નદીઓનું પાણી દરિયામાં જતું અટકાવવા દમણ-ગંગા સાથે તાપી અને નર્મદાને જોડવામાં આવશે
ગુજરાતમાં પાણીની અછત બનશે ભૂતકાળ
તાપી અને નર્મદા નદી જોડવાની ઘોષણા
7 મોટી નદીઓ નવપલ્લવિત થવાની શક્યતા
સામાન્ય બજેટ પર લોકોની જે આશા અપેક્ષા હતી પણ આજે રજૂ કરેલા બજેટમાં મોટી જાહેરાત થઈ નથી.નાણા મંત્રી નિર્મલા સીતારમણે ગુજરાત માટે એક મહત્વની જાહેરાત કરી છે. દમણ-ગંગા સાથે તાપી અને નર્મદા નદી જોડવાની સરકારે નિર્ણય કર્યો છે.આ નિર્ણયથી આ નદીઓની આસપાસ આવતી અન્ય સાત મોટી નદીઓ પણ પાણીથી છલકાઈ જશે.નર્મદા અને દમણગંગા નદી બારેમાસ પાણીથી તરબોડ રહે છે પણ ઘણી સહાયક નદીઓમાં ચોમાસા બાદ પાણી મળતું નથી. હવે સરકારની જાહેરાતથી ગુજરાતમાં પાણીની અછત નેસ્તનાબૂદ થઇ જશે.
અટલ બિહારી વાજયેપીનું સપનું સાકાર થશે
દક્ષિણ અને મધ્ય ગુજરાતનો 29% જેટલા વિસ્તારમાં જરૂરિયાત કરતાં પણ વધારે પાણી છે. તેની સામે ગુજરાતમાં માત્ર 2% પાણી જ પીવાલાયક ઉપલબ્ધ છે. અને દેશની 5% વસ્તી ગુજરાતમાં રહે છે. સરકારે આજે બજેટમાં કરેલી જાહેરાતથી ઉપરોક્ત એકી જગ્યાએ સમાયેલો પાણી જથ્થો નદીઓના જોડાણથી સપ્રમાણમાં વહેંચણી કરી શકાશે. જેથી શહેર તરફ વધતો ગ્રામજનોનો ધસારો ઑછો થઇ જશે.આ સાથે જ પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજયેપીનું નદીઓ જોડવાનું સપનું પૂરું થશે તેમજ ગુજરાતમાં પાણીની અછત ભૂતકાળ બની જશે. આ પ્રોજેક્ટથી 1350 MLD પાણીની બચત થશે. તેમજ નદીઓનાં આ જોડાણથી મોટુ્ં વોટર ટ્રાન્સપોર્ટેશન શક્ય બનશે.
શું છે આયોજન?
દમણગંગા, પાર, તાપી અને માર્ગમાં આવતી અન્ય નદીઓનાં દર વર્ષે દરિયામાં વગર કામના વેડફાઇ જતાં વધારાના પાણીનો યોગ્ય ઉપયોગ થશે. દ્વિપકલ્પીય લીંક કેનાલનાં આયોજનમાં પાર-તાપી-નર્મદા તેમજ મહારાષ્ટ્રને લાભદાયી દમણગંગા-પીજંલ લીંક કેનાલનો સમાવેશ થાય છે.402 કિલોમીટર લંબાઈ ધરાવતી પાર-તાપી-નર્મદા લીંક 1350 મીલીયન ધન મીટર વધારાના પાણી નર્મદા યોજનાનાં કમાંન્ડ વિસ્તાર સુધી લઈ જવાનું આયોજન છે.