બજેટ 2019ને લોકસભામાં રજૂ કરતા નાણાંમંત્રી નિર્મલા સીતારમણે ઇમાનદારીથી ટેક્સ આપનારાઓને ધન્યવાદ પાઠવ્યાં અને કહ્યું કે, દેશનાં જવાબદાર નાગરિક છે. ટેક્સનાં રૂપમાં જેનાં મૂલ્યવાન યોગદાનને કારણ દેશનો વિકાસ થઇ રહ્યો છે. તેઓએ આ વર્ષે ફેબ્રુઆરીમાં પીયૂષ ગોયલ દ્વારા રજૂ કરાયેલ અંતરિમ બજેટમાં 5 લાખની વાર્ષિક ટેક્સેબલ આવકવાળાઓને ટેક્સથી સંપૂર્ણ રીતે રાહત આપવાની જાહેરાતને રજૂ કરી છે.
બજેટ 2019 (Budget 2019) ને લોકસભામાં રજૂ કરતા નાણાંમંત્રી નિર્મલા સીતારમણે (Nirmala Sitharaman) ઇમાનદારીથી ટેક્સ આપનારાઓને ધન્યવાદ પાઠવ્યાં અને કહ્યું કે, દેશનાં જવાબદાર નાગરિક છે. ટેક્સનાં રૂપમાં જેનાં મૂલ્યવાન યોગદાનને કારણ દેશનો વિકાસ થઇ રહ્યો છે. તેઓએ આ વર્ષે ફેબ્રુઆરીમાં પીયૂષ ગોયલ દ્વારા રજૂ કરાયેલ અંતરિમ બજેટમાં 5 લાખની વાર્ષિક ટેક્સેબલ આવકવાળાઓને ટેક્સથી સંપૂર્ણ રીતે રાહત આપવાની જાહેરાતને રજૂ કરી છે. ટેક્સ સ્લેબમાં કોઇ પણ પ્રકારની છેડછાડ નથી કરવામાં આવી.
ઇ-વ્હીકલ્સ ખરીદનારાઓને ઓટો લોન પર ડોઢ લાખ રૂપિયા સુધીનાં વ્યાજ પર ઇન્કમ ટેક્સથી છૂટ મળશે. આ સિવાય, અફોર્ડેબલ હાઉસિંગ સ્કીમ અંતર્ગત ઘર ખરીદવા માટે લોનનાં વ્યાજ પર ડોઢ લાખની વધારાની છૂટ મળશે. એટલે કે હવે 45 લાખ રૂપિયા સુધીનાં ઘર ખરીદવા પર લોનનાં વ્યાજ પર મળનારી કુલ છૂટ હવે 2 લાખથી વધીને 3.5 લાખ થઇ ગઇ છે.
મોદી સરકારે ભલે ટેક્સ સ્લેબ (Income tax slab) નથી બદલ્યો પરંતુ વધારે કમાણી કરનારાઓને ઝટકો આપ્યો છે. હવે 2થી 5 કરોડ રૂપિયા વાર્ષિક કમાનારાઓ પર 3 ટકા વધારે ટેક્સ લાગશે અને આ સાથે જ 5 કરોડ રૂપિયાથી વધારે કમાવા પર 7 ટકા વધારે ટેક્સ આપવાનો રહેશે. આ સિવાય જો કોઇ બેંકથી એક વર્ષમાં એક કરોડથી પણ વધારાની રકમ નિકાળે છે તો તેની પર 2%નો TDS લગાવવામાં આવશે. એટલે કે વાર્ષિક 1 કરોડ રૂપિયાથી વધારે નિકાળવા પર 2 લાખ રૂપિયા ટેક્સમાં જ કપાઇ જશે.
ટેક્સ સાથે જોડાયેલા ફેરફારોઃ
- ડાયરેક્ટ ટેક્સમાં વધારો થયો.
- જે કંપનીઓની વાર્ષિક આવક 250 કરોડ રૂપિયા તેઓએ 25 ટકાનો ટેક્સ આપવો પડતો હતો. હવે આને વધારીને 400 કરોડ રૂપિયા વાર્ષિક કરી દેવામાં આવેલ છે.
- ઇલેક્ટ્રિક વાહનો પર જીએસટી 12 ટકાથી ઓછો કરીને 5 ટકા કરવાનો પ્રસ્તાવ કરવામાં આવ્યો છે.
- સરકાર વિદ્યુત ચાલિત વાહનોને ખરીદવા માટે લોન પર અદા કરવામાં આવેલ વ્યાજ પર 1.5 લાખની વધારાની આવક છૂટ પ્રદાન કરશે.
- સ્ટાર્ટઅપને આપવામાં આવી રાહત. પોતાનાં રિટર્નનાં મામલામાં આવશ્યક જાણકારી આપનારા સ્ટાર્ટ-અપ અને તેનાં દ્વારા જોડવામાં આવેલ નિધિઓનાં સંબંધમાં આયકર વિભાગ તરફથી કોઇ પણ પ્રકારની તપાસ નહીં કરવામાં આવે.
- પાન અને આધારને ટેક્સ ભરવા માટે અંદરોઅંદર બદલી શકાશે. જેની મદદથી તે લોકો પણ ટેક્સ ભરી શકશે કે જેની પાસે પાનકાર્ડ નથી.
- સસ્તા ઘરો માટે વ્યાજ પર મળશે 3.5 લાખની છૂટ.
- ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે અને કેશ બિઝનેસ પેમેન્ટને ઓછો કરવા માટે 1 બેંક એકાઉન્ટથી વર્ષમાં 1 કરોડ સુધી રકમ ન નિકાળવા પર 2 ટકા અને એક કરોડથી અધિક રકમ નિકાળવા પર 2.5 ટકાનો ટેક્સ લાગશે.
- 5 લાખ રૂપિયા સુધીની આવકવાળાઓને કોઇ જ ટેક્સ નહીં આપવાનો રહે.
- જીએસટી પ્રક્રિયાને સરળ કરવામાં આવશે.
- ગોલ્ડ પર ઇમ્પોર્ટ ડ્યૂટી વધારીને 12.5 ટકા કરાઇ. પહેલેથી જ આ 10 ટકા હતી.
- રાજકોષીય નુકસાન 3.4 ટકાથી ઘટાડીને 3.3 ટકા કરવામાં આવ્યો.
- આવકની ઓછામાં ઓછી સીમાને 1.20 લાખથી વધારીને 2.5 લાખ કરી દેવામાં આવી.
- પેટ્રોલ-ડીઝલ પર એક રૂપિયાની એક્સાઇઝ ડ્યૂટી લગાવવામાં આવી.
- 5 કરોડ વાર્ષિકથી ઓછાં ટર્નઓવરવાળા વેપારીઓને ત્રિમાસિક જીએસટી રિટર્ન ફાઇલ કરવાની છે.
- લોનને પ્રોત્સાહન આપવા માટે સાર્વજનિક ક્ષેત્રનાં બેંકોને 70,000 કરોડ રૂપિયાની રકમ આપવામાં આવશે.
- બજેટમાં તમાકુ ઉત્પાદનો અને ક્રૂડ પર ખૂબ ઓછું મૂળ ઉત્પાદન ખર્ચ કરવાનો પ્રસ્તાવ છે.