સંસ્કૃતિ મંત્રાલયની દેખરેખ હેઠળ આજે શનિવારના રોજ આંતરરાષ્ટ્રીય બૌદ્ધ પરિસંઘ (IBC) ધર્મ ચક્ર દિવસ તરીકે અષાઢ પૂર્ણિમા ઉજવશે. આજના દિવસે મહાત્મા બુદ્ધે પોતાના પાંચ શિષ્યોને પ્રથમ ઉપદેશ આપ્યો હતો. આ અવસર પર દુનિયાના બૌદ્ધ દર વર્ષે તેને ધર્મ ચક્ર પ્રવર્તન દિવસ તરીકે માને છે. જ્યારે હિંદુ ધર્મમાં આજના દિવસે ગુરૂ પ્રતિ સન્માન વ્યક્ત કરતા હોય છે અને તેને 'ગુરૂ પૂર્ણિમા' તરીકે પણ ઉજવતા હોય છે. પીએમ મોદીએ આજે ધર્મચક્ર દિવસની ઉજવણીના સંબોધનમાં કહ્યું કે બૌદ્ધ ધર્મે અહિંસા અને શાંતિનો સંદેશ આપ્યો છે.
મહાત્મા બૌદ્ધે પોતાના પાંચ શિષ્યોને આપ્યો હતો પ્રથમ ઉપદેશ
ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીડિયો દ્વારા દેશવાસીઓને સંબોધન કરતાં કહ્યું કે બૌદ્ધ ધર્મ લોકોને આદર આપવાનું શિખવાડે છે. લોકોને આદર આપવો, ગરીબો માટે આદર રાખવો, મહિલાઓને આદર આપવો. શાંતિ અને અહિંસાનો આદર કરવો જોઇએ. એટલા માટે ભગવાન બુદ્ધ દ્વારા આપવામાં આવેલી શીખામણ આજે પણ પ્રાસંગિક છે.
Today the world fights extra-ordinary challenges. To these challenges, lasting solutions can come from the ideals of Lord Buddha. They were relevant in the past. They are relevant in the present. And, they will remain relevant in the future: PM Modi pic.twitter.com/ZsrfjUeZK2
પીએમ મોદીએ કહ્યું કે ગૌતમ બુદ્ધે સારનાથમાં આપેલા પોતાના પ્રથમ ઉપદેશમા અને ત્યારબાદના દિવસોમાં પણ બે વસ્તુઓને લઇના વાત કરી, આશા અને ઉદ્દેશ્ય. બૌદ્ધ ભગવાને આ બંને વચ્ચે મજબૂત લિંક જોઇ, કારણ કે આશાથી જ ઉદ્દેશ્ય ઉભો થાય છે.