મોદી સરકારે 2022-23થી ડિજિટલ કરન્સી શરુ કરવાની જાહેરાત કરી દીધી છે.
ડિજિટલ કરન્સીને લઈને મોદી સરકારની મોટી જાહેરાત
2022-23થી ડિજિટલ કરન્સી શરુ થશે
RBI પોતાની ડિજિટલ કરન્સી લૉન્ચ કરશે
નાણામંત્રી નિર્મલા સીતારામણે 2022-23થી ડિજિટલ કરન્સી શરુ કરવાની જાહેરાત કરી છે. બજેટમાં ભાષણમાં તેમણે કહ્યું કે RBI પોતાની ડિજિટલ કરન્સી લૉન્ચ કરશે. તે બ્લોકચેન અને અન્ય તકનીકોનો ઉપયોગ કરીને બહાર પાડવામાં આવશે. નાણામંત્રીના જણાવ્યા પ્રમાણે આનાથી અર્થવ્યવસ્થાને મોટો વેગ મળશે.
RBI પોતાની ડિજિટલ કરન્સી લૉન્ચ કરશે
નાણામંત્રીએ કહ્યું કે RBI પોતાની ડિજિટલ કરન્સી લૉન્ચ કરશે. બજેટ ભાષણમાં નાણામંત્રીએ કહ્યું કે કોરોનાકાળમાં ડિજીટલ વ્યવહારો વધી રહ્યા છે. દેશમાં હવે ઈ પાસપોર્ટ મળવા લાગશે અને તેમાં એક ચિપ લાગેલી હશે. ઈ-પાસપોર્ટ સેવા કેન્દ્રોને અપગ્રેડ પણ કરવામાં આવશે. જ્યાં નવી ટેકનિક આધારિત પાસપોર્ટ સેવાઓ ઉપલબ્ધ કરવામાં આવશે.
નાગરિકોને ઈ પાસપોર્ટ પણ આપવામાં આવશે
દેશમાં હવે ઈ આધાર કાર્ડ અને ઈ પાન કાર્ડ બાદ આગામી વર્ષથી નાગરિકોને ઈ પાસપોર્ટ પણ આપવામાં આવશે. હાલમાં સરકારે તેના માટે આઈટી ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવાના ઉદ્દેશ્ય સાથે એજન્સીઓની પસંદગી કરવાના કામમાં લાગેલી છે. એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર 2021થી ઈ પાસપોર્ટ જાહેર કરવાની શરૂઆત થઈ શકે છે. હાલમાં દેશમાં પ્રિન્ટેડ પાસપોર્ટ આપવામાં આવે છે. જે બુલલેટ તરીકે થાય છે. આ રિપ્લેસ કરતા હવે ઈ પાસપોર્ટની સુવિધા આપવામાં આવશે. 20,000 અધિકારીઓ અને રાજદૂતોને પાયલટ
આ ઉપરાંત ઈ પાસપોર્ટ જાહેર કરવા માટે એક એવું યુનિટ પણ તૈયાર કરવામાં આવશે, જ્યાં દર કલાકે 10થી 20 હજાર પાસપોર્ટ જાહેર કરવામાં આવશે. આવી વ્યવસ્થા દિલ્હી અને ચેન્નાઈ જેવા શહેરોમાં પણ હશે. ઈ પાસપોર્ટને લઈને થોડા દિવસ પહેલા જ વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું હતું કે, તેનાથી છેતરપીંડી પર કંટ્રોલ થશે. વિદેશ મંત્રીના જણાવ્યા અનુસાર ઈંડિયન સિક્યોરિટી પ્રેસ અને નેશનલ ઈન્ફોર્મેટિક્સ સેન્ટરની સાથે મળીને ઈ પાસપોર્ટ ટેકનિકને લઈને કામ ચાલી રહ્યું છે. નવા જાહેર કરવામાં આવેલા પાસપોર્ટમાં કેટલાય સિક્યોરિટી ફિચર્સ આપવામાં આવશે, જેમાં છેતરપીંડીને કોઈ અવકાશ રહેશે નહીં.