રિલાયન્સ JIOએ હાલમાં જ IUCના નામે પોતાના યુઝર્સ પાસેથી નોન JIO કોલિંગ માટે પૈસા લેવાના શરુ કરી દીધા છે જ્યારે ભારતની સરકારી ટેલીકોમ કંપની BSNLએ એનાથી ઊંધો દાવ રમ્યો છે કંપનીએ એલાન કર્યું છે કે તે કોલિંગના પૈસા આપશે.
BSNL દ્વારા કોલિંગ આપવામાં આવશે કેશબેક
આ નિર્ણય બાદ JIOથી લોકોની નારાજગી વધી શકે છે
પાંચ મિનીટથી વધુ કોલિંગ પર મળશે 6 પૈસાનું કેશબેક
BSNLએ આપી નવી ઓફર
BSNLની નવી ઓફર મુજબ જો કોઈ યુઝર પાંચ મિનીટ કે તેથી વધુ વાત કરશે તો તેના એકાઉન્ટમાં 6 પૈસા જોડાઈ જશે. BSNL હાલમાં તો એક ખોટ કરતી કંપની છે, ઘણીવાર રીપોર્ટ આવે છે કે કંપનીનું મર્જર થઇ શકે છે. કંપનીમાં ઘણા કર્મચારીઓને છૂટા કરી દેવાયા છે ત્યારે તે કંપનીનું મર્જર થશે કે કેમ તે કંઈ સાફ નથી
BSNLના Director CFA Vivek Banazlએ એક નિવેદનમાં કહ્યું હતું કે 'ડિજિટલયુગમાં જ્યાં ગ્રાહકોને વોઈસ અને ડેટા માટે ક્વોલીટી જોઈએ, અમે અમારા ગ્રાહકોને અપગ્રેડેડ નેક્સ્ટ જનરેશન નેટવર્કથી જોડવા માંગીએ છે જેથી તેમને વધુ સારું અનુભવ થઇ શકે'
JIOના ગ્રાહકોને નોન-JIO કોલિંગ પર આપવા પડે છે પૈસા
કંપની દ્વારા નિર્ણય લેવાયો છે કે કેશબેક ઓફરનો લાભ દરેક bsnl વાયરલાઈન, FTTH અને બ્રોડબેન્ડ ગ્રાહકોને મળશે. હવે આ ઓફર બાદ કંપનીનો યુઝરબેસ વધે છે કે નહિ તે આગામી સમયમાં જોવાનું રહેશે પરંતુ હાલ તો ગ્રાહકોને JIOથી નારાજગી વધી શકે છે કારણકે JIOના ગ્રાહકોને નોન-JIO કોલિંગ પર પૈસા આપવા પડે છે.
JIO અને વોડાફોન-આઈડિયાની એકબીજાથી તદ્દન જુદી માંગણી
ઘણા સમયથી JIOમાં પણ હલચલ છે. કંપની ઈચ્છે છે કે ટ્રાઈ IUCને ફ્રી કરી દે જેથી તે ફરીથી ફ્રી કોલિંગ લોકોને આપી શકે. જ્યાં વોડાફોન અને એરટેલ તદ્દન ઉંધી માંગણી કરી રહ્યા છે તેમની ઈચ્છા છે કે IUC વધારી દેવામાં આવે જેથી ટેલીકોમ ઇન્ડસ્ટ્રીમાં છેલ્લા ઘણા વર્ષોથી જે નુકસાન થયું છે તેને ભરી શકાય.