પગારદારના મધ્ય વર્ગને આકર્ષવા માટે મોદી સરકારે પોતાના છેલ્લા બજેટમાં મોટી જાહેરાતો કરી છે. કાર્યવાહક નાણામંત્રી પીયૂષ ગોયલે પગારદારો માટે ગ્રેચ્યુઇટી પેમેન્ટ પર મોટા લાભની જાહેરાત કરી તો અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોની આર્થિક સુરક્ષા માટે વિશેષ જાહેરાતો કરી. સાથે જે એમને કહ્યું કે હવે કર્મચારીઓને નેશનલ પેન્શન સિસ્ટમમાં સરકાર પોતાની તરફથી 14 ટકા યોગદાન કરશે. જાણો આ સંબંધમાં સરકારની મોટી જાહેરાત...
ગ્રેચ્યુઇટી સીમા 15 હજાર રૂપિયાથી વધારીને 21 હજાર રૂપિયા કરી દેવામાં આવી છે. નોકરી દરમિયાન કોઇ શ્રમિકનું મૃત્યુ થવા પર EPFO થી મળતી સહાયતાની રકમ 2 લાખથી વધારીને 6 લાખ રૂપિયા કરી દેવામાં આવી છે.
25 હજાર સુધીની કમાણી પર ESI કવર 15 હજાર સુધીની આવક ધરાવનાર આશરે 10 કરોડ શ્રમિકને પેન્શનનો લાભ મળશે
મજૂરોના 21000 પગાર પર 7000નું બોનસ મળશે.
સાતમા પગાર પંચની ભલામણને પગલે જલ્દીથી લાગુ કરાશે.
ગોયલ બજેટમાં પેન્શન માટે પણ ખાસ જોગવાઈ 60 વર્ષની ઉંમર બાદ ત્રણ હજાર રૂપિયાનું પેન્શન 15000 મજૂરો માટે પેન્શન 100 રૂપિયા પ્રતિમાસ પર બોનસ ઓછામાં ઓછુ 3 હજાર સુધીનુ પેન્શન અપાશે