પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય બજેટની જાહેરાત બાદ પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું કે બજેટમાં આત્મનિર્ભરતાનું વિઝન જોવા મળ્યું.
બજેટ 2021ની રજૂઆત બાદ PM મોદીનું સંબોધન
મુશ્કેલ પરિસ્થિતિઓમાં બજેટ રજૂ કર્યું છે
સરકાર પોતાની જવાબદારી નિભાવી રહી છે: PM
નાણા પ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા 2021ના બજેટની રજૂઆત બાદ PM મોદીએ પોતાનું સંબોધન કર્યું હતું. બજેટ અંગે કહ્યું કે, મુશ્કેલ પરિસ્થિતિઓમાં બજેટ રજૂ કર્યું છે, કોરોનાથી દુનિયા પ્રભાવિત થઈ છે. ત્યારે ચાલુ વર્ષે બજેટમાં દેશના દરેક નાગરિકોનો સમાવેશ થાય તેનું ધ્યાન રાખવામાં આવ્યું છે.
PM નરેન્દ્ર મોદીએ બજેટને આવકાર્યું
PM નરેન્દ્ર મોદીએ બજેટને આવકારતા જણાવ્યું હતું કે, સામાન્ય જનતાઓ માટેનું બજેટ છે. સરકાર પોતાની જવાબદારી નિભાવી રહી છે, બજેટ નિયમો અને પ્રક્રિયાઓને સરળ બનાવશે, ઇઝ ઓફ લિવિંગને પ્રોત્સાહન આપતું બજેટ છે.
આ પ્રકારના બજેટ બહુ ઓછા જોવા મળતા હોય છે: PM
PMએ કહ્યું કે, આ બજેટ નવા ભારતના આત્મવિશ્વાસને ઉજાગર કરનારું છે. આ બજેટથી દેશના ઈન્ફ્રરાસ્ટ્રકચરમાં મોટો ફેરફાર આવશે. આ સાથે યુવાનો માટે પણ નવી તક લઈ આવશે. આ પ્રકારના બજેટ બહુ ઓછા જોવા મળે છે. જેમની શરૂઆતમાં જ સારા પ્રતિભાવ આવતા હોય છે. વડાપ્રધાને કહ્યું કે, અનેક મુશ્કેલીઓ વચ્ચે અમારી સરકારે બજેટને ટ્રાન્સપરન્ટ બનાવવાની કોશિશ કરાઈ છે. અને ભારત કોરોના કાળમાં પણ પ્રો-એક્ટિવ રહ્યું છે.