સીમા સુરક્ષા દળ (BSF) આજે પોતાનો 55મો જન્મદિવસ મનાવી રહ્યો છે. જેને લઈને દિલ્હીમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. PM મોદીએ સુરક્ષા દળના સ્થાપના દિવસે સંગઠનના કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતા.
BSFના 55માં સ્થાપના દિવસ નિમિત્તે જાહેરાત
કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયની જાહેરાત
કાશ્મીરમાં તૈનાત જવાનો માટે વિશેષ જાહેરાત
સીમા સુરક્ષા દળ (BSF) આજે પોતાનો 55મો જન્મદિવસ મનાવી રહ્યો છે. જેને લઈને દિલ્હીમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. PM મોદીએ સુરક્ષા દળના સ્થાપના દિવસે સંગઠનના કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતા.
પીએમ મોદીએ ટ્વિટ કર્યું કે ' BSFના સ્થાપના દિવસે અન્ય BSF કર્મચારીઓને અને તેમના પરિવારોને અભિનંદન. તેઓ આપણી સીમાની રક્ષા કરે છે.' તેઓએ કહ્યું કે પ્રાકૃતિક મુશ્કેલીઓ અને સંકટની સ્થિતિના સમયે BSF કર્મચારીઓ નાગરિકોની સેવા માટે મહેનત કરે છે.
Greetings to all BSF personnel and their families on BSF’s Raising Day. This force has been diligently protecting our borders. During natural disasters and crisis situations, BSF personnel have always worked hard to serve our citizens.
કાર્યક્રમમાં પહોંચેલા કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે કહ્યું કે સરકાર પોતાના પરિવારોની સાથે જવાનોને વર્ષમાં 100 દિવસ વીતાવવાની પરમિશન આપવા માટે અનેક પ્રકયાસ કરી રહી છે. કેન્દ્રીય સશસ્ત્ર પોલીસના જવાનોને દરેક સંભવ સુવિધા આપવા માટે સરકારની તરફથી અનેક પ્રયાસ કરવામાં આવ્યા છે. ડેરા બાબા નાનકમાં કરતારપુર સાહિબ કોરિડોર સીમા સુરક્ષા બળના આધારે જ સુરક્ષિત છે.
Nityanand Rai, MoS Home Affairs: Indian govt is committed to provide modern technology for the security of our jawans. Govt has increased the retirement age of jawans to 60 years. Jawans posted in Kashmir will be provided free of cost air travel from Jammu to Delhi. pic.twitter.com/OOr6jGyZiH
તેઓએ વધુ માહિતી આપતાં જણાવ્યું કે હવે દુશ્મનોએ હુમલો કરતાં પહેલાં અનેક વાર વિચારવું પડે છે. આ પણ આપણા જવાનોના પ્રયાસોને આભારી છે. ભારત સરકાર જવાનોની સુરક્ષા માટે અને આધુનિક ટેકનિક આપવા માટે કટિબદ્ધ છે. સરકારે જવાનોની સેવાનિવૃતિની ઉમર વધારી 60 વર્ષ કરી દીધી છે. આ સાથે કાશ્મીરમાં તૈનાત જવાનોને જમ્મૂથી દિલ્લી જવા ફ્રીમાં હવાઇ યાત્રાની સુવિધા પણ આપવામાં આવશે. DDA ફરજ દરમિયાન શહીદોને 1 BHK ફ્લેટ આપશે.
BSF વિશે જાણી લો આ વાતો
1965માં એપ્રિલ મહિનામાં પાકિસ્તાન તરફથી ગોળીબાર થતો રહ્યો.
9 એપ્રિલ પાક.એ કચ્છ સ્થિત બે ચોકીઓ પર હુમલો કરી દીધો.
સીમા સુરક્ષાની જવાબાદારી ગુજરાત પોલીસ અને CRPFના હાથમાં હતી.
9 એપ્રિલે પાક. સાથે થયેલો ગોળીબાર અંદાજે 15 કલાક સુધી ચાલ્યો.
CRPF અને પોલીસે પાકિસ્તાનના 34 સૈનિક ઠાર માર્યા અને 4ને બંદી બનાવ્યા.
9 એપ્રિલ પાક. સાથે ગોળીબાર બાદ સીમા સુરક્ષા માટે સૈન્ય બળ માટે વિચારણા કરાઇ.
1 ડિસેમ્બર 1965એ કે.એફ.રુસ્તમજીના નેતૃત્વમાં BSFની સ્થાપના કરાઇ.