કર્ણાટકની રાજનીતિમાં હાલ તો એક ઓડિયો ક્લિપે ભૂકંપ લાવી દીધો છે. આ ક્લિપમાં દાવો કરાયો છે કે મુખ્યમંત્રી યેદિયુરપ્પાની છે જે બુધવારે બીજેપી કોર સમિતિની હુબલીમાં થયેલ બેઠકમાં રેકોર્ડ કરવામાં આવી છે. તેમાં કથિત રીતે યેદિયુરપ્પા કહેતા સાંભળી શકાય છે કે જેડીએસ કોંગ્રેસના બળવાખોર ધારાસભ્યોની મુંબઇમાં પાર્ટી ભાજપ હાઈકમાન્ડની મરજીથી રાખવામાં આવી હતી અને પોતાની પાર્ટીના નેતાઓને એ સલાહ આપતા નજરે આવી રહ્યા છે કે તમામે બળવાખોર સાથે ઉભાં રહેવુ જોઇએ, જેમના કારણે ભાજપ સત્તામાં આવી.
યેદિયુરપ્પાની કથિત વીડિયો ક્લિપ સામે આવી
યેદિયુરપ્પાની આ કથિત ક્લિપ બીજેપી કોર સમિતિની બેઠકમાં રેકોર્ડ કરવામાં આવી
યેદિયુરપ્પાએ કહ્યું, તે પાર્ટી કાર્યકર્તાઓ સાથે કેટલાક ખાસ મુદ્દાઓ પર ચર્ચા કરી રહ્યા હતા
આ વીડિયો ક્લિપ કોંગ્રેસ અધ્યક્ષ દિનેશ ગુંડુ રાવે શૅર કરી છે અને તે મોબાઇલથી રેકોર્ડ કરવામાં આવેલી 7 મિનિટની આ ક્લિપમાં કથિત રીતે યેદિયુરપ્પા કહી રહ્યા છે કે કોઇ પણ મારી સરકારને મજબુત બનાવવાનું કામ કરી રહી નથી. આ સરકાર આપણને વિધાનસભાથી નિલંબિત ધારાસભ્યોએ ભેટમાં આપી છે. બળવાખોર ધારાસભ્યોને મુંબઇમાં રાખવાનો નિર્ણય મારો નહોતો પરંતુ પાર્ટી હાઈકમાન્ડની મંજૂરીથી તેમને અઢી મહીના ત્યાં રાખવામાં આવ્યા.
@bsybjp again confesses about operation Kamala & the immoral defection of @INCIndia MLA’s.
He also clearly reveals that @AmitShah took care of the defectors for 2.5 months in Mumbai.
— ದಿನೇಶ್ ಗುಂಡೂರಾವ್/ Dinesh Gundu Rao (@dineshgrao) November 1, 2019
જ્યારે બીજી બાજુ યેદિયુરપ્પાએ કહ્યું કે તે પાર્ટી કાર્યકર્તાઓ સાથે કેટલાક ખાસ મુદ્દાઓ પર ચર્ચા કરી રહ્યા હતા. એમણે કહ્યું કે જે લોકો જવાબદાર કાર્યકર્તા છે, તેમણે આ પ્રકારે (બળવાખોર ધારસભ્યો વિશે) ન બોલવુ જોઇએ. પાર્ટીના હિતમાં તેમણે સૌનું સમર્થન કરવું જોઇએ. યેદિયુરપ્પાએ કહ્યું, ''3,4,5 નવેમ્બરે આવનારા સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ અન્ય વસ્તુઓ નક્કી કરવામાં આવશે.''
પોતાની સરકાર તૂટ્યા બાદ એચ ડી કુમારસ્વામીએ આ ક્લિપ સામે આવ્યા બાદ તાત્કાલિક પ્રતિક્રિયા આપી. એમણે કહ્યું, પહેલા જ એક ક્લિપ કોર્ટની સામે છે. હવે હું આને પણ પુરાવા રૂપે રજૂ કરીશ.
બીજી તરફ કર્ણાટક પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ દિનેશ ગુંડુ રાવે આ સંબંધમાં ટ્વિટ કર્યું, ''બીએસ યેદિયુરપ્પાએ ફરી પોતાના ઓપરેશન કમલ અને અનૈતિક રૂપે કોંગ્રેસ ધારાસભ્યોને તોડવાની વાતનો સ્વીકાર કર્યો છે. તેમણે સ્પષ્ટ રૂપે ખુલાસો કર્યો છે કે અમિત શાહે મુંબઇમાં 2.5 મહીના માટે પાર્ટી બદલુઓને રાખ્યા હતા. શું તેના કરતા મોટા પ્રમાણની જરૂર છે કે આ આખા ઓપરેશન પાછળ બીજેપી માસ્ટરમાઇન્ડ છે.
નોંધનીય છે કે, બીજેપી શરૂઆતથી કહેતી આવી છે કે કુમારસ્વામી સરકારના તોડી પાડવા પાછળના ષડયંત્રમાં તેનુ કંઇ લેવા દેવા નથી. પરંતુ હવે આ કથિત ક્લિપ બહાર આવતા વિપક્ષને યેદિયુરપ્પા સરકારને ઘેરવાની તક મળી ગઇ છે.