મોદી સરકારના વચગાળાના બજેટ 2019માં સૌથી મોટી જાહેરાત જેની રાહ જોવાઈ રહી હતી તેની આખરે જાહેરાત થઈ હતી. મોદી સરકારે માસ્ટર સ્ટ્રોક મારીને મધ્યમ વર્ગ માટે આવકવેરાની મર્યાદા 2.5 લાખથી વધારીને 5 લાખ કરાઈ છે. જેનો મતલબ છે કે હવે 5 લાખ સુધી કોઈ પણ ઇન્કમટેક્સ નહીં લાગે. આજ જાહેરાતથી મધ્યમવર્ગના 3 કરોડ લોકોને ફાયદો થશે. પેન્શનરોને પણ ટેક્સમાંથી મુક્તિ આપવાની સરકારે જાહેરાત કરી છે. આ જાહેરાત થતાંની સાથે જ સદનમાં મોદી મોદીના નારાં લાગવા લાગ્યાં હતાં અને પિયૂષ ગોયલે થોડો સમય માટે પોતાનું ભાષણ અટકાવવું પડ્યું હતું.
5-10 લાખની આવક પર 20 ટકા ટેક્સ
10 લાખથી વધુ આવક પર 30 ટકા ટેક્સ
FDના વ્યાજ દરમાં 40 હજાર સુધી કોઇ ટેક્સ નહી
40 હજાર સુધીના બેંક વ્યાજ પર કોઇ ટેક્સ નહી
રોકાણ કરવા પર 6.5 લાખ સુધી કોઈ ટેક્સ નહીં
ખેડૂતોને પણ લ્હાણી
નારાજ ખેડૂતોને રાજી કરવા સરકારનું 75000 કરોડનું પેકેજ
ખેડૂતો માટે બજેટમાં સૌથી મોટી જાહેરાત
કિસાન સમ્માન નિધી યોજનાની સરકારે કરી જાહેરાત
દરેક ખેડૂતના ખાતામાં 6 હજાર રૂપિયા જમા કરશે સરકાર
દર વર્ષે ખેડૂતના ખાતામાં 6 હજાર જમા કરશે સરકાર
ત્રણ હપ્તામાં ખેડૂતના ખાતામાં 6 હજાર રૂપિયા જમા થશે
પહેલો હપ્તો થોડા સમયમાં જ ખેડૂતના ખાતામાં જમા થશે
રૂપિયા 2000 પહેલા હપ્તા પેટે ચૂકવશે સરકાર
દેશના 12 કરોડ ખેડૂતોને મળશે સમ્માન નિધી યોજનાનો લાભ
1 ડિસેમ્બર 2018થી ખેડૂતના ખાતામાં નાણાં જમા કરવાની યોજના લાગૂ
2 હેક્ટર સુધી જમીન ધરાવતા ખેડૂતોને વર્ષે સરકાર આપશે 6000 રૂપિયા
22 પાકના ટેકાના ભાવ કેન્દ્ર સરકારે ડબલ કર્યા
સરકાર કામધેનુ યોજનાની શરૂઆત કરશે
કામધેનુ યોજના માટે સરકાર 750 કરોડ રૂપિયા ખર્ચ કરશે
ગ્રેચ્યુઇટી સીમા 15 હજાર રૂપિયાથી વધારીને 21 હજાર રૂપિયા કરી દેવામાં આવી છે. નોકરી દરમિયાન કોઇ શ્રમિકનું મૃત્યુ થવા પર EPFO થી મળતી સહાયતાની રકમ 2 લાખથી વધારીને 6 લાખ રૂપિયા કરી દેવામાં આવી છે.
25 હજાર સુધીની કમાણી પર ESI કવર 15 હજાર સુધીની આવક ધરાવનાર આશરે 10 કરોડ શ્રમિકને પેન્શનનો લાભ મળશે
મજૂરોના 21000 પગાર પર 7000નું બોનસ મળશે.
સાતમા પગાર પંચની ભલામણને પગલે જલ્દીથી લાગુ કરાશે.
ગોયલ બજેટમાં પેન્શન માટે પણ ખાસ જોગવાઈ 60 વર્ષની ઉંમર બાદ ત્રણ હજાર રૂપિયાનું પેન્શન 15000 મજૂરો માટે પેન્શન 100 રૂપિયા પ્રતિમાસ પર બોનસ ઓછામાં ઓછુ 3 હજાર સુધીનુ પેન્શન અપાશે