કર્ણાટકના સીએમ હાલ તો રાજીનામાંની વાતોને નકારી રહ્યા છે પરંતુ મીડિયાના સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે કે તેમનું રાજીનામું ફાઇનલ કરી દેવામાં આવ્યું છે.
વધુ એક રાજ્યમાં ભાજપ પોતાનો CM બદલે તેવી અટકળો
રાજીનામાંનો નિર્ણય PM મોદી પર છોડ્યો : સૂત્ર
વૃદ્ધતા અને બીમારીનો હવાલો આપીને લેવાઈ શકાય છે રાજીનામું : સૂત્ર
વધુ એક CM બદલશે ભાજપ?
ભારતીય જનતા પાર્ટીમાં છેલ્લા ઘણા સમયથી મોટા પાયે ફેરફાર કરવામાં આવી રહ્યા છે. સૌથી મોટો ફેરબદલ મોદી સરકારની કેબિનેટમાં કરવામાં આવ્યો છે અને સાથે સાથે ઉત્તરાખંડમાં પણ CM બદલી નાંખવામાં આવ્યા છે. આ સિવાય વર્ષ 2022માં થનાર વિધાનસભા ચૂંટણીઓને લઈને પણ ભાજપ વ્યૂહ રચના ઘડી રહ્યું છે અને આગામી સમયમાં મિશન મોડમાં કામકાજ જોવા મળી શકે છે ત્યારે કર્ણાટકમાં ભાજપ મુખ્યમંત્રીને બદલે તેવી અટકળો ગઇકાલથી તેજ થઈ ગઈ છે. કર્ણાટકના મુખ્યમંત્રીએ દિલ્હીમાં ધામા નાંખ્યા છે જ્યાં પીએમ મોદી સાથે તેમણે મુલાકાત કરી અને તે બાદ આજે JP નડ્ડા સાથે પણ બેઠક કરવામાં આવી છે.
PM મોદી કહે તો રાજીનામું આપવા તૈયાર છે યેદીયુરપ્પા : સૂત્ર
કર્ણાટકના સીએમ હાલ તો રાજીનામાંની વાતોને નકારી રહ્યા છે પરંતુ મીડિયાના સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે કે તેમનું રાજીનામું ફાઇનલ કરી દેવામાં આવ્યું છે અને જ્યાં સુધી ભાજપને નવો ચહેરો નક્કી ન થઈ જાય ત્યાં સુધી તેઓ પદ પર રહેશે. સૂત્રો અનુસાર હાલના સીએમ યેદીયુરપ્પાએ પોતે રાજીનામાંની બોલ PM મોદી બાજુ નાંખી દીધી છે. માનવામાં આવી રહ્યું છે કે તેઓ કહી રહ્યા છે કે જો PM મોદી કહેશે તો હું રાજીનામું આપવા તૈયાર છું.
યેદીયુરપ્પાએ વાતોને અફવા ગણાવી
જોકે યેદીયુરપ્પાને જ્યારે રાજીનામાને લઈને સવાલો કરવામાં આવ્યા ત્યારે તે સવાલોને ટાળતા તેમણે એવો જવાબ આપ્યો કે "હુ કશુંજ નથી જાણતો "તમને ખ્યાલ હોય બધું તો તમે મને જણાવી શકો છો. રાજીનામાની વાત વીશે યેદીયુરપ્પાએ મીડિયા સમક્ષ એવુ કહ્યું કે આ બધીજ અફવાઓ છે. કર્ણાટકના નેતૃત્વમાં મોટા ફેરફાર આવશે તેવી સ્થિતી વચ્ચે યેદીયુરપ્પાએ વડાપ્રધાન સાથે મુલાકાત લીધી સાથેજ તેમણે રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે પણ મુલાકાત કરી હતી.
ભ્રષ્ટાચારના આરોપો
ઉલ્લેખનીય છે કે કર્ણાટકના અમુક નેતાઓ પર તેમજ મુખ્યમંત્રી યેદીયુરપ્પા સામે ભ્રષ્ટાચારના આરોપો લાગેલા છે. જેના કારણે ભાજપ સામે ઘણા સવાલો ઉઠ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા બદાજ નેતાઓને ચેતવણી આપવામાં આવી છે. તેમ છતા કર્ણાટક સરકારમાં અંદરોઅંદર વીખવાદો વધી રહ્યા છે.