BSNLએ શુક્રવારે તેના પ્રીપેડ સબસ્ક્રાઈબર્સ માટે મલ્ટીપલ રિચાર્જ ફેસિલિટી લોન્ચ કરી દીધી છે. આ સુવિધા દ્વારા BSNL પ્રીપેડ ગ્રાહકો તેમના વર્તમાન પ્લા એક્સપાયર થાય તે પહેલાં જ એડવાન્સમાં એકાઉન્ટને રિચાર્જ કરાવી શકે છે. નવી સુવિધા BSNL પ્રીપેડ વાઉચર અને સ્પેશિયલ ટેરિફ વાઉચર ઓપ્શન પર ઉપલબ્ધ છે. તેની કિંમત 97 રૂપિયાથી શઈ થઈને 1999 રૂપિયા સુધી છે.
BSNLએ શરૂ કરી નવી સુવિધા
હવે ગ્રાહકો એડવાન્સમાં કરાવી શકશે રિચાર્જ
ભારતના તમામ સર્કલમાં શરૂ કરી સુવિધા
BSNLની નવી સુવિધા 97 રૂપિયા, 98 રૂપિયા, 118 રૂપિયા, 187 રૂપિયા, 247 રૂપિયા, 319 રૂપિયા, 399 રૂપિયા, 429 રૂપિયા, 485 રૂપિયા, 666 રૂપિયા, 699 રૂપિયા, 997 રૂપિયા, 1699 રૂપિયા અને 1999 રૂપિયાના પ્રીપેડ પ્લાન માટે ઉપલબ્ધ છે. આ સુવિધા હેઠળ રિચાર્જ કરવામાં આવશે તો એડવાન્સ રિચાર્જ પ્લાન વર્તમાન પ્લાન એક્સપાયર થયા પછી ઓટોમેટિકલી રિચાર્જ થઈ જશે. કંપનીએ જણાવ્યું કે કંપની એક મેસેજ મોકલીને ગ્રાહકોને આ સુવિધા વિશે જાણકારી આપશે. BSNLની આ સુવિધા દેશભરના સર્કલમાં ઉપલબ્ધ છે.
BSNLની મલ્ટીપલ રિચાર્જ ફેસિલિટી એ જ રીતે કામ કરે છે જે રીતે રિલાયન્સ જિયો યુઝર્સ તેમના પ્લાન માટે એડવાન્સ પેમેન્ટ કરે છે. એરટેલે પણ તેના યુઝર્સ માટે મલ્ટીપલ ટાઈમ માટે એકાઉન્ટને રિચાર્જ કરાવવાની સુવિધા આપી છે.
તમને જણાવી દઈએ કે સરકારી ટેલિકોમ કંપનીએ હાલમાં જ 94 રૂપિયા અને 95 રૂપિયાના પ્રીપેડ પ્લાન પણ લોન્ચ કર્યા છે. તેમાં 3 જીબી ડેટા અને 100 વોઈસ કોલિંગ મિનિટ મળે છે. ઓપરેટરે હાલમાં જ 499 રૂપિયાનો બ્રોડબેન્ડ પ્લાન પણ લોન્ચ કર્યો છે. જેમાં 100 જીબી ડેટા અને 20Mbps સ્પીડ સાથે મળે છે.