ભાજપનાં સાંસદ અનંત કુમાર હેગડે હંમેશા પોતાના નિવેદનોના કારણે વિવાદોમાં રહે છે. હેગડેએ ગાંધીજી પર કરેલા બફાટ પર ખૂબ વિવાદ થયા બાદ ફરી તેમણે નવા વિવાદને જન્મ આપ્યો છે. હેગડેના આ એક નિવેદનથી BSNL કંપનીના હજારો કર્મચારીઓની નોકરી સામે સવાલ ઉભો થઇ ગયો છે.
ભાજપ સાંસદ અનંત કુમાર હેગડેનો બફાટ
BSNLના કર્મચારીઓ દેશદ્રોહી : હેગડે
આ કંપનીનું ખાનગીકરણ કરી બધાને કાઢી મૂકીશું : હેગડે
ભાજપ સાંસદ અનંત કુમાર હેગડેએ BSNLને લઈને કહ્યું છે કે 88000 કર્મચારીઓને કાઢી મૂકવામાં આવશે કારણ કે સરકાર BSNLનું ખાનગીકરણ કરશે. 10 ઓગસ્ટના રોજ ઉત્તર કન્નડના કુમટામાં એક કાર્યક્રમમાં તેમણે આ વિવાદિત નિવેદન આપ્યું છે.
અનંત કુમારે કહ્યું કે 'બીએસએનએલના કર્મચારીઓ દેશદ્રોહી છે જે એક પ્રસિદ્ધ ફરમને વિકસિત કરવાના કામમાં ઈચ્છુક નથી. 88000થી વધારે કર્મચારીઓને કાઢી નાખવામાં આવશે, કારણ કે સરકાર તેનું ખાનગીકરણ કરશે.'
નોંધનીય છે કે ભાજપના આ સાંસદ હંમેશા પોતાના વિવાદિત નિવેદનોના કારણ ચર્ચામાં રહે છે, હાલમાં જ તેમણે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ લઈને એવું નિવેદન આપ્યું હતું કે જેના પર ખૂબ મોટો વિવાદ થયો હતો. તેમણે મહાત્મા ગાંધીએ આઝાદી માટે લડેલી લડાઈને એક ડ્રામા કહ્યું હતું.
હેગડેએ કહ્યું કે સ્વતંત્રતા માટે આખું સંઘર્ષ નાટક હતું અને બ્રિટીશ દ્વારા સમર્થન પ્રાપ્ત હતું. તે સમયના નેતાઓએ એક પણ વાર પોલીસનો માર નથી ખાધો. તેમનું આંદોલન એક ડ્રામા હતું. તે બધા નેતાઓએ અંગ્રેજોની રજા લઈને આ બધું નાટક કર્યું. હેગડેએ ગાંધીજી દ્વારા કરવામાં આવતી ભૂખ હદ્તાલા અને સત્યાગ્રહને પણ નાટક કહ્યું હતું.