2022-23ના બજેટમાં પગારદાર વર્ગને મોટી નિરાશા સાંપડી છે. મોદી સરકારે ઈન્કમ ટેક્સ સ્લેબને યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે.
નાણામંત્રીએ રજૂ કર્યું બજેટ
સામાન્ય માનવીની આશાથી ઉણું ઉતર્યું
ઈન્કમ ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર નહીં
2022-23ના બજેટમાં પગારદાર વર્ગને કોઈ રાહત નહીં
2022-23ના બજેટમાં પગારદાર વર્ગને કોઈ રાહત મળી નથી. મોદી સરકારે ઈન્કમ ટેક્સ સ્લેબને યથાવત રાખવાની મોટી જાહેરાત કરી છે. નાણામંત્રી નિર્મલા સીતારામણે કહ્યું કે ઈન્કમ ટેક્સ સ્લેબમાં ફેરફારનું સરકારનું કોઈ આયોજન નથી, તેને યથાવત સ્થિતિએ જાળવી રખાયા છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે ડાયરેક્ટ ટેક્સના મામલે મોટા સુધારાની જાહેરાત કરી છે. હવે ભારતમાં અપડેટેડ ટેક્સ ફોર્મ બહાર પાડવામાં આવ્યું છે.
સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવા માર્ચ 2023 સુધી ટેક્સમાં છૂટ
દેશમાં સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવા માટે સરકારે માર્ચ 2023 સુધી ટેક્સમાં છૂટ આપવાની જાહેરાત કરાઈ છે. આવકની ઘોષણા નહીં કરાય તો સર્ચ કરતી વખતે જે રકમ મળશે તેના પર સંપૂર્ણ ટેક્સ ચૂકવવો પડશે. બિઝનેસ પ્રમોશન માટે એજન્ટને દર વર્ષે 20000 રૂપિયાથી વધારાની ગિફ્ટ પર ટેક્સ આપવો પડશે
ઈન્કમટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર નહીં, ગત વર્ષની મુજબ જ લાગુ પડશે
- ITRમાં ભૂલ ઠીક કરવા માટે 2 વર્ષ સુધી અપડેટેડ રિટર્ન ફાઈલ કરી શકાશે
- ડિજીટલ એસેટ ટ્રાન્સ્ફર (ક્રિપ્ટોકરન્સી)ની આવક પર 30 ટકા ટેક્સ
- ક્રિપ્ટોકરન્સીમાં નુકસાન જશે તો પણ ટેક્સ ચૂકવવો પડશે
- સહકારી સમિતિઓ ટેક્સ ઘટાડીને 15 ટકા કરાયો
- દિવ્યાંગોને ટેક્સમાંથી રાહત અપાઈ
નવો ઈન્કમ ટેક્સ સ્લેબ
0 થી 2.5 લાખ સુધી- 0 ટકા
2.5 લાખથી 5 લાખ સુધી-5 ટકા
5 લાખથી 7.5 લાખ સુધી 10 ટકા
7.50 લાખથી 10 લાખ સુધી 15 ટકા
10 લાખથી 12.50 લાખ સુધી 20 ટકા
12.50 લાખથી 15 લાખ 20 ટકા
15 લાખથી ઉપરની આવક પર 30 ટકા
જુનો આવકવેરા સ્લેબ
2.5 લાખ સુધી-0 ટકા
2.5 લાખથી 5 લાખ સુધી-5 ટકા
5 લાખથી 10 લાખ સુધી 20 ટકા
10 લાખથી ઉપર 30 ટકા
ડિજિટલ કરન્સી જારી કરવામાં આવશેઃ નાણામંત્રી
નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે બ્લોકચેન અને અન્ય ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ડિજિટલ કરન્સી જારી કરવામાં આવશે. તે આરબીઆઈ દ્વારા 2022-23 થી જારી કરવામાં આવશે. તેનાથી અર્થવ્યવસ્થાને મોટો વેગ મળશે.
