બીએસએનએલ એટલે કે ભારત સંચાર નિગમ લિમિટેડના યુઝર્સ માટે મોટા સમાચાર આવ્યા છે. બીએસએનએલે જાહેરાત કરી છે કે બુધવાર 21 ઓક્ટોબરથી, બીએસએનએલના 135વાળા સ્પેશિયલ ટેરિફ વાઉચર (એસટીવી)નો લાભ વધારવામાં આવશે અને હાલ આ ટેરિફના રિચાર્જ પર અન્ય નેટવર્ક પર વાત કરવા માટે 300 મિનિટ એટલે કે 5 કલાકનો સમય મળે છે તે હવે 1440 મિનિટ એટલે કે 24 દિવસમાં 24 કલાક વાત કરી શકશે.
આ કંપનીના યુઝર્સ માટે જોરદાર ઓફર
હવે બીએસએનએલના 135વાળા સ્પેશિયલ ટેરિફ વાઉચરમાં મળશે વધુ બેનિફિટ
ઓફર જાણી આજે જ કરાવશો રિચાર્જ
જોકે, આ સુવિધા હાલ બીએસએનએલના તમિલનાડુ સર્કલ માટે કરવામાં આવી છે અને માનવામાં આવી રહ્યું છે કે આગામી દિવસોમાં અન્ય રાજ્યોમાં બીએસએનએલના યુઝર્સને પણ આ લાભ મળશે. જોકે, તે બીએસએનએલ પર નિર્ભર છે કે તે અન્ય રાજ્યોમાં 135 રૂપિયાના ટેરિફનો લાભ ક્યારે વધારશે.
1140 મિનિટ એક્સ્ટ્રા
બીએસએનએલ અનુસાર તમિળનાડુ રાજ્યના બીએસએનએલ યુઝર્સ 21 ઓક્ટોબરથી અન્ય કોઈપણ સ્થાનિક અથવા એસટીડી નેટવર્ક પર 1440 મિનિટ વાત કરી શકશે. પહેલાં આ સુવિધા 5 કલાક સુધી મર્યાદિત હતી, જે હવે વધીને 24 કલાક થઈ ગઈ છે. 135 રૂપિયાના આ ટેરિફની વેલિડિટી 24 દિવસ છે. બીએસએનએલ યુઝર્સ આ સુવિધા હેઠળ એમટીએનએલ દિલ્હી અને એમટીએનએલ મુંબઇ નેટવર્ક પર પણ વાત કરી શકે છે.
અન્ય ફાયદા
તમિળનાડુ બીએસએનએલ ફેસ્ટિવલની સીઝનમાં ગ્રાહકોને વધુ ફાયદો પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યો છે અને આ પ્રયત્નો હેઠળ 22 ઓક્ટોબરથી 160 રૂપિયાના ટોપઅપ રિચાર્જ પર ફુલ ટોક ટાઇમ મળશે. જેની વેલિડિટી 3 દિવસની છે. ગ્રાહકો તેને સી-ટોપઅપ, એમ-વોલેટ અને વેબ પોર્ટલથી રિચાર્જ કરી શકે છે અને કોઈપણ પેપર વાઉચરની મદદથી તેને રિચાર્જ કરવામાં આવશે નહીં. એવું માનવામાં આવે છે કે આ તહેવારની સીઝનમાં બીએસએનએલના સબ્સ્ક્રાઇબર્સને ઘણાં ફાયદા મળી શકે છે, જેના વિશે હાલમાં કોઈ જાહેરાત કરવામાં આવી નથી.