મહામારી બાદ વર્ષ 2021ના બજેટની રજૂઆત, આત્મ નિર્ભર બજેટ પર દુનિયાભરની નજર
કોરોના પછી પ્રથમ બજેટની રજૂઆત
દેશભરના લોકોની બજેટ 2021 પર છે નજર
બજેટ 2021ને આત્મ નિર્ભર બજેટ તરીકે ઓળખાવ્યું
ભારતની સંસદમાં બજેટ 2021ની રજૂઆત થઈ રહી છે. દેશના નાંણા પ્રધાન નિર્મલા સિતારમણ કોરોના પછીનું પહેલું બજેટ રજૂ કરી રહ્યા છે. આ એક એવો સમય છે. જ્યારે દેશમાં જીડીપી સતત બે વખત નીચે રહી છે. જો કે વૈશ્વિક અર્થતંત્રમાં પણ આવું થયું છે. ત્યારે વર્ષ 2021 એક ઐતિહાસીક વર્ષ તરીકે રજૂ થઈ રહ્યું છે. જેને લઈ તમામ લોકોની નજર તેના પર છે. મુશ્કેલીના સમયમાં પણ મોદી સરકારનો લક્ષ્ય ખેડૂતોની આવક વધારવાનો છે.
બજેટમાં ખેડૂતો માટે મોદી સરકારની નવી જાહેરાત
નાણા મંત્રી તરફથી કહેવામાં આવ્યું કે યૂપીએ સરકાર અંદાજે ત્રણ ગણી રકમ મોદી સરકારે ખેડૂતોના ખાતામાં પહોંચાડી છે. નાણા મંત્રીએ કહ્યું કે મોદી સરકાર તરફથી દરેક સેકટરમાં ખેડૂતોને મદદ કરવામાં આવી, દાળ, ઘઉ, ધાન સહિત અન્ય પાકમાં MSP વધારવામાં આવી છે.
બજેટમાં જમ્મુ-કાશ્મીરમાં પણ ગેસ પાઈપલાઈનની યોજનાનું પણ જાહેરાત કરાઈ છે. ઉજ્જવલા યોજના હેઠળ એક કરોડ નવા લાભાર્થીઓને જોડવાનો લક્ષ્યાંક છે. અત્યાર સુધી 8 કરોડ લોકોને આ મદદ આપવામાં આવી છે. જે માટે જમ્મુ કાશ્મીરને પણ આ વખતે આવરી લેવાયું છે.
વીજળી ક્ષેત્રે બજેટમાં આ છે જાહેરાત, PPP પદ્ધતિનો ઉપયોગ કરાશે
એનર્જી એટલે વીજળી ક્ષેત્રે પણ આ વખતે બજેટમાં નિર્મલા સીતારમણે મહત્વની જાહેરાત કરી છે. સરકાર તરફથી 3 લાખ કરોડ રૂપિયાથી વધારાની યોજનાઓ લોન્ચ કરવામાં આવી રહી છે. આ બજેટથી દેશભરમાં વીજળી સાથે જોડાયેલા ક્ષેત્રમાં ઈન્ફ્રાસ્ટ્રકચરને મજબૂત કરવામાં આવશે. સરકાર હાઈડ્રોજન પ્લાન્ટ બનાવવાની પણ જાહેરાત કરી છે. વીજળી ક્ષેત્રમાં PPP મોડલનો પ્રોજેક્ટ રજૂ કરશે.
ભારતમાં મર્ચટ શિપ્સને વેગ આપવા માટે કામગીરી કરાશે
ભારતમાં મર્ચટ શિપ્સને વેગ આપવા માટે કામગીરી કરાશે. શરૂઆતમાં 1624 કરોડ રૂપિયાની ફાળવણી કરાશે. આ સાથે ગુજરાતમાં હાજર પ્લાન્ટ દ્વારા શિપને રિસાઈકલ કરવાનું કામ કરાશે.
