5 જુલાઇએ નાણા મંત્રી નિર્મલા સીતારમણ સંસદમાં બજેટ રજૂ કરશે. આ એમનું પહેલું બજેટ હશે. એવું માનવામાં આવી રહ્યું છે કે નાણા મંત્રી વિવિધ ક્ષેત્રોમાં મંદી, એનબીએફસી, સંકટ, વૈશ્વિક ચિંતાઓ અને વધતા એનપીએથી નિપટવા અને અર્થવ્યવસ્થાને પુન:જીવિત કરવા માટે ઘણા ઉપાયોની જાહેરાત કરી શકે છે.
જીડીપીમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર રિયલ એસ્ટેટ સેક્ટર પણ નાણામંત્રીથી ટેક્સ લાભની આશા રાખી રહ્યા છે. સસ્તા ઘરને પ્રોત્સાહન આપવા માટે ઓછા વ્યાજદર, સાથે જ સેક્ટરને બૂસ્ચ કરવા માટે અન્ય ઉપાયોની પણ સંભાવના છે. ઉદ્યોગને આશા છે કે હોમબાયર અને રોકાણકારો બંને માટે ટેક્સમાં વધારે વૃદ્ધિ થશે.
એનરોકના ચેરમેન અનુજ પુરીનું કહેવું છે કે ફેબ્રુઆરીમાં અંતરિમ બજેટમાં રોકાણકારો અને ખરીદદારોને થોડીક રાહત આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે, પરંતુ આયકર સ્લેબમાં કમી, હોમ લોનના દરો પર વધારે રાહત અને કટોતીમાં વૃદ્ધિથી વધારે લાભ આપવાની જરૂર છે. એમને કહ્યું કે આ ઉપરાંત સેક્શન 80C હેઠળ હાલના 15 લાખ રૂપિયા વર્ષની કટોતી રાશિને પણ વધારવી જોઇએ.
અનુજ પુરીએ કહ્યું કે સરકાર ધારા 80 સી હેઠળ કટોતીની સીમામાં ફેરફાર કરી શકે છે. કારણ કે એમાં એક દશકના અંતરાળ બાદ 2014માં અંતિમ વધારો થયો હતો. જો કે એનાથી સરકારી ખજાના પર વધારે બોજ પડે એવી શક્યતા છે. પરંતુ એનાથી ખરીદદારોની શક્તિને પ્રોત્સાહન મળવાની આશા છે.
ઉદ્યોગ જગતનું કહેવું છે કે સરકારને બેંકિંગ સિસ્ટમ તરફથી સસ્તા ઘર માટે ભૂમિના નાણાપોષણ પર પણ ધ્યાન આપવાની જરૂર છે.