ચોથા બજેટ ભાષણમાં, નાણાપ્રધાન નિર્મલા સીતારમણે ઇલેક્ટ્રિક વાહન બજારને પ્રોત્સાહન આપવાની જાહેરાત કરી હતી. EV ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા માટે ઇન્ટરઓપરેબિલિટી ધોરણો સાથે બેટરી સ્વેપિંગ પોલિસી લાવવામાં આવશે.
ઇમરજન્સી ક્રેડિટ લાઇન યોજના આવતા વર્ષ સુધી ચાલુ રહેશેઃ નાણામંત્રી
કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે ઇમરજન્સી ક્રેડિટ લાઇન ગેરંટી સ્કીમ (ECLGS) માર્ચ 2023 સુધી લંબાવવામાં આવશે. ગેરંટી કવર 50,000 કરોડ રૂપિયાથી વધારીને કુલ 5 લાખ કરોડ રૂપિયા કરવામાં આવશે.
હેલ્થને લઈને ઓપન પ્લેટફોર્મ શરૂ કરીશું: નાણામંત્રી
નિર્મલા સીતારમણે કહ્યું કે નેશનલ ડિજિટલ હેલ્થ ઇકોસિસ્ટમ માટે એક ઓપન પ્લેટફોર્મ શરૂ કરવામાં આવશે. આના દ્વારા, આરોગ્ય પ્રદાતાઓ માટે ડિજિટલ રજિસ્ટ્રી, અનન્ય આરોગ્ય ઓળખ અને આરોગ્ય સુવિધાઓની સાર્વત્રિક ઍક્સેસ પ્રાપ્ત થશે.
1486 નકામા કાયદાનો અંત આવશેઃ નાણામંત્રી
તેમના ચોથા બજેટ ભાષણમાં નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું હતું કે બિઝનેસ કરવામાં સરળતા માટે 1486 નકામા કાયદાઓ નાબૂદ કરવામાં આવશે.
5G સેવા 2022માં શરૂ થશે- નાણામંત્રી
5G સેવા વર્ષ 2022માં શરૂ કરવામાં આવશે અને ગામડાઓમાં બ્રોડબેન્ડ સેવા પૂરી પાડવા માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવામાં આવશે તેવી જાહેરાત નાણામંત્રીએ બજેટમાં કરી હતી. તો આ સાથે જ તેમણે વધુમાં કહ્યું હતું કે, ટેલિકોમ સેક્ટરમાં નોકરીની નવી તકો શોધવામાં આવશે.
નાગરિકોની સુવિધામાં વધારો કરવા માટે આગામી વર્ષ 2022-23માં ઈ-પાસપોર્ટ જાહેર કરવામાં આવશે. લોકોને પાસપોર્ટની સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. આ પ્રક્રિયાને સરળ બનાવવા માટે સરકારે મોટી પહેલ કરી છે.
1.5 લાખ પોસ્ટ ઓફિસમાં બેંકિંગ સિસ્ટમઃ નાણામંત્રી
નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે 2022માં 1.5 લાખ પોસ્ટ ઓફિસમાં કોર બેન્કિંગ સિસ્ટમ 100 ટકા હશે. તેમણે કહ્યું કે સરહદી ગામડાઓમાં માળખાગત વિકાસ માટે વાઈબ્રન્ટ વિલેજ શિડ્યુલ્ડ કોમર્શિયલ બેંકો શરૂ કરવામાં આવશે. 75 જિલ્લામાં 75 ડિજિટલ બેન્કિંગ યુનિટ શરૂ કરશે. સરકાર લઘુત્તમ સરકાર અને મહત્તમ શાસન માટે પ્રતિબદ્ધ છે.
75 જિલ્લામાં 75 ડિજિટલ બેંકિંગ શરૂ કરશેઃ નાણામંત્રી
નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે તાજેતરના સમયમાં ડિજિટલ બેન્કિંગ અને ડિજિટલ પેમેન્ટનો ટ્રેન્ડ વધ્યો છે. કેન્દ્ર સરકાર આને પ્રોત્સાહન આપશે અને 75માં સ્વતંત્રતા દિવસના અવસર પર અમે દેશના 75 જિલ્લામાં 75 ડિજિટલ બેંકિંગ યુનિટ શરૂ કરીશું. આ તમામ યુઝર ફ્રેન્ડલી હશે અને સામાન્ય લોકોને તેનો સીધો લાભ મળશે.
