મોદી સરકારે કેબિનેટની બેઠકમાં BSNL અને MTNLને લઈને મોટો નિર્ણય લીધો છે. કેબિનેટની બેઠકમાં બીએસએનએલ અને એમટીએનએલના મર્જરની યોજનાને મંજૂરી આપવામાં આવી છે. લાંબા સમયથી આ બે સરકાર સંચાલિત કંપનીઓ માટે રાહતનો સમાચાર છે.
BSNL અને MTNL મામલે કેન્દ્ર સરકારનો નિર્ણય
કેબિનેટ બેઠકમાં મર્જરની યોજના પર લાગી મહોર
ટેલિકોમ મંત્રીએ કરી જાહેરાત
છેલ્લા કેટલાક દિવસોથી એવા અહેવાલો આવ્યા હતા કે સરકાર બંને સરકારી ટેલિકોમ કંપનીઓને બંધ કરવાની યોજના બનાવી રહી છે. જો કે, પાછળથી સરકાર તરફથી આ સમાચારને માત્ર એક અફવા ગણાવવામાં આવી હતી.
ટેલિકોમ મંત્રીએ કરી જાહેરાત
કેબિનેટના નિર્ણયો અંગેનું એલાન કરતાં ટેલિકોમ મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે બીએસએનએલ સાથે ભૂતકાળમાં અન્યાય થયો છે. અમે BSNL અને MTNL ને મર્જ કરવાની યોજના પર કામ કરી રહ્યા છીએ. રવિશંકર પ્રસાદના જણાવ્યા અનુસાર બીએસએનએલ માટે એક આકર્ષક VRS પેકેજ લાવવામાં આવશે.
Union Cabinet approves revival plan of BSNL (Bharat Sanchar Nigam Limited)&MTNL (Mahanagar Telephone Nigam Limited)&in-principle merger of the two. Spectrum of 4G to be allocated to Telecom PSEs (Public Sector Enterprises).VRS (voluntary retirement scheme) packages to be offered. https://t.co/KluEorlN9A
આ સાથે 4 જી સ્પેક્ટ્રમ માટે અંદાજે 4000 કરોડની બજેટ જોગવાઈ કરવામાં આવશે. તેમણે કહ્યું કે, આગામી 4 વર્ષમાં 38000 કરોડ રૂપિયાનું મોનિટાઇઝેશન કરવામાં આવશે. આ સાથે જ 15 હજાર કરોડના બોન્ડ પણ જાહેર કરવામાં આવશે. ખોટ બનાવતી બીએસએનએલે 2015 માં 4 જી સ્પેક્ટ્રમની ફાળવણી અંગે સરકારને અરજી કરી હતી અને સ્વૈચ્છિક નિવૃત્તિ યોજના પેકેજ માટે મંજૂરી માંગી હતી જે 2009 થી બાકી છે.
કર્મચારીઓને પડી રહી છે તકલીફ
બીએસએનએલ અને એમટીએનએલની દુર્દશાને કારણે કર્મચારીઓને સતત મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમને પગાર મળવામાં પણ વિલંબ થઇ રહ્યો છે. ખરેખર, બીએસએનએલને માસિક પગાર રૂ. 850 કરોડ ચૂકવવાના છે. હાલમાં બીએસએનએલના લગભગ 1.80 લાખ કર્મચારી છે.
નોંધનીય છે કે, નાણાકીય વર્ષ 2017-18માં બીએસએનએલનું નુકસાન 7,992 કરોડ રૂપિયા હતું. આ અગાઉ 2016-17માં કંપનીને 4,786 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. આ મુજબ, ફક્ત 1 વર્ષમાં 3,206 કરોડનું નુકસાન થયું છે.