સામાન્ય બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે ખેતી, ખેડૂત, મહિલા અને ગામ-ગરીબો પર ભાર મુક્યો છે. જાણો શું મળ્યું?
ગામડુ, ગરીબ અને ખેડૂત સરકારનું કેન્દ્ર બિંદુ છે. જેમાં 2022 સુધીમાં સૌને ઘરનું ઘર અને 2024 સુધીમાં સૌને ઘરે ઘરે પાણી અને ઘરે ઘરે વીજળી પહોંચાડવાનું લક્ષ્ય છે. ત્યારે જુઓ કોને શું મળ્યું?
ખેડૂતોને શું મળ્યું?
અન્નદાતાને ઉર્જાદાતા બનાવવા પર કામ થશે. ખેડૂતોના ઉત્પાદનથી જોડાયેલા કામોમાં ખાનગી આન્ત્રપ્રેન્યોરશિપને પ્રોત્સાહન આપવામાં આવશે.
કૉર્પોરેટિવ દ્વારા ડેરી ઉદ્યોગને પ્રોત્સાહન આપવાનો પ્રસ્તાવ.
ગત 1.5 વર્ષમાં દાળમાં ભારતના ખેડૂતોએ ક્રાંતિ કરી છે.
કૃષિની સંરચનામાં પણ મોટા રોકાણનું લક્ષ્ય.
આગામી 5 વર્ષોમાં 10 હજાર નવા કિસાન સંઘ બનાવવામાં આવશે.
ઝીરો બજેટ ફાર્મિંગ દ્વારા ખેડૂતોની આવક બમણી કરવામાં મદદ મળશે.
કરદાતાઓ માટેની જાહેરાત
2થી 5 કરોડ રૂપિયા સુધીની આવકવાળા લોકો પર લાગશે 3 ટકાનો સરચાર્જ
5 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવકવાળા લોકોને કોઇ ટેક્સ આપવાની જરૂરિયાત નહીં, સ્લેબમાં ફેરફાર નહીં, રોકાણ પર છૂટમાં વધારો.