બજેટ 2023-24થી સામાન્ય જનતાને ઘણી આશાઓ છે અને નાણામંત્રી નિર્મલા સીતારમણની સામે ઈન્ડસ્ટ્રીથી લઈને જનતાની આશાઓનો ભાર છે. જો કે તેઓ આ 6 નિર્ણયોથી જનતાને રાહત આપી શકે છે.
બજેટ 2023-24 પર જનતાની નજર
નાણામંત્રી નિર્મલા સીતારમણ પર લોકોની આશા
ટેક્સથી લઈને લોન સુધી આપી શકે છે રાહત
નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીનાં દેશનું વર્ષ 2023-24 માટેનું બજેટ રજૂ કરશે. જો કે જનતાઓ નાણામંત્રી પાસે આશા રાખી રહ્યાં છે કે તેઓ જનતાની તરફેણમાં રાહતનાં નિર્ણયો લેશે. એક તરફ વધી રહેલી મોંઘવારીને કારણે લોકોનો ખર્ચ વધી રહ્યો છે ત્યારે તે લોકોને ટેક્સમાં થોડી રાહત મળવાની આશા છે.
1. બેસિક ટેક્સ છૂટને વધારવું
મોદી સરકારે છેલ્લા 7 વર્ષોમાં આ ક્ષેત્રમાં લોકોને કોઈ રાહત આપી નથી અને જનતાને આશા છે કે તેને લઈને સરકાર યોગ્ય નિર્ણય લેશે. ચૂંટણી અને મહામારીના સમયનાં દબાણને લઈને સરકાર પાસે કેટલીક જગ્યાઓ એવી છે કે જેના થકી તે લોકોને રાહત આપી શકે છે. જેમાં સૌથી પ્રથમ આવે છે બેસિક ટેક્સ. 2014-15માં છેલ્લે આ ટેક્સ લિમિટ વધારવામાં આવી હતી. હવે લોકોને આશા છે કે આ બેસિક છૂટની લિમિટને સરકાર વધારશે.
2. ઈનકમ ટેક્સ સ્લેબમાં ફેરફારો કરવા
દેશમાં સૌથી ઊંચો ટેક્સ સ્લેબ 30%નો છે જે 10 લાખ રૂપિયાથી વધુની ઈનકમવાળા લોકો પર લાગૂ પડે છે. અને 15 લાખથી વધુ આવક વાળા લોકો પર નવો ટેક્ટ રિઝીમ લાગૂ પડે છે. સરચાર્જ અને સેસ જોડીને આ ટેક્સ 42.77%થઈ શકે છે. આ ટેક્સનાં દરની સરખામણી જો આપણે અન્ય દેશો સાથે કરીએ તો હોન્કોંગમાં સૌથી ઊંચો ટેક્સ સ્લેબ 17% અને સિંગાપોરમાં 22% છે. કેટલાક લોકોનો તર્ક છે કે તેની લિમિટ વધારીને 20 લાખ રૂપિયાથી વધુ આવક વાળા પર લગાવવું જોઇએ અને અહીં ટેક્સ રેટ 42%થી ઘટાડી 35% કરવું જોઈએ.
3. ન્યૂ ટેક્સ રિઝીમ
બજેટ 2020-21માં સરકારે નવા ટેક્સ રિઝીમને લાગૂ પાડ્યાં હતાં જેના અંતર્ગત લોકોને કેટલાક પ્રકારનાં ટેક્સ છૂટનો હિસાબ રાખવાથી મુક્તિ અપાવવા માટે એકસાથે સંપૂર્ણ ટેક્સ ભરવાનો વિકલ્પ રાખ્યો હતો. જો કે લોકોમાં આ મુદે હાલમાં ઓછી જાગરૂતી જોવા મળી રહી છે. તેવામાં સરકારની સામે માગ ઊઠી રહી છે કે નવા ટેક્સ રિઝીમને વધુ આકર્ષક બનાવવામાં આવે જેના કારણે લોકોની રૂચિ આ મુદે બંધાયેલી રહે.
4. ફાઈનેન્શિયલ બચત મુદે પગલું
દેશનો સૌથી પ્રસિદ્ધ સેક્શન 80Cની લિમિટને વધારવાની માગ પણ લાંબા સમયથી કરવામાં આવી રહી છે કારણકે તેમે કેટલાક વર્ષોથી વધારવામાં આવ્યું નથી. ટ્યૂશન ફી અને હાઉસિંગ લોનનાં મુખ્ય એમાઉન્ટ પર મળનારી છૂટ હોવા છતાં ટેક્સ છૂટ માત્ર 1.5 લાખ રૂપિયા સુધી જ છે. સેક્શન 80c અંતર્ગત લોકોને માત્ર દોઢ લાખ રૂપિયાનું ડિડક્શન મળે છે જેને વધારવાની માંગ થઈ રહી છે.
5. હોમ લોન પર વ્યાજની છૂટ વધારવું
મૉર્ટગેજ રેટ વધારવાની સાથે જ રિયલ એસ્ટેટ ઈન્ડસ્ટ્રીની માંગ છે કે હોમ લોનનાં વ્યાજ પર મળતી હાલની 1.5 લાખ રૂપિયાની છૂટને સરકાર વધારે. છેલ્લા 7 મહિનાઓથી RBI રેપોરેટ વધારી રહી છે જેના કારણે વ્યાજનાં દરો આશરે 2% સુધી વધ્યાં છે. આ કારણે EMI વધી છે જેનાથી લોકોનાં ઘરોનાં બજેટ પણ અસર થઈ રહી છે.
6. સ્ટાનડર્ડ ડિડક્શનને વધારવું
પહેલા સરકાર આ સ્ટાન્ડર્ડ ડિડક્શનમાં 40000 રૂપિયા ફાળવતી હતી જેને વધારીને 50000 રૂપિયા કરી દેવાયું હતું. આ અંતર્ગત આવનારા ટ્રાન્સપોર્ટ એલાઉન્સ અને મેડિકલ રીઈબંર્સમેન્ટને તેમાં સમાયોજિત કરવામાં આવતું હતું. જો કે વધી રહેલા ક્રૂડ ઓઇલની કિંમતો અને દવાઓમાં વધી રહેલી મોંઘવારીને જોતાં લોકોનો ખર્ચ પણ વધી રહ્યો છે.