કોરોના મહામારી બાદ દેશમાં બગડેલી અર્થવ્યવસ્થાના કારણે આ વર્ષે બજેટમાં સરકાર સામાન્ય માણસને માટે મોટો ઝટકો આપી શકે છે. સરકાર તેનાથી બહાર આવવા માટે ખાસ કોરોના ટેક્સ લગાવી શકે છે.
Budget 2021નું બજેટ હશે ખાસ
સામાન્ય માણસને લાગી શકે છે મોટો ઝટકો
સરકાર લગાવી શકે છે ખાસ કોરોના ટેક્સ
સરકાર કોરોના મહામારીના કારણે વધારાના ખર્ચને માટે નવા ટેક્સ લગાવવાનું વિચારી રહી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર કેન્દ્ર સરકારે કેટલાક ખાસ નિર્ણયો લીધા છે. 1 ફેબ્રુઆરીના બજેટમાં તેની જાહેરાત થઈ શકે છે. ઈન્ડસ્ટ્રીના પ્રતિનિધિઓએ પોતાની સિફારિશમાં કહ્યું છે કે કોઈ નવો ટેક્સ લગાવવામાં ન આવે કારણ કે અર્થવ્યવસ્થા પહેલાથી ખરાબ સ્થિતિમાં છે. એક્સપર્ટ્સે મહામારીને લઈને ઉપકરની વિચારનો પણ વિરોધ કર્યો છે અને કહ્યું છે કે આ યોગ્ય સમય નથી.
સૂત્રોઃ આ બાબતોમાં જોડાઈ શકે છે ટેક્સ
ઉપકરના પ્રસ્તાવ પર પણ ચર્ચા કરાઈ છે. પ્રારંભિક ચર્ચા ઉચ્ચ આવક અને કેટલાક અપ્રત્યક્ષ ટેક્સ પરના નાના ઉપકર લગાવવા પર કેન્દ્રિત કરાઈ રહી છે. એક અન્ય પ્રસ્તાવ પેટ્રોલિયમ અને ડીઝલ પર કે સીમા શુલ્ક પર ઉત્પાદક શુલ્કને જોડવા માટે છે. વસ્તુ અને સેવા કર જીએસટી કાઉન્સિલ દ્વારા પ્રશાસિત કરી શકાય છે અને અન્ય કેન્દ્ર પર એકતરફનો ઉપકર લાગશે નહીં. પ્રકાશનના અનુસાર વેક્સીન રોલઆઉટ પર લોજિસ્ટિક સહિત 60000-65000 કરોડ રૂપિયાના ખર્ચનું અનુમાન છે.
આવો છે સરકારનો પ્લાન
કેન્દ્ર સરકાર કોરોનાની વેક્સિન કાર્યક્રમનો ખર્ચ વહન કરી રહી છે જે 16 જાન્યુઆરીથી શરૂ થઈ રહ્યું છે. મળતી માહિતી અનુસાર આવનારા નાણાંકીય વર્ષમાં બુનિયાદી સ્થિતિ પર અતિરિક્ત ખર્ચ કરી શકાય છે. ગ્રામીણ અર્થવ્યવસ્થા અને આત્મનિર્ભર ભારત રોજગાર યોજનાને આગળ વધારી શકે છે. સરકાર ટેક્સ વધારવાના બદલે જલ્દીથી ધન ઉત્પન્ન કરવા માટે ઉપકર લગાવવા ઈચ્છે છે. કેન્દ્રીય ઉપકર કલેક્શન રાજ્યોની સાથ શેર કરી શકાતા નથી.
અનેક રાજ્યોએ લગાવ્યો છે વધારાનો ઉપકર
આ પહેલાં કોરોના મહામારી ફેલાવવાના કારણે ધનની અછત રહી છે. તેના કારણે અનેક રાજ્યોએ પોતાના કર પર એક ઉપકર લગાવ્યો હતો જેથી તરત જ ધન ભેગું કરી શકાય. ઉલ્લેખ છે કે જીએસટી રાજ્યોને માટે રાદસ્વથી સૌથી મોટો સ્ત્રોત છે. ઝારખંડના ખનીજ પર કોરોના ઉપકર લગાવ્યો જ્યારે પંજાબે દારૂ પર વધારે ટેક્સ લગાવ્યો છે. દિલ્હીએ દારૂ પર 70 ટકા કોરોના સેસ લગાવ્યો જેને જૂનમાં પાછો લઈ લેવાયો હતો તેથી વેટ વધારી દેવાયો છે.
એક સચ્ચાઈ એ પણ છે કે આબાદીનો એક મોટો હિસ્સો, વિશેષ રીતે એમએસએમઈ અને વ્યક્તિગત ટેક્સપેયર્સ પર પ્રતિકૂળ પ્રભાવ પડ્યો છે અને અનેક પરિવાર નોકરીના નુકસાન અને વેતન કટોતીના કારણે નાણાકીય રૂપથી સંઘર્ષ કરી રહ્યા છે અને ટેક્સ દરો પર યથા સ્થિતિ બનાવી રાખવું જરૂરી છે.