કચ્છની સરહદ પાસે આવેલ હરામીનાળા વિસ્તારમાં BSFને સર્ચ ઓપરેશનમાં 9 પાકિસ્તાની બોટ મળી આવી છે. જેથી આ મામલે તપાસનો ધમધમાટ હવે શરૂ કરવામાં આવ્યો છે.
કચ્છની સરહદ પર મળી પાકિસ્તાની બોટ
9 પાકિસ્તાની બોટ બીએસએફના જવાનોને મળી આવી
બાતમીને આધારે બીએસએફના જવાનોએ ઓપરેશન હાથ ધર્યું
કચ્છની સરહદ પર બીએસએફ દ્વારા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું તો બીએસએફના જવાનોને મોટી સફળતા મળી છે. આ ઓપરેશનમાં પાકિસ્તાની બોટો બીએસફ દ્વારા ઝડપી પાડવામાં આવી છે. હરામીનાળા વિસ્તારનો આ બનાવ છે જ્યા બીએસએફ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
પાકિસ્તાની મરીન દ્વારા ભારતીય માછીમારોનું અપહરણ
BSFના સર્ચ ઓપરેશનમાં 9 પાકિસ્તાની બોટ મળી આવી છે. આપને જણાવી દઈએ કે છેલ્લા 15 દિવસથી પાકિસ્તાન મરીન દ્વારા ભારતીય માછીમારોનુ અપહરણ કરવામાં આવી રહ્યુ છે. જેમાં પાકિસ્તાન તરફથી અવળચંડાઈ પણ કરાઈ રહી છે. ગત દિવસે પાકિસ્તાન મરિન દ્વારા IMBL નજીકથી 10 બોટ સહિત 60 માછીમારોના અપહરણ થયા હતા.
ભારતીય માછીમારોના અપહરણથી લોકોમાં રોષનો માહોલ
જોકે પાકિસ્તાન મરિન દ્વારા ઓફિશિયલ અહેવાલ જાહેર કરી માત્ર 6 ફિશીંગ બોટ અને 36 માછીમારો જ ઝડપાયા હોવાની વાત સ્વિકારી હતી. જેથી અન્ય 4 બોટ અને 24 માછીમારો ક્યાં ગુમ થયા તે અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે. સાથે સાથે ભારતીય માછીમારોના અપહરણથી માછીમારોના પરિવારોમાં રોષ જોવા મળી રહ્યો છે.
9 પાકિસ્તાની બોટ ઝડપાઈ
ઉલ્લેખનીય છે કે ગતરોજ પાકિસ્તાની માછીમારો હરામીનાળા વિસ્તારમાં ઘૂસણખોરી કરી ગયા છે તેવી સૂચના મળી હતી. જેથી બીએસએફ દ્વારા તુરંત આ મામલે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જેમા પાકિસ્તાની માછીમારોની 9 બોટ ઝડપાઈ આવી છે. જેથી હવે બીએસએફ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.