બહુજન સમાજ પાર્ટી (બસપા) સુપ્રીમો માયાવતીએ 2022 ની વિધાનસભાની ચૂંટણી એકલે હાથે લડવાની મોટી જાહેરાત કરી દીધી છે.
બસપા સુપ્રીમો માયાવતીની મોટી જાહેરાત
2022 ની વિધાનસભાની ચૂંટણી એકલે હાથે લડીશું
કોઈની સાથે ગઠબંધન નહીં કરીએ
માયાવતીએ જણાવ્યું કે બહુજન સમાજ પાર્ટી કોઈ પણ બીજી પાર્ટી સાથે કોઈ પણ પ્રકારનું ગઠબંધન નહીં કરે. બસપા પોતાના દમ પર વિધાનસભાની ચૂંટણી લડશે.
BSP won't have any "chunavi samjhauta" (poll agreement) with any party. We'll contest on our own. We're entering into agreement with people of all sections of society to bring them together -this alliance is permanent. Don't intend to enter into alliance with any party: BSP chief pic.twitter.com/ax0dChQOUZ
માયાવતીએ જણાવ્યું કે તાજેતરના ભૂતકાળમાં જે રીતે રેકોર્ડ બ્રેકિંગ રીતે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં દરરોજ વધારો થઈ રહ્યો છે અને દેશમાં જે રીતે ફુગાવો પણ વધ્યો છે તેને લોકો આસાનીથી ભૂલવાના નથી.
People of the state aren't going to easily believe the several poll promises made by Congress party,just like SP. Had Congress fulfilled even 50% of their poll promises they wouldn't have been out of power at the Centre,UP & in most of the states of the nation: BSP chief Mayawati pic.twitter.com/aLEF42pDW2
માયાવતીએ જણાવ્યું કે આગામી થોડા રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે અને હારના ડરે ભાજપે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કર્યો છે પરંતુ ચૂંટણી પછી ભાજપ આની ભરપાઈ કરીને જનતા પાસેથી વ્યાજ સહિત વસૂલ કરી લેશે. લોકોએ આ વાત ધ્યાનમાં રાખીને ચાલવું જોઈએ.
2022 ની વિધાનસભાની ચૂંટણી પહેલા માયાવતીનું મોટું એલાન
એકલે હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરીને માયાવતીએ યુપીની રાજનીતિમાં હલચલ મચાવી દીધી છે. સામાન્ય રીતે ચૂંટણી પહેલા માયાવતી કોઈને કોઈ પાર્ટી સાથે ગઠબંધન કરી લેતા હોય છે પરંતુ પહેલી વાર માયાવતીએ એકલે હાથે વિધાનસભાની ચૂંટણી લડવાની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા છે. યુપીમાં 2022 ની શરુઆતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.
ભાજપ-સપા પર નિશાન સાધ્યું
સત્તાધારી ભારતીય જનતા પાર્ટીએ 300 બેઠકોની જીતનો દાવો કર્યો અને મુખ્ય વિપક્ષી સમાજવાદી પાર્ટી (સપા) 400 બેઠકો નો દાવો કરી રહી છે. માયાવતીએ તેના પર કટાક્ષ કર્યો છે. માયાવતીએ ભાજપના ૩૦૦ બેઠકો અને સપાની ૪૦૦ બેઠકોના દાવા પર કટાક્ષ કરતાં કહ્યું હતું કે, ચૂંટણી પંચે ત્યારબાદ કુલ બેઠકો વધારીને ૧૦૦૦ કરવી જોઈએ. તેમણે આ દાવાઓને હવા હવાઈ ગણાવ્યાં.
માયાવતીએ યોગી સાથે કરી પોતાની તુલના કહ્યું, મારે પણ કોઈ પરિવાર નથી
માયાવતીએ યુપી સીએમ યોગી આદિત્યનાથ સાથે પોતાની તુલના કરતા જણાવ્યું કે તેમની જેમ મારો પણ પોતાનો કોઈ પરિવાર નથી.