કેન્દ્ર સરકારે બજેટમાં મહિલા સન્માન બચત યોજના લાવવાનું એલાન કર્યું છે. આ યોજના હેઠળ 2 વર્ષ સુધી 2 લાખનું રોકાણ કરનાર મહિલાઓને 7.5 ટકા જેટલું ધરખમ વ્યાજ મળશે.
મહિલા માટે કેન્દ્રીય બજેટમાં મોટું એલાન
સરકારે મહિલા સન્માન બચત યોજનાની કરી જાહેરાત
2 વર્ષ સુધી 2 લાખના રોકાણ પર 7.5 ટકાનું વ્યાજ
કેન્દ્રીય બજેટમાં નાણા મંત્રી સીતારામણે મહિલાઓને લઈને એક મોટી યોજનાની જાહેરાત કરી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ 2023માં મહિલાઓ માટે મહિલા સન્માન બચત પ્રમાણપત્ર રજૂ કરવાની મોટી જાહેરાત કરી છે. જેના પર 7.5 ટકા વ્યાજ આપવામાં આવશે. આ મહિલા સન્માન બચત પ્રમાણપત્ર વર્ષ 2025 સુધી બે વર્ષ માટે માન્ય રહેશે. આ યોજનામાં કોઈપણ મહિલા કે યુવતી ખાતું ખોલાવી શકશે. જો કે તેમાંથી પૈસા ઉપાડવા પર કેટલીક શરતો રહેશે. આ બજેટમાં મહિલા કલ્યાણ માટે આ એક મોટું પગલું કહી શકાય. આ એક સમયની નવી બચત યોજના છે. જેમ કિસાન વિકાસ પત્ર છે, તેવી જ રીતે મહિલાઓના બચત પ્રમાણપત્રની પણ વાત છે. આ યોજના હેઠળ મહિલાઓ સારી બચત કરી શકશે. આ જાહેરાતની ખૂબ પ્રશંસા થઈ રહી છે.
Monthly Income Scheme limit doubled to Rs 9 lakh and Rs 15 lakh for joint accounts
મહિલા સન્માન બચત પ્રમાણપત્ર શું છે?
મહિલા સન્માન બચત પત્ર ભારત સરકારની બચત યોજના છે, જેમાં કોઇ પણ ભારતીય મહિલા કે યુવતી ખાતુ ખોલાવી શકે છે. આવામાં તમારે અમુક રકમ જમા કરાવીને સેવિંગ્સ સર્ટિફિકેટ ખરીદવું પડશે.
ડિપોઝિટ લિમિટ અને વ્યાજ દર
તેમાં વધુમાં વધુ 2 લાખ રૂપિયા જમા કરાવી શકાય છે. તમારી ડિપોઝિટ પર 7.5 ટકાના દરે નિશ્ચિત વ્યાજ મળશે. સરકારની અન્ય નાની બચત યોજનાઓના વ્યાજ દરમાં ફેરફાર કરવાથી મહિલા સન્માન પ્રમાણપત્રના વ્યાજ દર પર પણ કોઈ અસર નહીં પડે.
જમા કરાવવાનો સમયગાળો અને મેચ્યોરિટી
બચત પ્રમાણપત્રનો સમયગાળો 2 વર્ષ સુધીનો રહેશે. એટલે કે 31 માર્ચ 2025 સુધી કોઈ પણ મહિલા કે યુવતી તેનો ફાયદો ઉઠાવી શકે છે. પ્રમાણપત્રની પાકતી મુદત પૂર્ણ થવા પર, તમારી કુલ થાપણ અને વ્યાજ સહિત, સંપૂર્ણ નાણાં પરત કરવામાં આવશે. જરૂર પડે તો આ એકાઉન્ટમાંથી થોડા પૈસા પણ ઉપાડી શકો છો.
ખાતું ખોલવા માટે કોઈ વય પ્રતિબંધ નથી
કોઈ પણ ઉંમરની મહિલા કે યુવતી માટે મહિલા સન્માન બચત પ્રમાણપત્ર ખાતું ખોલાવી શકાય છે.
જરુર પડે તો વચ્ચે પૈસા ઉપાડી શકાય
મહિલા સન્માન સેવિંગ્સ સર્ટિફિકેટના ખાતામાં પૈસા જમા કરાવ્યા બાદ જો વચ્ચે કોઇ જરૂરિયાત હોય તો તમે આ એકાઉન્ટમાંથી કેટલાક પૈસા પણ ઉપાડી શકો છો. સુકન્યા સમૃદ્ધિ યોજના, પીપીએફ એકાઉન્ટ વગેરેમાં તમે 5 વર્ષ પહેલા કોઈ પૈસા ઉપાડી શકતા નથી. એ જ રીતે ખેડૂતો 2.5 વર્ષ પહેલા વિકાસ પત્રથી પૈસા ઉપાડી શકતા નથી અને 5 વર્ષ પહેલા એનએસસીમાંથી પૈસા ઉપાડી શકતા નથી.