બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:38 PM, 11 July 2024
ઘરેલુ શેર માર્કેટનું ધ્યાન હવે આગામી કેન્દ્રીય બજેટ પર છે. જે આવનાર પાંચ વર્ષો માટે સરકારની પ્રાથમિકાતાઓને દર્શાવશે. એક પ્રી-બજેટ પ્રીવ્યૂ રિપોર્ટમાં બ્રોકરેજ હાઉસે જણાવ્યા અનુસાર આશા રાખવામાં આવી રહી છે કે,
ADVERTISEMENT
કેન્દ્ર સરકાર ઓક્ટોબર નવેમ્બર 2024માં થવા જઈ રહેલા ઘણા રાજ્યોમાં ચુંટણી પહેલા ગરીબો અને મધ્ય વર્ગને રાહત આપવા અને ખપતને પ્રોત્સાહિત કરવા માટે RBI ડિવિડન્ડથી વધારે લાભને રણનૈતિક રૂપથી ઉપયોગ કરશે. બ્રોકરેજ ફર્મે આવનાર બજેટને લઈને અમુક મિડકેપ સ્ટોક્સમાં રોકાણ કરવાની સલાહ આપી છે. ફર્મને આશા છે કે બજેટથી આ સ્ટોક્સમાં ઉછાળ આવી શકે છે.
ADVERTISEMENT
ગોદરેજ પ્રોપર્ટીઝ
એક રિપોર્ટ અનુસાર મોતીલાલ ઓસવાલે ગોદરેજ પ્રોપર્ટીઝની ટાર્ગેટ પ્રાઈઝ 3,725 રાખી છે. આ કેટેગરી પ્રાઈઝથી 12 ટકા વધારે છે. બ્રોકરેજને આશા છે કે GPL FY26થી સરપ્લસ ફેશ ફ્લો ઉત્પન્ન કરશે. તેનાથી નેટ ડેબ્ટ 8,000-8,500 કરોડ સુધી મર્યાદીત રહેશે.
પર્સિસ્ટેંટ સિસ્ટમ
બ્રોકરેજે પર્સિસ્ટેંટ સિસ્ટમના ટાર્ગેટ પ્રાઈસ 4,560 રાખતા ખરીદીની સલાહ આપી છે. ઘરેલું ફર્મે કહ્યું છે કે ક્વોટર માં મજબૂત હેલ્થકેર ગ્રોથ મેડિકલ ડિવાઈસને યોગદાન આપવાના કારણે છે. ફાર્મા અને હેલ્થકેર બિઝનેસ યુએસમાં લીડિંગ છે. કંપનીએ પેપર ડોમેનમાં સ્ટ્રેટજિક ઈન્વેસ્ટમેન્ટ કર્યું છે. જેમાં સમયની સાથે મૂર્ત રૂપ લેવાની આશા છે.
KYC ઈન્ડસ્ટ્રીઝ
બ્રોકરેજને સ્ટોકના ટાર્ગેટ પ્રાઈસ 5,230 પ્રતિ શેર રાખવામાં આવ્યું છે. આ લગભગ 16 ટકાનો ગ્રોથ બતાવે છે. KYC કેબલ અને વાયર ઈન્ડસ્ટ્રીઝમાં બીજી સૌથી મોટી કંપની છે. આ નાણાકીય વર્ષ 25માં 11 ટકા માર્જીન રાખશે અને રિટેલ સેવ અને વાયરની કિંમતોમાં વૃદ્ધિના કારણે આવનાર અમુક વર્ષોમાં માર્જિનમાં 1.0-1.5ppનો વિસ્તાર થવાની આશા છે.
PNB હાઉસિંગ ફાઈનાન્સ
બ્રોકરેજે તેની ટાર્ગેટ પ્રાઈસ 1,015 રાખી છે. જે લગભગ 25 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. આશા દર્શાવવામાં આવી રહી છે કે કંપની નાણાકીય વર્ષ 24-26 વખતે લોનમાં 18 ટકા સીએસજીઆર અને પીએટીમાં 23 ટકા સીએજીઆરની શાનદાર વૃદ્ધિ આપશે.
એંજલ વન
બ્રોકરેજ ફર્મ મોતીલાલ ઓસવાલે 3,400નું લક્ષ્ય મુલ્યૂ રાખ્યું છે. આ હાલના રેટથી 53 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. કંપની 1,500 કરોડનું ફંડ ભેગુ કરવાની સાથે ક્વાઈંટ અધિગ્રહણ, ઓર્ડર અને એમટીએફ બુક જેવા પ્રમુખ માપદંડો પર બિઝનેસ ગ્રોથ માટે સારી સ્થિતિમાં છે. MOSLએ કહ્યું છે કે લાંબા સમયમાં AMC અને વેલ્થ મેનેજમેન્ટ રાજસ્વમાં યોગદાન આપવાનું શરૂ કરી દેશે.
વધુ વાંચો: મુંબઈગરાઓ માટે માઠા સમાચાર, ટેક્સીના ભાડામાં થશે આટલા રૂપિયાનો વધારો
કલ્યાણ જ્વેલર્સ
કલ્યાણ જ્વેલર્સ ઓર્ગેનાઈઝ્ડ જ્વેલરી માર્કેટમાં એક મોટી કંપની છે. જે પોતાના પ્રોડક્ટના બ્રોડ રેંજ, મજબૂત બ્રાન્ડ રેપુટેશન અને વ્યાપર સ્ટોર નેટવર્ક માટે જાણીતું છે. આ હવે શેષ ભારતમાં એક આક્રામક વિસ્તાર યોજના પર કામ કરી રહ્યું છે. આ વિસ્તાર એક ફ્રેન્ચાઈઝી મોડલના માધ્યમથી સફળતા પૂર્વક નિર્માણ કરીને મેળવી શકાય છે.
લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.