મોદી સરકારનાં બીજા કાર્યકાળનું પહેલું બજેટ રજૂ કરવાની તૈયારી શરૂ થઇ ગઇ છે. હવે બજેટ નિર્માણ સાથે જોડાયેલ નાણાં મંત્રાલયનાં કર્મચારીઓ-અધિકારીઓનાં અંદર આવ્યા બાદ બહારથી સંપૂર્ણ સંપર્ક બંધ કરી દેવામાં આવેલ છે. નવા નાણાં મંત્રી નિર્મલા સીતારમણ 5 જુલાઇનાં રોજ પોતાનું પ્રથમ બજેટ રજૂ કરશે.
ન્યૂ દિલ્હીઃ મોદી 2.0 સરકાર પોતાનું પ્રથમ બજેટ રજૂ કરવાની તૈયારી કરી રહેલ છે અને એવામાં સોમવારથી નાણાં મંત્રાલયમાં 'કૈરંટાઇન' લાગુ થઇ જશે જે અંતર્ગત બજેટ બનાવવામાં લાગેલા અધિકારીઓ અને કર્મચારીઓ પર બહારનાં લોકો સાથે સંપર્ક પર પ્રતિબંધ લગાવી દેવામાં આવેલ છે. આ પ્રતિબંધ 5 જુલાઇનાં રોજ રજૂ થવા સુધી લાગુ રહેશે. આ અવધિમાં આગંતુકો તથા મીડિયાને નાણાંમંત્રાલયમાં નહીં આવવા દેવાય.
સીતારમણનું પ્રથમ બજેટઃ
સામાન્ય ચૂંટણી પહેલાં 1 ફેબ્રુઆરીનાં રોજ અંતરિમ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. તેમાં સરકારને સીમિત અવધિ માટે ખર્ચાની રકમ મંજૂર કરવામાં આવી હતી. નવી સરકાર સત્તા સંભાળી ચૂકેલ છે. નવા નાણાંમંત્રી નિર્મલા સીતારમણ એવા સમયમાં પૂર્ણ બજેટ રજૂ કરવા જઇ રહી છે કે જ્યારે આર્થિક વૃદ્ધિ દર સુસ્ત પડીને પાંચ વર્ષનાં નીચલા સ્તર પર જતુ રહ્યું છે.
બજેટ ટીમમાં હશે આ તમામઃ
સીતારમણની બજેટ ટીમમાં નાણાં રાજ્યમંત્રી અનુરાગ સિંહ ઠાકુર અને મુખ્ય આર્થિક સલાહકાર કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યન પણ શામેલ છે. ઓફિશીયલ ટીમની આગેવાની નાણાંસચિવ સુભાષચંદ્ર ગર્ગ કરી રહેલ છે. આ ટીમમાં વ્યય સચિવ ગિરીશ ચંદ્ર મુર્મૂ, રાજસ્વ સચિવ અજય ભૂષણ પાંડે, દીપમનાં સચિવ અતનુ ચક્રવર્તી અને નાણાંકીય સેવા સચિવ રાજીવ કુમાર શામેલ છે.