બસપા સુપ્રીમો માયાવતીએ રવિવારે થયેલી બેઠક બાદ સેક્ટર પ્રભારી તથા ભાઈચાર કમિટી વ્યવસ્થાને ખતમ કરી દીધી છે.
ચૂંટણીમાં હાર બાદ બસપા એક્શનમાં આવી
માયાવતીએ તમામ કમિટી ભંગ કરી
કાર્યકર્તાને નિરાશ ન થવા જણાવ્યું
બસપા સુપ્રીમો માયાવતીએ રવિવારે થયેલી બેઠક બાદ સેક્ટર પ્રભારી તથા ભાઈચાર કમિટી વ્યવસ્થાને ખતમ કરી દીધી છે. હવે દરેક ત્રણ મંડળ પર એક ઝોન હશે. નવી વ્યવસ્થામાં પ્રદેશના 3 નવા પ્રભારી બનાવામાં આવ્યા છે અને આ જવાબદારી મુનકાદ અલી, રાજકુમાર ગૌતમ અને ડોક્ટર વિજય પ્રતાપને સોંપવામાં આવી છે. પ્રદેશ પ્રભારી માયાવતીને સીધા રિપોર્ટ કરશે.
માયાવતીએ તમામ કમિટીઓ ભંગ કરી
બસપા સુપ્રીમો માયાવતીએ રવિવારે પાર્ટી કાર્યાલયમાં પ્રદેશ સ્તરીય બેઠક બોલાવી હતી. તેમાં વિધાનસભા ચૂંટણીમાં થયેલી હારની સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકમાં પ્રદેશના તમામ 403 સીટો પર ચૂંટણી લડનારા ઉમેદવારો સાથે પ્રભારી, જિલ્લા અધ્યક્ષ, વિધાનસભા અઘ્યક્ષ સાથે ભાઈચારા કમિટિના સભ્યોને પણ બોલાવામાં આવ્યા હતા. માયાવતીએ આ બેઠકમાં વિચાર વિમર્શ બાદ સેક્ટર પ્રભારી અને ભાઈચારા કમિટિને ભંગ કરવાનો નિર્ણય કર્યો છે.
શાહ આલામની બસપામાં વાપસી
શાહ આલામ ઉર્ફ ગુડ્ડુ જમાલીની બસપામાં આજે વાપસી થઈ છે. માયાવતીએ તેમની વાપસીની જાણકારી પાર્ટી પદાધિકારીઓને આપી હતી. વર્ષ 2024માં થનારી લોકસભા ચૂંટણીમાં ગુડ્ડુ જમાલી આઝમગઢથી ચૂંટણી લડશે.
ચૂંટણીમાં મળેલી હારથી નિરાશ થવાનું નથી
આ અગાઉ માયાવતીએ ભાજપની જીત પર કહ્યું હતું કે, આ વખતે ચૂંટણી પરિણામ આગળ માટે સબક છે. આપણે ચૂંટણીમાંથી મળેલી હારથી ગભરાવાનું નથી. દર વખતની માફક આ વખતે પણ બસપા વિશે લોકોમાં ખોટો પ્રચાર કરવામાં આવ્યો. સપાએ તો અમને ભાજપની બી ટીમ પણ ગણાવી હતી.
મુસ્લિમ અને દલિતોના વોટ મળ્યા હોત તો જીતી જાત
માયાવતીએ કહ્યું કે, એતો સાચુ છે કે, જો મુસ્લિમ-દલિતોના વોટ મળી જતાં તો, ભાજપ આપણાથી હારી જતી. માયાવતીએ કહ્યું કે, ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં બસપાની આશા વિરુદ્ધ જે પરિણામ આવ્યા, પાર્ટીના નેતા અને કાર્યકર્તાઓ તેનાથી ગભરાવાનું નથી અને નિરાશ પણ થવાનું નથી. તેના સાચા કારણોને સમજીને શિખીને આપણે પાર્ટીને આગળ વધારવાની છે. આગળ જતાં સત્તામાં જરૂરથી આવીશું.