દેશની આર્થિક સ્થિતિ મુદ્દે આજે PM નરેન્દ્ર મોદીએ બેઠક બોલાવી છે. તેઓ દિલ્હીમાં નીતિઆયોગના અર્થશાસ્ત્રીઓ સાથે આજે બેઠક થશે. બજેટ પૂર્વે આ બેઠકમાં દેશની અર્થવ્યવસ્થા અને GDP ગ્રોથ અંગે ચર્ચા કરશે. આ સાથે જ હાલની આર્થિક સ્થિતિ મુદ્દે પણ ચર્ચા વિચારણા કરવામાં આવશે.
બજેટ પૂર્વે PMની અર્થશાસ્ત્રીઓ સાથે બેઠક
GDP ગ્રોથ મુદ્દે થશે ચર્ચા
આર્થિક સ્થિતિ મુદ્દે પણ થશે ચર્ચા
નીતિ આયોગને લઈને PM મોદીની આજે ખાસ બેઠક અર્થશાસ્ત્રીઓ સાથે થવાની છે. આ બેઠકમાં નીતિ આયોગના ઉપાધ્યક્ષ રાજીવ કુમાર, મુખ્ય કાર્યકારી અધિકારી અમિતાભ કાંત અને અન્ય સીનિયર અધિકારી પણ ભાગ લેશે. દેશની અર્થવ્યવસ્થા અને આગામી બજેટને ધ્યાનમાં રાખીને આ બેઠક મહત્વની માનવામાં આવી રહી છે.
બજેટ સત્ર 31 જાન્યુઆરીથી
સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરીથી શરૂ થઈને 3 એપ્રિલ સુધી ચાલશે. આ સમયે એક ફેબ્રુઆરીએ નાણાંકીય વર્ષ 2020-21નું સામાન્ય બજેટ રજૂ કરવામાં આવશે. મળતી માહિતી અનુસાર સંસદીય બાબતોના મંત્રીમંડળની સમિતિએ સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરીથી 3 એપ્રિલ સુધી અને બે ચરણમાં રાખવાનો પ્રસ્તાવ રાખ્યો છે.
આ રીતે રહેશે બજેટના સત્ર
બજેટ સત્રનું પહેલું ચરણ 31 જાન્યુઆરીથી 11 ફેબ્રુઆરી સુધી અને બીજું ચરણ 2 માર્ચથી 3 એપ્રિલ સુધી ચાલશે. બજેટ સત્રની વચ્ચે એક મહિનાનો અવકાશ રાખવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે નાણામંત્રી નિર્મલા સીતારમણ મોદી સરકારના બીજા કાર્યકાળનું બીજું બજેટ રજૂ કરશે.
બજેટને લઈને માંગ્યા છે પ્રસ્તાવ
PM મોદીએ સામાન્ય બજેટને લઈને સામાન્ય લોકો પાસે પ્રસ્તાવ માંગ્યા છે. બુધવારે PM મોદીએ લખ્યું કે કેન્દ્રીય બજેટ 130 કરોડ ભારતીયોની આશા, આકાંક્ષાઓનું પ્રતિનિધિત્વ કરે છે અને સાથે ભારતને વિકાસની દિશામાં આગળ વધે છે. હું તમને દરેકને આ વર્ષના બજેટને માટે પોતાના વિચારો અને પ્રસ્તાવને મોકલવાનું આમંત્રણ આપું છું. જો તમે PM મોદીને બજેટ માટે પ્રસ્તાવ આપો છો તો MyGov પર વિઝિટ કરવાનું રહેશે.
આર્થિક મંદીના સમયે બજેટ મહત્વનું
આર્થિક મંદીના સમયમાં આ બજેટ મહત્વનું માનવામાં આવી રહ્યું છે. વિશ્લેષકોને આશા છે કે અર્થવ્યવસ્થામાં ચાલી રહેલી મંદીને આધારે સરકાર આ બજેટમાં અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા માટે ઉપાયોની જાહેરાત કરે છે. ઉલ્લેખનીય છે કે સરકારે સપ્ટેમ્બર 2019માં સુસ્ત અર્થવ્યવસ્થાને વેગ આપવા માટે કોર્પોરેટ ટેક્સમાં ઘટાડાને લઈને કેટલાક અન્ય ઉપાયોની જાહેરાત કરી હતી.