વિધાનસભા ની ચૂંટણી 2022 ડિસેમ્બર માં યોજાશે જેની તમામ રાજકીય પાર્ટીઓ જીતમાટે જોરશોર થી પ્રચારો શરૂ કરી દીધા છે ત્યારે ભાજપ સરકારી હોય કે પક્ષના કાર્યક્રમો માં પ્રચાર કરે છે જયારે કોંગ્રેસ પણ હાલ જાગી છે અને ચૂંટણી માટે અત્યારથી સોગઠાં ગોઠવવાના શરૂ કરી દીધા છે.BTPના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાજેશ વસાવાએ આજે કોંગ્રેસનો હાથ પકડ્યો છે.રાજેશ વસાવા ગુજરાત આદિવાસી સમાજના દિગ્ગજ નેતા ગણાય છે. કોંગ્રેસે ભેળવી તેમને સીધું જ આદિવાસી વોટ પોતાના તરફ કરવા નિશાન તાક્યું છે.
ડેડીયાપાડા વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટના કમીટમેન્ટ સાથે જોડાયા
રઘુ શર્માની હાજરીમાં રાજેશ વસાવાએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો કર્યો હતો. મહત્વનું છે કે બીટીપીના રાષ્ટ્રીય ઉપપ્રમુખ તરીકે અને BTP પાર્ટીના અધ્યક્ષ છોટુ વસાવાના અંગત માણસોમાંના એક તરીકે રાજેશ વસાવાનું નામ હતું પણ તેઓ ડેડીયાપાડા વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડવા ઈચ્છુક હતા પણ હાલ બીટીપી તરફથી ડેડીયાપાડા ધારાસભ્ય મહેશ વસાવાએ બેઠક પર પોતાનો અડિંગો જમાવીને બેઠા છે. ત્યારે આદિવાસી નેતા રાજેશ વસાવાએ રાજકિય હિત સિદ્ધ કરવા ડેડીયાપાડા વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટના કમીટમેન્ટ સાથે જોડાયા કોંગ્રેસમાં પગરવ માંડી દીધા છે.
12 વર્ષથી રાજેશ વસાવા આદિવાસીઓના અધિકાર લડી રહ્યા છે: કોંગ્રેસ પ્રભારી ડો. રઘુ શર્મા
ગુજરાત કોંગ્રેસ પ્રભારી ડો. રઘુ શર્મા વિધાનસભાની ચુંટણીને લઈ સતત એક્ટિવ જોવા મળી રહ્યા છે. અને 5 રાજ્યોમાં મળેલી હારનું રિપીટેશન ગુજરાતમાં ન થાય તે માટે અત્યારથી પાર્ટીને ફરીથી બેઠી કરવા રાજકીય શતરંજમાં સોગઠાં ગોઠવી રહ્યા છે. પ્રેસ કોન્ફરન્સમાં ગુજરાત કોંગ્રેસ પ્રભારી ડો. રઘુ શર્માએ કહ્યું હતું કે, રાજેશ વસાવા કોંગ્રેસમાં આવ્યા છે. સંવિધાનિક અધિકારો માટે તેઓ કોંગ્રેસમાં જોડાયા છે. છેલ્લા 12 વર્ષથી રાજેશ વસાવા આદિવાસીઓના અધિકાર માટે દિવસ રાત લડી રહ્યા છે શિક્ષિત યુવા નેતા છે જેનો કોંગ્રેસને લાભ મળશે. કોંગ્રેસ જ યોગ્ય પક્ષ છે તેવું તે માનીને કોંગ્રેસનો ખેસ પહેર્યો છે. કોંગ્રેસને તેઓ મજબૂત કરશે તેવી આશા પણ સેવી હતી.
કોંગ્રેસમાં જોડાયા બાદ રાજેશ વસાવાનું નિવેદન
સામાન્ય વ્યક્તિ આદિવાસી સમાજમાંથી આવું છું
આજે હું કોંગ્રેસ પક્ષમાં જોડાયો
આજની સરકાર 20 વર્ષ કરતા વધુ સમયથી સત્તામાં
સરકાર આદિવાસીઓને ઘેટાં બકરા સમજે છે
જંગલ અને જમીન સિવાય અન્ય સમસ્યાઓને લઈને કામ કરવું જરૂરી
જયપાલ મુંડા જે અમારા આદર્શ છે
કોંગ્રેસ પાર્ટીએ આદિવાસીઓ માટે કામ કર્યું છે
તાપી, નર્મદા પ્રોજેકટ સિવાય અન્ય પ્રોજેકટ સામે કામ કરીશ
ચૂંટણી માટે કોઈ કમિટમેન્ટ નથી
ડેડીયાપાડાથી ચૂંટણી લડીશ એવી કોઈ બાબત નથી
પાર્ટી કહેશે તો વિધાનસભાની ચૂંટણી લડીશ
છોટુ વસાવાની BTP પાર્ટીને મોટો ઝટકો, વિધાનસભા ચૂંટણીમાં 100 બેઠકો પર લડવાની દર્શાવી છે તૈયારી
આદિવાસીઓના હક્કો બંધારણીય હક્કો માટે લડતા અને આદિવાસી નેતા ગણાતા છોટુ વસાવા ના નેતૃત્વમાં ભારતીય ટ્રાઇબલ પાર્ટી આવખતે 122 થી વધુ બેઠકો પર ચૂંટણી લડે એવી શક્યતાઓ છે. જેમાં ખાસ કરીને ટ્રાઇબલ પટ્ટી પર પોતાના ઉમેદવારો ઉભા રાખશે જેને લઈને દાહોદ, ગોધરા, છોટાઉદેપુર, પંચમહાલ ના આદિવાસી આગેવાનોની એક મિટિંગ ડેડીયાપાડા ધારાસભ્ય મહેશ વસાવા આ કરી હતી. જેમાં આદિવાસી મુદ્દા પર ખાસ ભાર મૂકી કોંગ્રેસ ભાજપ કે નવું આવનારું આપ આવા અનેક પક્ષો આવશે અને ચૂંટણી પછી નિષ્ક્રિય થઇ જશે પણ 365 દિવસ હોય કે રાત આદિવાસીઓ ના હક્કો માટે છોટુ વસાવા લડતા રહેશે અને લડશે એવી વાત કહી ધારાસભ્ય મહેશ વસાવા એ આગેવાનોને કામે લાગી જવાનું આહવાન કર્યું હતું. આ બાબતે ધારાસભ્ય મહેશ વસાવા એ જણાવ્યું હતું કે અમે આગામી 2022 ની ચૂંટણી માં એકલા હાથે લડીશું 122 થી વધુ અમે ઉમેદવારો BTP ના ચિન્હ પર લડાશે, આખા દેશમાં આદિવાસી બેલ્ટ પર છોટુ વસાવા નું મોટું નામ છે અને લોકો તેમને માને છે એટલે યુ.પી. બિહાર અને ગુજરાત માં જો અમારી ગણતરી પ્રમાણે સીટો આવી તો આદિવાસી અલગ રાજ્ય "ભીલીસ્તાન" ની અમે અલગ માંગણી કરી છે જેના પાર કામ કરી શું, કેમકે ભાજપ કોંગ્રેસ અને આપ કોઈ આદિવાસીઓના હક્કો માટે નથી લડતા નથી અમે સિડ્યુલ 5 અને બંધારણ ની જોગવાઈ પ્રમાણે આદિવાસીઓ ના હક્કો મેળવીને ઝંપીશું કહી પોતાની પાર્ટીની જીત માટેની વાત કરી હતી.