BSNLએ મોટો ફેરફાર કર્યો છે. સરકારી ટેલિકોમ કંપનીએ તેનો એક સસ્તો પ્લાન બંધ કરી દીધો છે. ચાલો જાણીએ ડિટેલ્સ.
BSNLના ગ્રાહકો માટે ખરાબ સમાચાર
કંપનીઓ પોતાનો સસ્તો પ્લાન કર્યો બંધ
હવે ગ્રાહકોએ 199 રૂપિયાનું રિચાર્જ કરાવવું પડશે
BSNL તેના 99 રૂપિયાના પ્લાનવાળા પોસ્ટપેડ યુઝર્સને 199 રૂપિયાના પ્લાનમાં શિફ્ટ કરી રહી છે. BSNLએ ગ્રાહકોને મેસેજ કરીને આ જાણકારી આપી છે. સાથે જ એલર્ટ કર્યા છે કે આ ફેરફાર 1 સપ્ટેમ્બર 2021થી લાગુ થશે. ટેલિકોમ ટોકની એક રિપોર્ટમાં આ વાત કહેવામાં આવી છે. પ્રીપેડ રિચાર્જ પ્લાનની જેમ બીએસએનએલના પોસ્ટપેડ પ્લાન પણ અન્ય ટેલિકોમ કંપનીઓ કરતા સસ્તા છે.
યુઝર્સને હવે વધુ પૈસા ખર્ચવા પડશે
ટેલિકોમ ટોકની રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે BSNL તેના 99 રૂપિયાના પ્લાનને બંધ કરી રહી છે. હાલમાં 199 રૂપિયાના પ્લાનમાં ગ્રાહકોને સ્થાનાંતરિત કરવામાં આવી રહ્યાં છે. 99 રૂપિયાના પ્લાન ધરાવતા જે યુઝર્સની વેલિડિટી બાકી છે, કંપની હમણાં તેમની પાસેથી વધારાના પૈસા ચાર્જ નહીં કરે. પરંતુ વેલિડિટી સમાપ્ત થયા પછી યુઝર્સે 199 રૂપિયાનો લેવો પડશે. હવે યુઝર્સ 99 રૂપિયાનો પ્લાન લઇ શકશે નહીં, કારણ કે તે હવે ઉપલબ્ધ નથી.
199 રૂપિયાના પ્લાનમાં મળશે આ ફાયદા
BSNLના 199 રૂપિયાના પ્લાનમાં અનલિમિટેડ કોલિંગનો લાભ દેશભરના કોઈપણ નેટવર્ક પર ઉપલબ્ધ છે. વોઈસ કોલિંગમાં કોઈ પ્રતિબંધ નથી. યુઝર્સને 25GB FUP ડેટા મળે છે. તેમજ દરરોજ 100 SMS મોકલવાની સુવિધા મળે છે. બીએસએનએલ યુઝર્સને જે એસએમએસ મળી રહ્યો છે તેમાં કહેવામાં આવ્યું છે કે, 199 રૂપિયાના પ્લાન સાથે અનલિમિટેડ વોઇસ કોલિંગ, 25 જીબી ડેટા, 100 એસએમએસ દરરોજ મળશે. 99 રૂપિયાનો પ્લાન બંધ કરી દેવામાં આવ્યો છે અને 1 સપ્ટેમ્બર, 2021થી તમને 199 રૂપિયાના પ્લાનમાં સ્થાનાંતરિત કરવામાં આવશે.