BSNLના કર્મચારીઓ પર નોકરીનું સંકટ તોડાઈ રહ્યું છે. BSNLના 20 હજાર કર્મચારીઓ પર નોકરીનું સકંટ આવ્યું છે. BSNLના કર્મચારી યુનિયનને દાવો કર્યો છે કે BSNLએ ખર્ચમાં કાપના આદેશ આપ્યા છે.
BSNLના કર્મચારીઓ પર નોકરીનું તોડાતુ સંકટ
BSNL કર્મીઓને સમય પર પગાર નથી ચુકવતું: યુનિયન
છેલ્લા 14 મહિનાથી પગાર નથી ચુકવાયો: યુનિયન
યુનિયનનું કહેવું છે કે કોન્ટ્રાક્ટ કર્મીઓના ખર્ચ પર કાપનો આદેશ છે. તેમજ યુનિયને કહ્યું કે BSNLકર્મીઓને સમય પર પગાર ચુકવતું નથી. છેલ્લા 14 મહિનાથી પગાર ચુકવાયો નથી. અગાઉ BSNL 30 હજાર કોન્ટ્રાક્ટ કર્મીઓને હટાવી ચુકી છે.
યુનિયને દાવો કર્યો છે કે બીએસએનએલ સમય પર પગાર તો નથી જ ચૂકવી રહ્યું પણ 20 હજાર લોકો બેરોજગાર થઈ જશે. એટલું જ નહીં 30 હજાર કોન્ટ્રાક્ટ કર્મચારીઓને પહેલા જ કાઢી મુકાયા છે. છેલ્લા 1 વર્ષથી વધારાનું વેતન ચૂકવાયુ નથી. બીએસએનએલના ચેરમેન તથા મેનેજમેન્ટ ડિરેક્ટર પી કે પુરવારને લખેલા પત્રમાં યુનિયને કહ્યું છે કે સ્વૈચ્છિક સેવા નિવૃત્તિ યોજના(વીઆરએસ) બાદ કંપનીની નાણાં સ્થિતિ વધારે ખરાબ થઈ છે. વિભિન્ન શહેરોમાં મેનપાવરની અછતના કારણે નેટવર્કમાં ખરાબીની સમસ્યા વધી છે.
વીઆરએસ બાદ કંપની કર્મચારીઓને સમય પર પગાર નથી આપી રહી. 14 મહિનાથી ચૂકવણી ન થઈ હોવાથી 13 કોન્ટ્રાક્ટ કર્મીઓ આત્મહત્યા કરી ચૂક્યા છે.