બહુજન સમાજ પાર્ટી (BSP) અધ્યક્ષ માયાવતીએ એકવાર ફરી કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. અને વધતી બેરોજગારીને રાષ્ટ્રીય સમસ્યા બતાવવા બેરોજગારી મુદ્દે સરકારી નીતિઓને જવાબદાર ગણાવી છે.
માયાવતીએ બેરોજગારી મુદ્દે સરકારના સત્તાવાર આંકડાઓના હવાલો આપતા ટ્વિટ કરી કહ્યું, 'દેશમાં બેરોજગારી મોટી રાષ્ટ્રીય સમસ્યા છે. સરકારી આંકડા દર્શાવે છે કે ગત વર્ષોમાં ગામડાઓમાં યુવાઓમાં બેરોજગારી ત્રણ ગણી વધી છે. જે એ ધારણાથી વિપરીત છે કે શહેરોની તુલનામાં ગામડામાં બેરોજગારી ઓછી છે'
આપને જણાવીએ કે, દેશમાં રોજગારીની સ્થિતિને લઇને હાલમાં જ એક સત્તાવાર આકંડા સામે આવ્યા છે જેમા શહેરી ક્ષેત્રોની તુલનામાં ગ્રામીણ વિસ્તારોમાં બેરોજગારી ટકાવારી વધ્યો હોવાનું સામે આવ્યું છે.
देश में बेरोजगारी ज्वलन्त राष्ट्रीय सम्स्या है किन्तु सरकारी आँकड़े गवाह हैं कि पिछले सालों में गाँवों के युवाओं में बेरोजगारी की दर तीन गुना बढ़ गई है जो इस धारणा के विपरीत है कि शहरों की तुलना में गावों में बेरोजगारी कम रहती है। क्या सरकारी नीतियाँ इसके लिए जिम्मेदार नहीं हैं?
ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી માયાવતીએ રાજ્યમાં નિર્દોષ બાળકીઓ વિરુદ્ધ હિંસાની વધતી ઘટનાઓ પર ચિંતા વ્યક્ત કરી છે. એમણે કહ્યું કે, ઉત્તરપ્રદેશમાં અલીગઢ બાદ હમીરપુરમાં પાંચમા ધોરણની નિર્દોષ બાળકીનું અપહરણ કરી તેની સાથે દુષ્કર્મ અને બાદમાં હત્યાની ગંભીર ઘટનાએ લોકોને વિચલિત કરી નાંખ્યા છે. લોકોમાં આક્રોશ છે. આ ઘટનાઓ પર રોક લગાવવા માટે સમાજ અને સરકારે વધારે કડક અને સંવેદનશીલ બનવાની જરૂર છે.
આ પહેલા ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી માયાવતીએ બીજેપીની આગેવાનીવાળી મોદી સરકાર પર દક્ષિણ એશિયાના દેશોના SAARC સંગઠનને અવગણના કરવાનો આરોપ લગાવ્યો હતો.