BRTS કોરિડોરમાં ઘુસતા પહેલા સાવધાન રહેજો. BRTS કોરિડોરમાં વાહન ચલાવનારની ધરપકડ કરવામાં આવશે. BRTSથી થતાં અકસ્માત ઘટાડવા નિર્ણય લેવામાં આવ્યો છે. પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં ખાસ કમિટીની રચના થશે.આ કમિટીમાં મ્યુનિસિપલ કમિશનરનો પણ સમાવેશ કરવામાં આવશે.
BRTS થી થતા અકસ્માત ઘટાડવા માટે પોલીસ કમિશ્નરની અધ્યક્ષતામાં ખાસ કમિટીની રચના કરવામાં આવશે. જેમાં મ્યુનિસિપલ કમિશ્નર સહિત ટ્રાન્સપોર્ટ કમિશનર, સિટી એન્જિનિયર, ટ્રાફિક JCPનો પણ સમાવેશ કરાશે. દર 15 દિવસે કમિટીની બેઠકમાં સમીક્ષા કરાશે અને કોરિડોરમાં ઉચ્ચ ક્વોલીટીના CCTV કેમેરા ગોઠવામાં આવશે.
જ્યારે બીજી તરફ અમદાવાદમાં BRTS ના અવાર નવાર અકસ્માત મામલે હવે રાજ્યનું ગૃહમંત્રાલય પણ હરકતમાં આવ્યું છે. જેને લઇને આજરોજ રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા અમદાવાદમાં BRTS રૂટની બસમાં બેસીને સમીક્ષા કરશે. પ્રદિપસિંહ જાડેજા BRTSમાં મુસાફરી કરી નિરીક્ષણ કરશે. જ્યારે ગૃહમંત્રી પાંજરાપોળ, વાળીનાથ ચોક, દિલ્હી ચકલાની મુલાકાત પણ લેશે. આ સાથે તેઓ BRTS બસની સ્પીડ અંગે સમીક્ષા પણ કરશે.
સુરતમાં BRTS બસોની સ્પીડ ઘટાડવાનો કરાયો નિર્ણય
સુરતમાં BRTS બસની સ્પીડને લઇને Vtv એક અહેવાલ રજૂ કર્યો હતો. જેને લઇને મનપા દ્વારા બસોની સ્પીડ ઘટાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. બસોની સ્પીડ 40 કિમી પ્રતિ કલાક રાખવાનો નિર્ણય કરાયો છે. બેફામ દોડતી બસોની સ્પીડ મર્યાદિત કરાઇ છે, મનપાની નીતિ મુદ્દે વીટીવીએ અહેવાલ દર્શાવ્યો હતો જેને લઇને તંત્ર દ્વારા સુધારો કરવામાં આવ્યો છે.