પીએમ આવાસ યોજના હેઠળ 80 લાખ નવા મકાનો: નાણામંત્રી
નાણામંત્રી નિર્મલા સીતારમણે તેમના બજેટમાં કહ્યું હતું કે, 2022-23માં પીએમ આવાસ યોજના હેઠળ 80 લાખ નવા મકાનો બનાવવામાં આવશે. તેમના માટે 48 હજાર કરોડ રૂપિયાનું ફંડ રાખવામાં આવ્યું છે.
નિર્મલા સીતારમણે કહ્યું કે કોરોના સમયગાળા દરમિયાન અભ્યાસમાં ઘણું નુકસાન થયું હતું. તેણીએ કહ્યું કે એક વર્ગ એક ટીવી ચેનલને 12 થી વધારીને 200 ટીવી ચેનલો કરવામાં આવશે. આ ઉપરાંત ડિજિટલ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવશે. સાથે જ માનસિક સમસ્યાઓ માટે નેશનલ ટેલિમેન્ટલ હેલ્થ પ્રોગ્રામ પણ શરૂ કરવામાં આવશે.
ખેડૂતોને ડિજિટલ સેવાઓ આપવામાં આવશે - સીતારમણ
નાણામંત્રીએ કહ્યું કે ખેડૂતોને ડિજિટલ સેવાઓ પૂરી પાડવામાં આવશે અને ભારતમાં ગરીબી નાબૂદીના લક્ષ્ય પર જોરશોરથી કામ કરવામાં આવશે. ડ્રોન દ્વારા કૃષિ ક્ષેત્રને પ્રોત્સાહન આપશે. 100 ગતિ શક્તિ કાર્ગો ટર્મિનસ બનાવવામાં આવશે.
ભણતરમાં ખેતીને લગતા અભ્યાસક્રમો ઉમેરવામાં આવશે
તેમના અભ્યાસક્રમમાં ફોર્મિંગ કોર્સનો સમાવેશ કરવા માટે રાજ્ય સરકારોને પ્રોત્સાહિત કરવામાં આવશે. ગંગા કોરિડોરની આસપાસ કુદરતી ખેતીને પ્રોત્સાહન આપવામાં આવશે.
નેશનલ હાઈવેની લંબાઈ 25,000 કિમી સુધી વધશે
નાણામંત્રીએ કહ્યું કે 2022-23ની વચ્ચે નેશનલ હાઈવેની લંબાઈ વધારીને 25,000 કિમી કરવામાં આવશે.
આગામી ત્રણ વર્ષમાં 400 વંદે ભારત ટ્રેનો આવશે
નાણામંત્રી સીતારમણે કહ્યું કે આગામી ત્રણ વર્ષમાં 400 નવી વંદે ભારત ટ્રેનો તૈયાર કરવામાં આવશે. આ સાથે આગામી ત્રણ વર્ષમાં 100 PM ગતિ શક્તિ કાર્ગો ટર્મિનલ બનાવવામાં આવશે. આ સાથે 8 નવા રોપ-વે બનાવવામાં આવશે.
60 લાખ યુવાનોને નોકરીનું વચન
સીતારમણે કહ્યું કે બજેટથી ખેડૂતો, યુવાનોને ફાયદો થશે. આત્મનિર્ભર ભારતમાંથી 16 લાખ યુવાનોને નોકરી આપવામાં આવશે.
Production Linked Incentive (PLI) Scheme for achieving Aatmanirbhar Bharat has received an excellent response, with potential to create 60 lakh new jobs and additional production of 30 lakh crore during next Keycap digit five years: FM Nirmala Sitharaman #Budget2022pic.twitter.com/x1KtY9c7ji
નાણા મંત્રી સીતારમણે કહ્યું કે એર ઈન્ડિયાનું ડિસઈન્વેસ્ટમેન્ટ પૂર્ણ થઈ ગયું છે અને એલઆઈસીનો આઈપીઓ ટૂંક સમયમાં આવશે.