બજેટમાં આરોગ્ય ક્ષેત્રે સરકારની મહત્વની જાહેરાત
બજેટની શરૂઆતમાં જ નિર્મલા સિતારમણે ખેડૂતની આવક બમણી કરવાના ધ્યેયની રજૂઆત કરી છે. તો સાથે નિર્મલા સીતારમણે પોતાના બજેટમાં સ્વસ્થ ભારત યોજનાની પણ જાહેરાત કરી છે. જેના માટે સરકાર તરફથી 64,180 કરોડની ફાળવણી કરવામાં આવી છે. આરોગ્ય ક્ષેત્ર માટે બજેટમાં રકમ વધારવામાં આવી છે. આરોગ્ય ક્ષેત્રના બજેટમાં ગત વખત કરતા 138 ટકાનો વધારો કરાયો છે. આ સાથે ભારત સરકારે WHOના સ્થાનિક મિશનને પણ ભારતમાં લોન્ચ કર્યું છે. બીજી તરફ2270 કરોડ પ્રદૂષણ નિવારણ કાર્યક્રમ માટેની બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે.
પ્રદૂષણ અને જૂના વાહનોને લગતી સરકાર દ્વારા જાહેર પોલિસી
બજેટની રજૂઆતમાં જૂના વાહનોની સ્ક્રેપની પોલીસી પણ રજૂ કરવામાં આવી છે. જે અંતર્ગત જૂની કારને સ્ક્રેપ કરવાની વાત પણ કરવામાં આવે છે. પી.એમ આત્મનિર્ભર યોજના લાગુ કરવાની પણ રજૂઆત કરાઈ છે. પ્રદૂષણ કંટ્રોલને લઈ પણ ખાસ પોલીસીની રજૂઆત કરવામાં આવી છે.
બજેટમાં જાણો શું શું છે મહત્વની જાહેરાત?
જમ્મુ કાશ્મીરમાં ગેસ પાઇપલાઇન યોજના માટે એલાન
ઉજ્જવલા યોજના હેઠળ 1 કરોડ લાભાર્થીઓને જોડાશે
યુવાનો માટે કેન્દ્ર સરકારી મહત્વની જાહેરાત, 1.50 યુવાનોને દર વર્ષે મળશે નોકરી
રાષ્ટ્રીય રેલવે યોજનાઃ કુલ 1.10 લાખ કરોડ રૂપિયાનું બજેટ રેલવેને અપાયું
મેટ્રો-સિટી બસ માટે 18 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરાશે
કોચ્ચિ, બેંગલુરૂ, ચેન્નઈ, નાગપુર, નાસિકમાં મેટ્રો પ્રોજેક્ટને આગળ વધારાશે
શહેરી બસ સેવા માટે 18 હજાર કરોડની ફાળવણી
1100 કિમી કેરલ નેશનલ હાઈવે, મુંબઈ કન્યા કુમારી નેશનલ હાઈવેમાં સમાવેશ
25 હજાર કરોડના ખર્ચે કોલકત્તા-સિલિગુડી રોડ રિપેર કરાશે
માર્ગ અને પરિવહન મંત્રાલય માટે 1.18 લાખ કરોડની ફાળવણી
તામિલનાડુમાં ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત 3500 કિલોમીટરના નવા નેશનલ હાઇવે બનશે
આગામી પાંચ વર્ષમાં 2 હજાર કરોડ રુપિા ક્લિન એર પર ખર્ચ કરાશે.
શહેરી સ્વચ્છ ભારત મિશન 2.0 પર એક લાખ 41 હજાર કરોડ રુપિયા ખર્ચ કરાશે.
3 વર્ષમાં 7 ટેક્સટાઇલ પાર્ક બનાવાશે
પોષણ પર ફોકસ કરવામાં આવશે, ન્યુટ્રીશન 112 અસ્પરેશનલ જિલ્લામાં તેનાં પર ખાસ ધ્યાન અપાશે.
જળ જીવન મિશન (અર્બન) લોન્ચ કરવામાં આવશે.
વેક્સિનેસન માટે 35 હજાર કરોડ ફાળવાયા
સ્વાસ્થ્ય માટે 2.23 લાખ કરોડ ફાળવાયા, 138 ટકાનો વધારો કરાયો
32 એરપોર્ટ પણ બનાવવામાં આવશે
મિશન પોષણ 2.0 લોન્ચ કરીશું
અર્બન જલજીવન મિશન પર 2.97 લાખ કરોડ ખર્ચ કરીશું