રાજ્યમાં કોરોનાના વધતા કેસના કારણે મહાનગરોમાં ચાલતી BRTSની સુવિધા બંધ કરવાના નિર્ણય, અમદાવાદ, સુરત પછી રાજકોટમાં લેવાઈ શકે છે નિર્ણય
કોરોના મુદ્દે બોલ્યાં રાજકોટ મેયર પ્રદીપ ડવ
કેસ વધશે તો આકરા નિર્ણય લેવાશે
'જાહેર સ્થળો પર લાગી શકે છે પ્રતિબંધ'
રાજકોટમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે કોરોના મુદ્દે રાજકોટના મેયર પ્રદીપ ડવે કહ્યું કે શહેરમાં કેસ વધશે તો આકરા નિર્ણય લેવાશે. કેસ વધશે તો BRTS-સિટી બસ બંધ કરવી પડશે. સ્પોર્ટ્સ સંકુલ-બગીચા, જાહેર સ્થળો પર પ્રતિબંધ લાગી શકે છે. અમદાવાદ-સુરતની સરખામણીમાં રાજકોટમાં કેસ ઓછા છે. લોકોને વહેલીમાં વહેલી તકે વેક્સિન મુકાવવા અપીલ કરી છે.
સુરત મેયરની જાહેરાત બાદ BRTS બંધ કરાઈ
રાજ્યમાં કોરોના સંક્રમણ સતત વઘી રહ્યું છે. તેમાં પણ ખાસ કરીને સુરતમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. આ અંગે સુરતના મેયર હેમાલી બોધાવાલાનું નિવેદન સામે આવ્યું છે. તેમના જણાવ્યા અનુસાર કોરોના સંક્રમણને અંકુશમાં લેવા માટે તમામ પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે. સુરતમાં ગાર્ડન, જાહેર સ્થળો બંધ કરવામાં આવ્યા છે. સીટી બસ, BRTSને બંધ કરવામાં આવી છે. આ ઉપરાંત વેક્સિનેશનની કામગીરી પણ ઝડપથી કરવામાં આવી રહી છે. ત્યારે બીજી તરફ વિપક્ષે સત્તા પક્ષ પર ફક્ત ફક્તને તાયફા કરવાનો આક્ષેપ કર્યો હતો.
સૌ પ્રથમ અમદાવાદમાં BRTS સેવા બંધ કરાઈ
તો અમદાવાદમાં વહીવટી તંત્ર દ્વારા શહેરમાં BRTS અને AMTS સેવાઓ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગઈકાલે જ BRTS અને AMTS સેવા બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો. પણ આ સાથે જે લોકો પોતાના કામના સ્થળ પર જવા માટે રોજબરોજ BRTSનો ઉપયોગ કરે છે. તેમને હાલાકી પડવાની શરૂ થઈ છે. અને તેમને રિક્ષાના વધારે ભાડા ચૂકવવા પડી રહ્યા છે.
સરકાર તરફથી 5 સચિવોને મનપા ક્ષેત્રમાં કામગીરી આપી
રાજ્યમાં કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે વેક્સિનેશન સેન્ટર રાત્રે 9 વાગ્યા સુધી ખુલ્લા રહેશે. તેવી જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે. તો આ સાથે મનપા ક્ષેત્રમાં 5 વરિષ્ઠ સચિવોને જવાબદારી સોંપાઈ છે. જેમાં અમદાવાદની જવાબદારી ડો.રાજીવ ગુપ્તાને સોંપાઈ છે.
તો મિલિંદ તોરવણે, વિનેદ રાવને વડોદરાની જવાબદારી આપવામાં આવી છે. આ સાથે રાહુલ ગુપ્તાને રાજકોટની જવાબદારી સોંપાઈ છે. અને સુરતની જવાબદારી એન.થેન્નારસનને સોંપવામાં આવી છે. જે સચિવોને કામગીરી આપવામાં આવી તેમના દ્વારા સ્થાનિક તંત્રને માર્ગદર્શન અપાશે.