બનાસકાંઠાના ઈન્ડો પાકિસ્તાન બોર્ડર નજીક BSFના જવાન કર્યો આપઘાત
BOB જીરો પોઇન્ટ તરફ લીંબુણી ચેકપોસ્ટ ઉપર ફરજ બજાવતા હતાં
જવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે વાવથી અમદાવાદ લઈ જવાશે
બનાસકાંઠાના ઈન્ડો પાકિસ્તાન બોર્ડર નજીક BSFના જવાને આપઘાત કર્યો છે..સુઈગામના માવસરી નજીક અગમ્ય કારણોસર જવાને આપઘાત કરીને પોતાનું જીવન ટુકાવ્યું છે.BSFના ભોજારામ નામના જવાને આત્મહત્યા કરી છે.જવાને પોતે જાતે રિવોલ્વરથી ગોળી મારીને આપઘાત કર્યો છે.
મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે અમદાવાદ લવાશે
મૃતક ભોજારામ જવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે વાવથી અમદાવાદ લઈ જવાશે.આ ઘટનાની જાણ થતા BSFના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે
આ પહેલા જાન્યુઆરીમાં પણ બની હતી આવી જ ઘટના
આ પેહલા જાન્યુઆરી 2022ના અંતમાં બનાસકાંઠાના નડાબેટ નજીક BSF જવાને અગમ્ય કારણોસર પોતાની સર્વિસ રાઈફલથી પોતાની જાતને ગોળી મારી આત્મહત્યા કરી છે. જે મૃતક જવાન નડાબેટથી ઝીરો પોઈંટ તરફની ચેકપોસ્ટ ઉપર સંતરી તરીકેની ફરજ બજાવતો હતો. ત્યારે ઉપરોક્ત આ જ વર્ષમાં સર્વિસ રાઈફલથી આપઘાત કરી લેવાની આ બીજી ઘટના પ્રકાસમાં આવી છે.