી વિસ્તાર,મંદિર અને ઝરણું નથી. પણ હાર્ણવ નદી અને ડેમ પણ આવેલો છે. આ ડેમની ઊંચાઈ આશરે 40 થી 50 મીટર જેટલી છે. કહેવામાં આવે છે કે શિયાળામાં ડેમ પર 35 જેટલી વિવિધતા ધરાવતા પક્ષીઓ જોવા મળે છે.