નાણામંત્રી નિર્મલા સીતારમણ મંગળવારે બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. સૂત્રોનું કહેવું છે કે બજેટમાં સરકાર ખાતર સબસિડી માટે 1.1 અબજ રૂપિયા અને ખાદ્ય સબસિડી માટે 2 અબજ રૂપિયા ફાળવશે.
1લી ફેબ્રુઆરીએ નિર્મલા સીતારમણ રજૂ કરશે બજેટ
બજેટમાં ખેડૂતોને લઇને કરી શકે છે આ એલાન
ખાતર સબસિડીની મર્યાદામાં કરી શકે છે વધારો
1લી ફેબ્રુઆરીએ નાણામંત્રાલય બજેટ રજૂ કરવા જઇ રહ્યા છે. ત્યારે નોકરીયાત વર્ગ, વેપારી વર્ગ, ખેડૂતો, અને ગરીબ વર્ગ આશા રાખીને બેઠો છે કે બજેટમાં કંઇક રાહત મળે.ત્યારે વાત કરીએ ખેડૂતોની તો આ વર્ષે બજેટમાં કેન્દ્ર સરકાર ગરીબોને રાહત આપવા માટે આપવામાં આવેલી ખાદ્ય સબસિડી અને ખેડૂતો માટે ખાતર સબસિડીની મર્યાદામાં વધારો કરી શકે છે.
મળતી માહિતી અનુસાર, સરકાર બજેટમાં ખાદ્ય અને ખાતર સબસિડી પર લગભગ $40 બિલિયનની જોગવાઈ કરી શકે છે.
મહામારીને કારણે સબસિડીમાં વધારો
કોરોના રોગચાળાને કારણે ગરીબો માટે રાહતના ઉપાયો અને રસાયણોની વૈશ્વિક કિંમતોમાં તેજીથી વધારો થતા ભારતના સબસિડી બિલમાં વધારો કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકાર આ નાણાકીય વર્ષમાં પહેલા બે વખત ખાતર પર સબસિ઼ડી વધારી ચૂકી છે. ત્યારે હવે સૂત્રોના જણાવ્યાનુસાર નવા બજેટમાં આ અંગેની ચૂકવણી અત્યાર સુધીની સૌથી વધુ હોઈ શકે છે.
સરકાર અબજો રુપિયાની કરી શકે છે ફાળવણી
નાણામંત્રી નિર્મલા સીતારમણ મંગળવારે બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. નાણા મંત્રાલયના સૂત્રોનું કહેવું છે કે બજેટમાં સરકાર ખાતર સબસિડી માટે 1.1 અબજ રૂપિયા અને ખાદ્ય સબસિડી માટે 2 અબજ રૂપિયા ફાળવશે. મહત્વનું છે કે ચાલુ નાણાકીય વર્ષ માટે, નાણામંત્રીએ ખાતર સબસિડી માટે રૂ. 835 અબજનું બજેટ રાખ્યું હતું, જોકે વાસ્તવિક ફાળવણી વધીને રૂ. 1.5 ટ્રિલિયન થઈ શકે છે.
ખેડૂતોને મળી શકે રાહત
ખેડૂતો સારી રીતે ખેતી કરી શકે અને ઉત્પાદનમાં વધારો કરી શકે તે માટે સરકાર દ્વારા સહાય કરવાના પ્રયાસો કરવામાં આવે છે. ખેડૂતો સરકાર દ્વારા નક્કી કરાયેલ ભાવે યુરીયા ખાતરનો ઉપયોગ કરી શકે તે માટે ખાતર સબસિડીનો ઉપયોગ કરવામાં આવે છે. આ માટે ખેડૂતોને મદદ કરવા સરકાર નીચા દરે ખાતર વેચવા માટે જે તે કંપનીઓને ચોક્કસ રકમની સબસીડી પણ આપે છે. નિષ્ણાતો કહે છે કે સરકાર સામાન્ય રીતે નાણાકીય વર્ષના છેલ્લા કેટલાક મહિનામાં ખાતર અને ખાદ્ય સબસિડી માટે તેના બજેટમાં સંશોધન કરી રહી છે.