કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બસપા અધ્યક્ષ માયાવતી પર એક મોટું નિવેદન આપીને રાજનીતિમાં નવી ચર્ચા જગાવી છે.
અમિત શાહનું માયાવતીની પાર્ટી પર પોઝિટીવ નિવેદન
BSPનું અસ્તિત્વ ખતમ થયું નથી
મુસ્લિમ BSPને વોટ આપશે
યુપી ચૂંટણીમાં અખિલેશની સામે બરાબરનો મોરચો માંડનાર ભાજપના મોટા નેતાઓએ માયાવતીની સામે નરમ વલણ અપનાવ્યું છે. યુપી ચૂંટણીમાં માયાવતીની બસપાની હજુ સુધી કોઈ ખાસ અસર જોવા મળી નથી. બસપા સુપ્રીમો માયાવતી પણ આ વખતની ચૂંટણીમાં આક્રમક દેખાતા નથી. તેથી હવે તેમની પાર્ટીના અસ્તિત્વ પર સવાલ ઉઠવા લાગ્યાં છે. હવે અમિત શાહે માયાવતીને લઈને એક મોટું નિવેદન આપ્યું છે. માયાવતીએ કહ્યું કે માયાવતીએ પોતાની પ્રાસંગિકતા ગુમાવી નથી. તેમણે કહ્યું કે આ વખતની ચૂંટણીમાં જાટવ વોટ બસપાની સાથે રહેશે.
ઘણી બેઠકો પર મુસ્લિમો માયાવતીને વોટ આપશે
અમિત શાહે કહ્યું કે બસપાએ પોતાનું અસ્તિત્વ ગુમાવ્યું નથી. તેમણે કહ્યું કે મને વિશ્વાસ છે કે તેમને વોટ મળશે. મને ખબર નથી કે બસપાને કેટલી સીટ મળશે પરંતુ બસપાને વોટ જરુરથી મળશે. તેમણે કહ્યું કે માયાવતીની જમીની સ્તરે ઘણી પકડ છે. શાહે કહ્યું કે જાટવ વોટ બસપાની સાથે છે. ઘણી બેઠકો પર મુસ્લિમ પણ બસપાને વોટ આપશે. એક વિશેષ મુલાકાતમાં શાહે કહ્યું કે એ વાત સાચી નથી કે માયાવતીનું અસ્તિત્વ ખતમ થયું છે.
ગરીબો અને ખેડૂતોના ધ્રૂવીકરણ-અમિત શાહનો તર્ક
અમિત શાહે કહ્યું કે મને નથી લાગતું કે આ ચૂંટણી મુસ્લિમો, યાદવો કે હિંદુઓને લઈને છએ. વોટિંગ પેટર્નને ધ્રૂવીકરણ ન કહી શકાય. શાહનો એવો તર્ક છે કે ગરીબો અને ખેડૂતોના ધ્રૂવીકરણ કરાઈ રહ્યું છે.
યોગી આદિત્યનાથે પણ માયાવતીની સામે આક્રમક વલણ દાખવ્યું નથી
ઉલ્લેખનીય છે કે અમિત શાહ પહેલા પણ ભાજપના મોટા નેતાઓએ માયાવતીને લઈને પોઝિટીવ નિવેદન આપ્યાં છે. યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે માયાવતીની પાર્ટીની સામે આક્રમક વલણ દાખવ્યું નથી. યોગીએ કહ્યું હતું કે અમારુ કોઈ પાર્ટી સાથે ગઠબંધન નથી. કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીની જેમ બસપા પણ એક ભાજપની એક મજબુત હરીફ પાર્ટી છે. ત્રણ વિપક્ષી દળ બીજા અને ત્રીજા સ્થાન માટે લડી રહ્યાં છે.