2022-23માં વિકાસ દર 9.2 રહેવાનો અનુમાન
નાણામંત્રી સીતારમણે કહ્યું કે આવતા 25 વર્ષમાં ભારત પોતાની આઝાદીના 100 વર્ષ પૂર્ણ કરશે ત્યારે તે સમયનું ખાસ બજેટ રજૂ કરશે. તેમણે કહ્યું કે આવતા નાણાંકીય વર્ષમાં વિકાસ દર 9.2 ટકા રહેવાનું અનુમાન છે. સ્વાસ્થ્યના માળખાને મજબૂત કરવાની કોશિશ કરવામાં આવી રહી છે.
નિર્મલા સીતારમણનું બજેટ ભાષણ શરૂ
નિર્મલા સીતારમણનું બજેટ ભાષણ શરૂ થઈ ગયું છે. કોરોના મહામારીનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે અમને આશા છે કે ભારત તેની વિકાસ યાત્રા ચાલુ રાખશે.
We are in the midst of the Omicron wave, the speed of our vaccination campaign has helped greatly. I am confident that ‘Sabka Prayaas’, we'll continue with strong growth: FM Sitharaman#Budget2022pic.twitter.com/iWR95SnQWJ
બજેટ 2022 સંસદમાં વાંચવાની શરુઆત થઇ ગઇ છે. બજેટ પર મોદી કેબિનેટે મહોર મારી દીધી છે. આ તેમનું ચોથું બજેટ છે અને આ વખતે પણ બજેટ પેપરલેસ સ્વરૂપે રજૂ કરવામાં આવી રહ્યું છે.
સંસદભવનમાં કેબિનેટની બેઠક સમાપ્ત, 11 વાગ્યે લોકસભામાં બજેટ રજૂ થશે
બજેટની મંજૂરી માટે કેબિનેટની બેઠક સંસદ ભવનમાં બેઠક સમાપ્ત થઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં દેશના સામાન્ય બજેટ પર મંજૂરીની મહોર લગાવવામાં આવી હતી. હવે 11 વાગ્યે નાણામંત્રી લોકસભામાં ગૃહના ટેબલ પર બજેટ રજૂ કરશે અને બજેટ રજૂ કરશે.
Union Cabinet approves the #Budget2022; the meeting underway at the Parliament has now concluded. Union Finance Minister Nirmala Sitharaman will present the Budget shortly. pic.twitter.com/jpHptTfhz0
સંસદમાં બજેટ સત્રમાં સામાન્ય બજેટ રજૂ કરતા પહેલા નાણામંત્રી નિર્મલા સિતારમણે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરી હતી.
Union Finance Minister Nirmala Sitharaman along with Ministers of State for Finance, Dr Bhagwat Kishanrao Karad, Shri Pankaj Chaudhary, and senior officials of the Ministry of Finance, called on President Ram Nath Kovind before presenting the Union Budget 2022-23. pic.twitter.com/7JNZt3rOPj
બજેટના દિવસે શેર બજારની શરૂઆત લીલા નિશાન સાથે થઈ છે. BSE નો સેન્સેક્સ 550 પોઈન્ટ ઉપર ઉછાળો આવ્યો છે. નિફ્ટી 17,500ની નજીક ખુલ્યો હતો. બજેટના એક દિવસ પહેલા ઈકોનોમિક સર્વે 2022થી બજારમાં જોશ દેખાયો હતો. બેંચમાર્ક ઈંડેક્સ સેન્સેક્સ અને નિફ્ટીમાં 1.4 ટકા વધારે ઉછાળો આવ્યો છે. બજેટના પ્રથમ સેશનની રેલીમાં રોકાણકારોને લગભગ 4 લાખ કરોડ રૂપિયા કમાઈ લીધા છે. ઈકોનોમિક સર્વેમાં આવતા નાણાકીય વર્ષમાં GDP વિકાસ દરર 8-8.5 ટકા અને 2021-22માં 9.2 ટકા રહેવાની આશા છે. આ રિપોર્ટ બાદ બજારમાાં સેંટીમેટ અને મજબૂત થયું. હાલમાં છેલ્લા 10થી 12 વર્ષના આંકડા એ જ કહે છે કે, બજેટ ડે પર બજાર મજબૂત રહે છે.