કર્ણાટકની રાજનીતિમાં સત્તા પ્રાપ્ત કરવા માટે ધારાસભ્યોના અંકગણિતને સાધનો સાથે સાથે કેટલાક નેતા ટૉટકા પણ કરે છે. સૂત્રો અનુસાર મુજબ શુક્રવારની સાંજે સીએમ પદની શપથ લીધા તે પહેલા બીએસ યેદિયુરપ્પાએ પોતાના નામના અંગ્રેજી સ્પેલિંગમાં ફેરફાર કર્યો છે.
કહેવામાં આવે છે કે અંકશાસ્ત્રીઓ પાસેથી સલાહથ લઇને પછીથી તેમણે yeddyurappa લખતા બીએસ યેદિયુરપ્પા હવે આ સ્પેલિંગમાંથી 'ડી' ને હટાવીન 'આઇ' જોડ્યું છે. હવે તે yediyurappa લખી રહ્યા છે.
આપને જણાવી દઇએ કે, 2007 પહેલા બીએસ યેદિયુરપ્પા નામનો સ્પેલિંગ એ હતું, જેમાં હવે તેઓએ ફેરફાર કર્યો છે. તે દરમિયાન પણ કઇપણ ચીજોને ધ્યાનમાં રાખીને તેઓએ આ પરિવર્તન કરેલ છે. તાજેતરમાં તેમના દ્વારા ભાજપના ચીફ અમિત શાહને લખવામાં આવેલ એક પત્રમાં તેમના નામનો નવો સ્પેલિંગ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
નોંધનીય છે કે, કર્ણાટકના ગવર્નરને સરકાર બનાવવાનો દાવો કરવા માટે લખવામાં આવેલા પત્રમાં પણ તેઓએ તેમના નામમાં નવા સ્પેલિંગનો ઉપયોગ કરેલ છે. ઉપરાંત, વિધાનસભામાં તેમના નામના બોર્ડમાં પણ નામના નવા સ્પેલિંગને લખવામાં આવેલ છે. જોકે સોશિયલ મીડિયા પર અને જે તેમની સત્તાવાર વેબસાઇટ પર પોતાના જૂના નામ જ ઉલ્લેખ જોવા મળી રહ્યો છે.
યેદિયુરપ્પા સરકાર ભ્રષ્ટાચારને કારણે પડી હતી
નોંધનીય છે કે, ભાજપની યેદિયુરપ્પા સરકાર આ પહેલા ભ્રષ્ટાચારને કારણ પડી હતી. જો કે ત્યારબાદ વિધાનસભાની ચૂંટણી યોજાઇ હતી જેમાં વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 104 બેઠકો મળી હતી, જે બહુમતીથી નવ બેઠક દૂર હતી. કોંગ્રેસની બેઠકો 122 થી ઘટીને 78 થઈ ગઈ હતી અને જેડીએસને 36 બેઠક મળી હતી, જે બાદમાં 37 થઈ હતી.