BS-4 વાહન ખરીદનાર ગ્રાહકોને સુપ્રીમ કોર્ટે રાહત આપી છે. 31 માર્ચ સુધીમાં BS-4 વાહન ખરીદનાર લોકોને રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે વાહનના રજીસ્ટ્રેશનની મંજૂરી આપી છે.
31 માર્ચ સુધીમાં વેચાયેલા વાહનોના રજીસ્ટ્રેશનની મંજૂરી આપવામાં આવી છે. પોર્ટલ પર રજીસ્ટર વાહનોની નોંધ થઇ શકશે. જોકે દિલ્હી-NCRમાં વહેચાયેલા વાહનોને હજૂ મંજૂરી નહીં.
9 જુલાઇના રોજ સુપ્રીમ કોર્ટે કરી હતી આ વાત
આપને જણાવી દઇએ કે, 9 જુલાઇના રોજ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, 31 માર્ચ 2020 બાદ વધેલા બીએસ-4 વાહનોનું રજિસ્ટ્રેશન થશે નહીં. કોર્ટે સરકારને કહ્યું કે, તેઓ એ તપાસ કરે કે શું ડીલરો કોવિડ-19ના કારણે બીએસ-4 વાહનોનું વેચાણ કરવા માટે વધારવામાં આવેલ ટાઇમ પીરિયડથી વધીને આ વાહનોનું વેચાણ કર્યું છે.
કોર્ટે બીએસ -6 લાગુ કરવાના સમય મર્યાદાને આગળ વધારવા કર્યો ઇનકાર
દેશમાં 1 એપ્રિલ 2020 થી બીએસ -6 ઉત્સર્જન ધોરણો અમલમાં આવ્યા છે. કોર્ટે બીએસ -6 લાગુ કરવાની સમયમર્યાદાને આગળ વધવાનો ઇનકાર કર્યો હતો. બાદમાં, કોર્ટને લોકડાઉનમાં મુક્તિ બાદ મર્યાદિત સમયમાં વાહનોની દસ ટકા વેચવાની મંજૂરી આપવામાં આવી હતી.