BSFના મહાનિદેશક પંકજકુમારે કચ્છના સરહદી વિસ્તારોની સુરક્ષા અને જવાનોની માંગો પર પણ સમીક્ષા કરી હતી.
BSFના મહાનિદેશક પંકજ કુમાર સિંહના કચ્છ પ્રવાસનો બીજો દિવસ
હરામી નાળા અને સરક્રિક વિસ્તારમાં તૈનાત જવાનો સાથે કરી મુલાકાત
BSFના મહાનિર્દેશક પંકજ કુમાર સિંહ ગુજરાત ફ્રન્ટીયરની મુલાકાતે પહોંચ્યા છે. ત્રી દિવસીય મુલાકાત દરમિયાન તેઓ ગાંધીધામ પહોચ્યા છે. તેઓ 23 થી 25 માર્ચ સુધીની આ પ્રવાસમાં સરહદી સુરક્ષાની સમીક્ષા કરી રહ્યા છે. ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદની સુરક્ષા મુદ્દે તેઓ BSFના જવાનોને યોગ્ય માર્ગદર્શન પણ આપી રહ્યા છે. સાથે ક્ચ્છની આંતરરાષ્ટ્રીય સરહદ પરના વિકાસ કાર્યોની પણ સમીક્ષા કરી છે.
જવાનોની માગોથી અવગત થયા
BSFના મહાનિદેશક પંકજકુમાર સિંહની મુલાકાતના બીજા દિવસે હરામી નાળા અને સિરક્રિક વિસ્તારમાં તૈનાત જવાનોની સમસ્યા અને તેમની કામગીરીનું મૂલ્યાંકન કર્યું હતું.
જવાનોની માંગો, જરૂરિયાતો અને અન્ય મુદ્દાઓ વિશે અવગત થયા હતા. પાકિસ્તાન સાથેની સરહદી વિસ્તારો પરની સુરક્ષા અંગે કર્યા સૂચન કરતાં કચ્છના સરહદી વિસ્તારોમાં BSFના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠકો પણ કરી હતી. આજે તેઓએ હરામીનાળા વિસ્તારમાં કેચમેંટ વિસ્તાર, હોરિઝોંટલ બ્રાંચની મુલાકાત લીધી હતી.
બોર્ડર પિલર 1175 સાથે પંકજ કુમાર સિંહે રાતનો સમય વિતાવ્યો હતો: BSF મહાનિર્દેશક પંકજ કુમાર સિંઘ
ગુરુવારે કચ્છ જિલ્લાના ક્રીક અને હરામી નાલા વિસ્તારમાં સુરક્ષા પરિદ્રશ્યની સમીક્ષા કરનાર BSFના મહાનિર્દેશક પંકજ કુમાર સિંઘે જણાવ્યું હતું કે ગુજરાતમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સ BSFએ આ વર્ષે સાત પાકિસ્તાની માછીમારોની ધરપકડ કરી છે અને 24 માછીમારી બોટ જપ્ત કરી છે. એક સત્તાવાર નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, તેમણે પાકિસ્તાન સાથેની આંતરરાષ્ટ્રીય સરહદ પર બોર્ડર પિલર નંબર 1175 પર BSF જવાનો સાથે રાત વિતાવી હતી. તેમને ખાડીમાં તૈનાતી દરમિયાન BSF દ્વારા આવતી સમસ્યાઓ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.