ક્રિપ્ટોકરન્સીથી થયેલી આવક પર સરકારે 30 ટકા ટેક્સની જાહેરાત કરી, નુકસાન જશે તો પણ ટેક્સ ચૂકવવો પડશે
બજેટમાં ડિજીટલ કરન્સીની જાહેરાત
ક્રિપ્ટો કરન્સીથી કમાણી પર 30 ટકા ટેક્સ
ક્રિપ્ટો કરન્સીથી નુકસાન થશે તો પણ ટેક્સ લાગશે
બજેટ 2022માં મોદી સરકારે ડિજીટલ કરન્સીને લઇ મોટી જાહેરાત કરી છે. RBI વર્ષ 2022માં ડિજીટલ કરન્સી લોન્ચ કરશે. તેમજ ક્રિપ્ટોકરન્સીથી લેણદેણ પર ટેક્સ પર નાખવામાં આવ્યો છે. ક્રિપ્ટોકરન્સીથી થયેલી આવક પર સરકારે 30 ટકા ટેક્સની જાહેરાત કરી છે. હાલના સમયે બીટ કોઈન જેવી ક્રિપ્ટોકરન્સીથી દેશમાં ઉહાપોહની સ્થિતિ છે. હાલ દેશમાં 10 કરોડ લોકોએ 7 લાખ કરોડનું નિવેશ આમાં કરી ચૂક્યા છે. આ શિયાળાના સત્રમાં બીટ કોઈન જેવી ક્રિપ્ટોકરન્સીનું બિલ રજૂ થવાની સંભાવના હતી પણ કાયદાકીય અડચણો બાદ આ શક્ય બને તેમ ન હતું. પણ
ક્રિપ્ટો કરન્સીમાં નુકસાન થશે તો પણ ટેક્સ ભરવો પડશે
હવે ક્રિપ્ટો કરન્સી માટે બ્લોક ચેન અને અન્ય ટેક્નોલોકજીનો ઉપયોગ કરાશે. હવે ક્રિપ્ટોકરન્સીમાં નુકસાન જશે તો પણ ટેક્સ ચૂકવવો પડશે.દરોડા દરમિયાન ઇન્કમ પર કોઇ સેટલમેન્ટ નહી થાય. ભારતમાં ક્રિપ્ટો કરન્સી પર પ્રતિબંધ નહી લાગે
I propose to provide that any income from transfer of any virtual digital asset shall be taxed at the rate of 30%. No deduction in respect of any expenditure or allowance shall be allowed while computing such income, except cost of acquisition: FM Nirmala Sitharaman#Budget2022pic.twitter.com/DHQvZsRyeN
ભારતની પોતાની ડિજિટલ કરન્સી હશે
બજેટમાં સરકારે દેશની પોતાની ડિજિટલ કરન્સીની વાત કરી છે. ભારત સરકાર પોતાની ક્રિપ્ટો(ડિજિટલ) કરન્સી લોંચ કરશે. હાલમાં વિશ્વમાં અલગ અલગ પ્રકારની ડિજિટલ ( ક્રિપ્ટો) કરન્સી છે. વિશ્વની લગભગ તમામ ક્રિપ્ટો કરન્સી પ્રાઇવેટ કરન્સી છે. આ ડિજિટલ કરન્સીની પારદર્શિતા પર સવાલ ઉભા થતા હતા. આંતરાષ્ટિય ક્રિપ્ટો કરન્સીમાં બ્લેક નાણા અને ગેરકાયદે પ્રવૃતિ જેવા પ્રશ્વો રહેતા. હવે ભારત સરકાર આ પ્રશ્નના સમાધાન માટે પોતાની ડિજિટલ કરન્સી લોંચ કરશે. દેશમા હાલમાં સેંકડો લોકો વિશ્વિક ડિજિટલ કરન્સીનો ઉપયોગ કરે છે. ભારતની પોતાની ડિજિટલ કરન્સીથી નાણા સલામતી વધશે. દેશમાં ડિજિટલ કરન્સીના કારણે ટેક્સની પણ આવક થશે.
ઈન્કમટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર નહીં, ગત વર્ષની મુજબ જ લાગુ પડશે
મોદી સરકારે ઈન્કમ ટેક્સ સ્લેબને યથાવત રાખવાની મોટી જાહેરાત કરી છે. નાણામંત્રી નિર્મલા સીતારામણે કહ્યું કે ઈન્કમ ટેક્સ સ્લેબમાં ફેરફારનું સરકારનું કોઈ આયોજન નથી, તેને યથાવત સ્થિતિએ જાળવી રખાયા છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે ડાયરેક્ટ ટેક્સના મામલે મોટા સુધારાની જાહેરાત કરી છે. હવે ભારતમાં અપડેટેડ ટેક્સ ફોર્મ બહાર પાડવામાં આવ્યું છે. ITRમાં ભૂલ ઠીક કરવા માટે 2 વર્ષ સુધી અપડેટેડ રિટર્ન ફાઈલ કરી શકાશે. ડિજીટલ એસેટ ટ્રાન્સ્ફર (ક્રિપ્ટોકરન્સી)ની આવક પર 30 ટકા ટેક્સ. ક્રિપ્ટોકરન્સીમાં નુકસાન જશે તો પણ ટેક્સ ચૂકવવો પડશે. દરેક પ્રકારના કેપિટલ ગેઈન પર 15 ટકા ટેક્સ. દિવ્યાંગોને ટેક્સમાંથી રાહત અપાઈ. સહકારી મંડળીએ હવે 14 ટકાની MAT ચૂકવવી પડશે. એક કરોડથી 10 કરોડની આવક ધરાવતી સોસાયટીએ માત્ર 7 ટકા સરચાર્જ ચૂકવવો પડશે.
નવો ઈન્કમ ટેક્સ સ્લેબ
0 થી 2.5 લાખ સુધી- 0 ટકા
2.5 લાખથી 5 લાખ સુધી-5 ટકા
5 લાખથી 7.5 લાખ સુધી 10 ટકા
7.50 લાખથી 10 લાખ સુધી 15 ટકા
10 લાખથી 12.50 લાખ સુધી 20 ટકા
12.50 લાખથી 15 લાખ 20 ટકા
15 લાખથી ઉપરની આવક પર 30 ટકા
જુનો આવકવેરા સ્લેબ
2.5 લાખ સુધી-0 ટકા
2.5 લાખથી 5 લાખ સુધી-5 ટકા
5 લાખથી 10 લાખ સુધી 20 ટકા
10 લાખથી ઉપર 30 ટકા
સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવા માર્ચ 2023 સુધી ટેક્સમાં છૂટ
દેશમાં સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવા માટે સરકારે માર્ચ 2023 સુધી ટેક્સમાં છૂટ આપવાની જાહેરાત કરાઈ છે. આવકની ઘોષણા નહીં કરાય તો સર્ચ કરતી વખતે જે રકમ મળશે તેના પર સંપૂર્ણ ટેક્સ ચૂકવવો પડશે. બિઝનેસ પ્રમોશન માટે એજન્ટને દર વર્ષે 20000 રૂપિયાથી વધારાની ગિફ્ટ પર ટેક્સ આપવો પડશે.