કર્ણાટક કોંગ્રેસના વરિષ્ઠ નેતા ડીકે શિવકુમારની ધરપકડ પર મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ દુ:ખ વ્યક્ત કર્યું છે. એમણે મંગળવારે કહ્યું કે હું આપને જણાવું છું કે ડી કે શિવકુમાર (D K Shivakumar)ની ધરપકડથી મને કોઇ ખુશી થઇ નથી. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે એમણે જલ્દી જ બહાર આવે.
બી એસ યેદિયુરપ્પાએ આગળ કહ્યું કે મેં મારા રાજનીતિક જીવનમાં કોઇના માટે ઘૃણાનો ભાવ નથી રાખ્યો અને ન મેં કોઇનું ખોટું થાય તેવી ઇચ્છા રાખી છે. ડી કે શિવકુમારની ઇડીએ મની લોન્ડ્રિંગ મામલામાં ધરપકડ કરી છે.
બદલાની રાજનીતિનો શિકાર
કોંગ્રેસ નેતા ડી કે શિવકુમારે પોતાની ધરપકડ પર ટ્વીટ કર્યું છે. એમણે ભાજપ પર કટાક્ષ કર્યો છે. ડી કે શિવકુમારે લખ્યું, 'હું મારા બીજેપીના મિત્રોને ધન્યવાદ પાઠવું છું, મારી ધરપકડ કરવાના લક્ષ્યમાં તેમને સફળતા મળી છે. આઇટી અને ઇડીના મામલા જે મારી વિરુદ્ધ નોંધવામાં આવ્યા છે, તે રાજનીતિથી પ્રેરિત છે. હું બીજેપીની બદલાની ભાવનાની રાજનીતિથી પીડિત છું.'
નોંધનીય છે કે કેટલાક દિવસો પહેલા જ કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમની પણ મની લોન્ડ્રિંગ મામલામાં ધરપકડ કરી હતી.