નવી દિલ્હી: બસપાના અધ્યક્ષ માયાવતીએ પીએમ મોદી, ભાજપ અને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે. માયાવતીએ એક પત્રકાર પરિષદ યોજીને આતંકવાદ, નક્સલવાદ અંગે પણ વાત કરી.
માયાવતીએ આતંકી મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવા બદલ ભાજપ પર ટિપ્પણી કરતા કહ્યું કે, ભાજપે પહેલા મસૂદને મહેમાન બનાવ્યો અને બાદમાં તેને છોડી મૂક્યો. ભાજપે રામના નામે જનતા સાથે ઠગાઈ કરી છે.
તો બીજી બાજુ કોંગ્રેસ પર પ્રહાર કરતા માયાવતીએ કહ્યું કે, કોંગ્રેસ પણ ભાજપની જેમ સપા બસપાના ગઠબંધનની વિરૂદ્ધ છે. તો પીએમ મોદીએ ગઈ કાલે અયોધ્યાના આંબેડકરનગરમાં યોજેલી રેલી દરમિયાન ડોક્ટર ભીમરાવ આંબેડકરને લઈને બસપા પર પ્રહાર કર્યો હતો. તેના વળતા જવાબમાં માયાવાતીએ કહ્યું કે, આંબેડકરજી ભાજપ, કોંગ્રેસ કે અન્ય કોઈ વિપક્ષ પાર્ટી માટે વોટનું રાજકારણ હોઈ શકે છે. પણ બસપા માટે આંબેડકરજી આત્મા સમાન છે.