દેશનું બજેટ જ્યારે જાહેર થવાનું હોય ત્યારે તે બજેટ સાથે લોકોની અનેક આશા-અપેક્ષાઓ જોડાયેલી હોય છે. ત્યારે પેલી ફેબ્રુઆરી પહેલા જ દેશ અને દુનિયામાં જેની નોંધ લેવાય છે તેવા સિરોમિક ઉદ્યોગકારો પણ સરકાર પાસે કેટલીક આશાઓ સેવીને બેઠા છે.
GSTમાં સમાવેશ ન થતા ગેસ મોંઘો
સિરામિક ઉદ્યોગનું હબ એટલે કે, મોરબી.જેની વિશ્વફલક પર નોંધ લેવાઈ છે. કારણ કે, આ એક જ ઉદ્યોગ છે જે ચાઈનાને ટક્કર આપી રહ્યો છે. ત્યારે બજેટ 2022 પહેલા મોરબીના સિરામિક ઉદ્યોગકારો મોંઘવારીના માહોલમાં કેન્દ્ર સરકાર પાસે ખુબ જ આશાઓ સેવીને બેઠા છે. કારણ કે, અહી વપરાતા નેચરલ ગેસનો સમાવેશ જીએસટીમાં કરવામાં આવ્યો નથી, જેના કારણે ઉદ્યોગકારોને નુકશાની થઈ રહી છે. તો બીજી તરફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટ્રાન્સપોર્ટ સહિતના મુદ્દાઓને લઈને પણ તેમની માગણીઓ પડતર છે. તેવામાં આ બજેટમાં ઉદ્યોગકારોને કેવી આશા-અપેક્ષાઓ છે તે જાણવાનો પણ અમે પ્રયાસ કર્યો.
લાખો લોકોને રોજગારી આપે છે સિરામિક ઉદ્યોગ
મોરબી આસપાસના વિસ્તારમાં આવેલા સિરામિકના કારખાનાઓમાંથી આજની તારીખે બે લાખથી પણ વધુ લોકોને રોજગારી મળી રહી છે. આ ઉદ્યોગ છેલ્લા બે દાયકા કરતા વધારે સમયથી મોરબી પંથકમાં ધમધમે છે.જો કે, ઉદ્યોગના વિકાસમાં સરકારના યોગદાન કરતા વધારે ફાળો અહીંના ઉદ્યોગકારોની સાહસિક વૃતિનોઓનો માનવામાં આવે છે.
મોંઘવારીના મારમાં રાહતની આશા!
મહત્વનું છે કે, કોરોનાની મહામારી બાદ મોરબીનો સિરામિક ઉદ્યોગ વિશ્વમાં પક્કડ વધુ મજબૂત કરતો જઈ રહ્યો છે. ચાઈનાની ટાઈલ્સ કરતા પણ મોરબીની ટાઈલ્સની ડીમાન્ડ વધી છે.પરંતુ ગેસ અને ટ્રાન્સપોર્ટ સહિતના મુદ્દે આજે પણ ઉદ્યોગકારોને માર પડી રહ્યો છે. તેવામાં આ બજેટમાં ઉદ્યોગકારો માટે પેકેજ જાહેર કરવામાં આવે તેવી માગ થઈ રહી છે.