લોકસભા ચૂંટણીના સાતેય તબક્કાનું મતદાન પૂર્ણ થઇ ચૂક્યું છે. ત્યારે મતદાન પૂર્ણ થતા વિપક્ષી દળોએ હવે સરકાર માટે આંકડા એકઠા કરવાની કવાયત શરૂ કરી દીધી છે.
જો કે આજે માયાવતીની દિલ્હી મુલાકાત રદ કરાઇ છે. આજે માયાવતી સોનિયા ગાંધી સાથે બેઠક નહીં કરે. જો કે આગામી એક-બે દિવસમાં માયાવતી સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી શકે છે. બીજી બાજુ છેલ્લા કેટલાક દિવસથી ચંદ્રબાબુ નાયડુ વિપક્ષી દળોના નેતાઓ સાથે મુલાકાત કરી રહ્યા છે. અગાઉ ચંદ્રબાબુ નાયડુ અખિલેશ-માયાવતી સાથે પણ બેઠક કરી ચૂક્યા છે. ઉપરાંત ગઇકાલે ચંદ્રબાબુ નાયડુએ સોનિયા ગાંધી-રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી.
પહેલા બતાવવામાં આવી રહ્યું હતું કે માયાવતીને રાહુલ અને સોનિયા ગાંધી સાથે મુલાકાત કરશે. લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન કોંગ્રેસ પર માયાવતીના હુમલા બાદ આ મુલાકાતને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. પરંતુ માયાવતીના બસપા પાર્ટીના નેતા સતીશ ચંદ્રે કહ્યું, માયાવતીજીની આજે દિલ્હીમાં કોઇ બેઠક નથી. તે લખનઉમાં રહેશે.
આપને જણાવીએ કે માયાવતીના પ્રચાર દરમિયાન ભાજપ અને કોંગ્રેસ પાર્ટી બંને પર હુમલા કરતા આવ્યા છે. માયાવતી સમાજવાદી પાર્ટી સાથે ગઠબંધન કરી ઉત્તરપ્રદેશમાં ચૂંટણી લડ્યા છે.