ગઈકાલ સવારથી અત્યારસુધીમાં BRTS એ 6ના ભોગ લીધા છે. ત્યારે સમગ્ર રાજ્યમાં બસ ડ્રાઈવરો પ્રત્યે રોષ ફાટી નીકળ્યો છે. BRTS બસના ડ્રાઈવરો છે કે મોતના સોદાગરો તેવા પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે. 24 કલાકમાં અમદાવાદમાં 2 અને સુરતમાં 4 જણા રોડ ઉપર ફરતી બસનો શિકાર બન્યા છે.
શહેરોમાં આમ નાગરિકોના સુગમ પરિવહન માટે દોડાવવામાં આવતી બીઆરટીએસ હવે જાણે સાક્ષાત મોતની પર્યાય બની ગઈ છે. શહેરમાં સિટીબસ અને બીઆરટીએસના ડ્રાઈવરો બેફામ ગતિએ બસ હંકારી રહ્યા છે. તેમની આ બેફામ ગતિએ આજ સુધી અનેક નાગરિકોને ભોગ બનાવ્યા છે. હજુ ગઈકાલે સુરતમાં સુરતમાં સિટી બસે ત્રણ લોકોને મોતના ભોગ બનાવ્યા તે ઘટનાના પડઘા શમ્યા નથી ત્યાં આજે અમદાવાદમાં બીઆરટીએસે બે સગા ભાઈનો ભોગ લઈ લીધો છે. જોઈએ શહેરમાં રખડતા મોતનો પર્યાય બની ગયેલી
અમદાવાદમાં કોને અપાયો છે મોતનો કોન્ટ્રાક્ટ
અમદાવાદમાં BRTS બસના અકસ્માત મામલે નવો ખુલાસો થયો છે. .શહેરમાં BRTS બસનો કોન્ટ્રાક્ટ ટ્રાવેલ ટાઈમ અને ચાર્ટર્ડ કંપનીને આપવામાં આવ્યો છે. અને જે બસનો અકસ્માત થયો છે તેનો કોન્ટ્રાક્ટ ટ્રાવેલ ટાઈમ પાસે હતો. જે બસનો અકસ્માત થયો તે બસ ચિરાગ પ્રજાપતિ નામનો ડ્રાઈવર ચલાવતો હતો. જે અકસ્માત બાદ બસ મુકીને ફરાર થઈ ગયો છે.. ટ્રાવેલ ટાઈમનો કોન્ટ્રાક્ટર કેલકર છે. જેના વિરુદ્ધ હવે કોર્પોરેશન શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું.
સુરતમાં વધુ એકનું મોત થતા 24 કલાકમાં ચારના મોત
સુરતમાં BRTS બસે વધુ એકનો ભોગ લીધો છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં BRTS બસે એક વ્યક્તિને અડફેટે લેતા ગંભીર ઇજાગ્રસ્ત થયો હતો. ત્યારે તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો જ્યાં સારવાર દરમિયાન ઇજાગ્રસ્ત વ્યક્તિનું મોત નિપજ્યું છે. એટલે સુરતમાં 24 કલાકમાં બસની અડફેટથી 4 લોકોએ જીવ ગુમાવ્યા છે. સુરતમાં ડિંડોલીમાં સિટી બસ અકસ્માતમાં 3 લોકોના મોત નિપજ્યા હતા.
સુરતમાં સિટી બસની અડફેટે 3 લોકોના મોત મામલે પરિવારને 20 લાખની સહાય ચૂકવવામાં આવશે. મનપાના ડેપ્યુટી કમિશનરે સમાધાન કરાવ્યું છે. જેમાં સહાય ચૂકવવાની ખાતરી આપવામાં આવી છે. બસ કોન્ટ્રાક્ટર તરફથી 5 લાખની સહાય ચૂકવાશે. જ્યારે મેયર ફંડમાંથી 3 લાખ અને રાજ્ય સરકારની એક્સીડેન્ટલ પોલિસીમાંથી 12 લાખ રૂપિયાની સહાય ચૂકવવામાં આવશે. તો સહાયની ખાતરી મળતાં પરિવાર મૃતદેહ સ્વીકારવા માટે તૈયાર થયો છે.