સુરત મહાનગરપાલિકાની પણ સીધેસીધી બેદરકારીને કારણે બીઆરટીએસ રોડ ઉપર હજારો વાહનો દોડે છે અને છાશવારે અકસ્માતો સર્જાય છે જેમાં અનેક લોકોના મોત થાય છે.
રાજ્યનો સૌથી લાંબો BRTS રૂટ
અકસ્માતોનું બની રહ્યો છે અપિસેન્ટર
બસ સિવાય અન્યવાહનો પણ ઘૂસે છે
ઓટોમેટિક કામ કરતાં થઈ ગયા બંધ
10 વધુ લોકોના થઈ ચૂક્યા છે મોત
લોકો સરળતાથી ઝડપથી અને સલામત રીતે પોતાના ગંતવ્ય સ્થાન સુધી પહોંચી શકે એ માટે સુરત શહેરમાં રાજ્યનો સૌથી લાંબો બી.આર.ટી.એસ. રૂટ શરૂ કરવામાં આવ્યો હતો. પરંતુ કમનસીબી એ છે કે, બીઆરટીએસ રૂટ જે હેતુ માટે બનાવાયો છે તેને બદલે અકસ્માતોનું અપીસેન્ટર બની રહ્યો છે. કોઈપણ વાહનોને ઉપયોગ માટે તેમાં પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો
આ છે સુરત શહેરમાં આવેલો રાજ્યનો સૌથી લાંબો બી.આર.એસ. રૂટ લોકો સરળતાથી ઝડપથી અને સલામત રીતે પોતાના ગંતવ્ય સ્થાન સુધી પહોંચી શકે એ માટે બીઆરટીએસ શરૂ કરવામાં આવ્યો હતો..એટલે જ તો આ રૂટ પર રેલિંગ નાખવામાં આવી હતી અને બીઆરટીએસ બસ સિવાય અન્ય કોઈપણ વાહનોને ઉપયોગ માટે તેમાં પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો. ત્યાં સુધી કે, ઇમર્જન્સીમાં ફાયર બ્રિગેડ કે એમ્બ્યુલન્સ પણ બીઆરટીએસના રૂટ ઉપર પ્રવેશી શકે નહીં.
બીઆરટીએસ રૂટ ઉપર હવે હજારો ખાનગી વાહનો દોડવા લાગ્યા
પરંતુ કમનસીબી એ છે કે, બીઆરટીએસ રૂટ જે હેતુ માટે બનાવાયો છે તેને બદલે અકસ્માતોનું અપીસેન્ટર બની રહ્યો છે..સુરત મહાનગરપાલિકાની સીધેસીધી બેદરકારીને કારણે બીઆરટીએસ રૂટ ઉપર હવે હજારો ખાનગી વાહનો દોડવા લાગ્યા છે અને છાશવારે અકસ્માતોના બનાવી બની રહ્યા છે..જેમાં અનેક લોકોના મોત પણ થાય છે.. ઓટોમેટિક ગેટ તત્કાલ રિપેર કરવા જોઈએ તેવી મુસાફરોની માંગ
અગાઉ બીઆરટીએસ રૂટ પર ખાનગી વાહનોનો પ્રવેશ રોકવા માટે ઓટોમેટિક ગેટ પણ મૂકવામાં આવ્યા હતા, પરંતુ એ ગેટ આજે જર્જરિત હાલતમાં છે અને ક્યાંય પણ આ ગેટ કામ કરતા દેખાતા નથી. પાલિકાએ જે તે સમયે લાખો રૂપિયાનો ખર્ચ કરીને અહીં ઓટોમેટિક ગેટ ઇન્સ્ટોલ કર્યા હતા પરંતુ આજે એ ગેટ મેન્યુઅલી હેન્ડલ કરવા લાયક પણ રહ્યા નથી..આમ એક બાજુ ઓટોમેટિક ગેટનું ખોટકાઈ જવું અને બીજી તરફ બીઆરટીએસ રૂટમાં ખાનગી વાહનોનું ઘૂસી જવું આ સંયોગ બીઆરટીએસ રૂટ પર જીલવેણ અકસ્માતો સર્જી રહ્યો છે. આ રૂટ દ્વારા BRTSના માધ્યમથી રોજ અવરજવર કરતાં લોકોનું કહેવું છે કે, ઓટોમેટિક ગેટ તત્કાલ રિપેર કરવા જોઈએ.
10 થી વધુ વ્યક્તિઓના મોત પણ થઈ ચૂક્યા છે
હજુ બે દિવસ પહેલા જ સરથાણા વિસ્તારમાં બીઆરટીએસ રૂટ ઉપર જ એક એમ્બ્યુલન્સે માસુમ વિદ્યાર્થીને અડફેટે લીધો હતો, હવામાં ફંગોળાયેલા એ વિદ્યાર્થીનું ઘટના સ્થળે જ મોત થયું હતું... ભૂતકાળમાં પણ આવી જ રીતે બીઆરટીએસ રોડ ઉપર અનેક અકસ્માતો થયા છે, જેમાં 10 થી વધુ વ્યક્તિઓના મોત પણ થઈ ચૂક્યા છે.. ત્યારે અવરજવર માટે આ રૂટનો ઉપયોગ કરતાં લોકો આવી ઘટનાઓ માટે લોકોની બેદરકારીને કારણભૂત પણ ગણાવી રહ્યા છે... તંત્રએ આ સમસ્યાનું કાયમી નિવારણ કરવા પગલાં ભરવા જરૂરી છે
એટલું જ નહીં કેટલાક સંજોગોમાં બીઆરટીએસ બસ પણ બેફામ ચાલતી હોય છે અને તેનો ભોગ રાહદારીઓ બને છે. અથવા તો ગેરકાયદે રીતે બીઆરટીએસ રૂટમાં ઘૂસી જતા ખાનગી વાહનચાલકો પણ અકસ્માતનો ભોગ બને છે, આ સમગ્ર ઘટનાને લઈને જ્યારે અકસ્માત થાય ત્યારે થોડા દિવસો માટે હોબાળો થાય છે ત્યારબાદ પરિસ્થિતિ જૈસે થે જોવા મળે છે..ત્યારે તંત્રએ આ સમસ્યાનું કાયમી નિવારણ કરવા પગલાં ભરવા જરૂરી છે...