કોંગ્રેસ સાથે ગઠબંધન ન કરવું જાણે બુઆ-બબુઆને ભારે પડી ગયું છે. કારણ કે, કોંગ્રેસે ઉત્તર પ્રદેશની બેઠકો પર એવા ઉમેદવારોને ટિકિટ આપી છે. જેણે બુઆ-બબુઆનું ગણિત વેરવિખેર કરી નાખ્યું છે. ત્યારે શું છે કોંગ્રેસની રણનીતિ જેણે સપા-બસપાની વધારી દીધી છે.
દિલ્હી: કોંગ્રેસ સાથે ગઠબંધન ન કરવું જાણે બુઆ-બબુઆને ભારે પડી ગયું છે. કારણ કે, કોંગ્રેસે ઉત્તર પ્રદેશની બેઠકો પર એવા ઉમેદવારોને ટિકિટ આપી છે. જેણે બુઆ-બબુઆનું ગણિત વેરવિખેર કરી નાખ્યું છે. ત્યારે શું છે કોંગ્રેસની રણનીતિ જેણે સપા-બસપાની વધારી દીધી છે.
ઉત્તર પ્રદેશની પેટાચૂટણીઓમાં જીત થતા જ જાણે સપા-બસપામાં એક નવો જ પાવર આવી ગયો કે બસ બંને સાથે મળી જાય તો લોકસભામાં અન્ય કોઈ રાજકીય પક્ષની જરૂર જ નથી. કોંગ્રેસના મહાગઠબંધન સાથે જોડાવાની કોઈ જરૂર નહીં પડે.
પરંતુ કોંગ્રેસના માત્ર એક દાવથી જ સપા-બસપા જાણે હલબલી ઊઠ્યું છે. કારણ કે, કોંગ્રેસે યુપીની એવી 7 સીટો પરથી મુસ્લિમ ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે. જ્યાં મુસ્લિમ મતદારો એસપી, બીએસપી, અને આરએલડીને નુકસાન પહોંચાડી શકે છે.
જોકે કોંગ્રેસે પોતાના ઉમેદવાર ઉતારતા જ રાજકીય વાતાવરણ પણ ગરમાયું છે. એવા આરોપ પણ લગાવવામાં આવી રહ્યા છે કે, કોંગ્રેસ ભાજપ વિરુદ્ધ ભલે ચૂંટણી લડવાનો દાવો કરે છે. પરંતુ આ માત્ર ગઠબંધનથી છુટકારો મેળવવાનો એક માત્ર એજંડા છે. આ સાત સીટોમાંથી સહારનપુર અને ખીરી બે સીટો પર કોંગ્રેસને સારા પ્રદર્શનની આશા છે.
જોકે જે સીટો પર મુસ્લિમ ઉમેદવાર ઉતારવા પર વિવાદ થઈ રહ્યો છે. તેમાં બદાયૂ પણ સામેલ છે. જ્યાં કોંગ્રેસે સલીમ શેખવાનીને અખિલેશ યાદવના ભત્રીજા ધર્મેશ યાદવ વિરુદ્ધ મેદાનમાં આતાર્યા છે. આ બેઠક પર અંદાજીત 18 લાખ જેટલા મતદારો છે. જેમાં 15 ટકા મુસ્લિમ અને 30 ટકા યાદવ છે. એટલે કે આ બેઠક પર મુસ્લિમ મતો કોંગ્રેસ તરફી રહી શકે છે.
બીજી તરફ માયાવતીના નજીકના પૂર્વ બીએસપી નેતા નસીમુદ્દીન સિદ્દીકીને પણ ગઠબંધન મોટા નુકસાનના રૂપમાં જોઈ રહ્યું છે. આમ કોંગ્રેસના આ સાત ઉમેદવારોએ બુઆ-બબુઆને દોડતા કરી મુક્યા છે અને ક્યાંકને ક્યાંક તેની રણનીતિ પર જાણે તરાપ મારી છે. પરંતુ નુકસાન તો અહીં તમામ પક્ષોને છે. જેનો ફાયદો ભાજપને પણ થઈ શકે છે. ત્યારે જોવું રહ્યું કે, ચૂંટણી યોજાતા પહેલા તેમાં કોઈ ફેરફાર થાય છે કે, પછી સપા-બસપા પર કોંગ્રેસ ભારે પડે છે તે જોવું રહ્યું.